SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૩૯] સામાયિકના પાંચ અતિચાર કરાવું નહીં અને કાયા વડે કરું નહીં, કરાવું નહીં એમ પ્રત્યાખ્યાનના છ ભાંગા છે. તેમાં અનાભોગ વગેરેથી તેમાંથી એકનો ભંગ થતાં પણ બાકીના ભાંગા અખંડ રહે છે તેથી તે વ્રતનો સર્વથા ભંગ થતો નથી. વળી મનના દુપ્રણિધાનની મિથ્યાદુષ્કત આપવા વડે જ શુદ્ધિ કહેલી છે, તેથી સામાયિક ન કરવું તે શ્રેષ્ઠ સમજવું નહીં, કેમ કે જો સામાયિક ન કરે તો પરિણામે સર્વવિરતિનો પણ અનાદર થવાનો પ્રસંગ આવે. વળી કોઈ એમ કહે છે કે “અવિધિએ કરેલા ઘર્માનુષ્ઠાનની અપેક્ષા ઘર્માનુષ્ઠાન ન કરવું તે જ સારું છે. પણ તે ઘટિત નથી. કહ્યું છે કે अविहिकया वरमकयं, उस्सुयसुअं भणंति गीयत्था । पायच्छित्तं जम्हा, अकये गुरुअं कये लहुअं॥१॥ અવિથિએ કરવા કરતાં ન કરવું સારું' એમ જે કહે છે તે “ઉત્સુત્ર વચન' છે એમ ગીતાર્થ કહે છે, કારણ કે ઘર્માનુષ્ઠાન ન કરવાથી ગુરુ પ્રાયશ્ચિત્ત આવે છે અને અવિધિએ કરવાથી લઘુ પ્રાયશ્ચિત્ત આવે છે. પ્રથમ કાંઈક અતિચાર સહિત ક્રિયા કરતાં કરતાં અભ્યાસથી કાળે કરીને અતિચાર રહિત અનુષ્ઠાન થઈ શકે છે. ઘનુર્વિદ્યા શીખનારા વગેરે પ્રથમથી સર્વ કળાના પારગામી હોતા નથી પણ અભ્યાસ કરવાથી તેઓ પ્રાયે કુશળ થઈ શકે છે. વળી એક વખત જલબિંદુ પડવાથી કાંઈ સરોવર પૂર્ણ ભરાતું નથી, ઘીમે ઘીમે ભરાય છે; તેથી સમ્યગૂ પ્રકારે મનની શુદ્ધિ વડે વારંવાર કર્યા કરવું. આગમમાં પણ કહ્યું છે કે जीवो पमाय बहुलो, बहुसोवि बहुविहेसु अत्थेसु । एएण कारणेणं, बहुसो सामाइयं कुजा ॥१॥ જીવ ઘણા પ્રકારના કાર્યોમાં પડેલો હોવાથી બહુ પ્રમાદી હોય છે, માટે તેણે બહુ વાર સામાયિક કરવું.” સામાયિકમાં રહેલો શ્રાવક પણ યતિ જેવો ગણાય છે. શ્રી આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે-“શ્રાવક સામાયિક કરવાથી મુનિના જેવો થાય છે, તેથી તે વારંવાર કર્યા કરવું.” આ સામાયિક વ્રત મહણસિંહની જેમ હમેશાં આરાઘવું. તેની કથા આ પ્રમાણે મહણસિંહની કથા - દિલ્લીમાં પિરોજશાહ બાદશાહ રાજ્યગાદી પર હતો ત્યારે ત્યાં મહણસિંહ નામે એક સાહુકાર રહેતો હતો. એક વખતે બાદશાહે દિલ્લીથી બીજે નગર જતાં મહણસિંહને પોતાની સાથે લીઘો. માર્ગમાં ચાલતાં સૂર્ય અસ્ત થવાનો સમય આવ્યો એટલે મહણસિંહ ઘોડા ઉપરથી ઊતરી, ભૂમિને પ્રમાજી પ્રતિક્રમણ કરવા રોકાયો. તે હમેશાં પ્રતિક્રમણ કરવાના ઉપકરણો સાથે રાખતો હતો. બાદશાહ આગળ ચાલતાં બીજે ગામ પહોંચ્યો. ત્યાં મહણસિંહ શ્રેષ્ઠીને સાથે જોયો નહીં એટલે તેને શોધવા એક માણસને મોકલ્યો. શ્રેષ્ઠી સામાયિક પૂરું કરી પારીને બાદશાહની પાસે આવ્યો. બાદશાહે પાછળ રહેવાનું કારણ પૂછ્યું. એટલે મહણસિંહે કહ્યું કે-“હે મહારાજા! જ્યારે સૂર્ય ઊગે છે અને અસ્ત થાય છે ત્યારે ગ્રામ, અરણ્ય, નદી, સ્થલ કે પર્વત ગમે તે સ્થાને તે બન્ને કાળે હું અવશ્ય પ્રતિક્રમણ કરું છું.” બાદશાહે કહ્યું કે–“હે શ્રેષ્ઠી! આપણે શત્રુઓ ઘણા છે તેથી કદી તેઓ ૧ ઉપયોગભ્રંશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy