SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ . શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ વ્યાખ્યાન ૧૩૯ સામાયિકના પાંચ અતિચાર સામાયિક વ્રતમાં તજવા યોગ્ય પાંચ અતિચાર કહે છે– कायावाङ्मनसा दुष्ट- प्रणिधानमनादरः । स्मृत्यनुपस्थापनं च, स्मृताः सामायिकव्रते ॥१॥ ભાવાર્થ-મન, વચન અને કાયાથી દુષ્ટ આચરણ કરે તે ત્રણ, સામાયિકમાં આદર રાખે નહીં તે ચાર અને વ્રતના કાળ વગેરેનું સ્મરણ કરે નહીં તે પાંચ—એમ સામાયિક વ્રતના પાંચ અતિચાર કહ્યા છે. [સ્તંભ ૧૦ વિશેષાર્થ-કાયા, વાણી અને મન વડે દુષ્ટ પ્રણિધાન એટલે અનાભોગ વગેરેથી સાવદ્યયોગમાં પ્રવૃત્તિ કરવી, તેમાં શરીરના અવયવ–હાથ, પગ વગેરેનું વારંવાર હલાવવું, પ્રમાર્જ્ય વગર શરીર ખંજવાળવું, ભીંત વગેરેનું આલંબન લેવું અને પ્રમાર્જન કર્યા વગરની ભૂમિ ઉપર બેસવું ઇત્યાદિ કાયાનું દુષ્ટ પ્રણિધાન કહેવાય છે. વચનથી કઠોર ભાષણ કરવું, અથવા માર, રાંઘ, જા, આવ, બેસ, ઊભો રહે, આ દુકાન તથા ઘરની કૂંચી લે ઇત્યાદિ વચનો બોલવા તે વચન સંબંધી દુષ્ટ પ્રણિધાન કહેવાય છે. તે વિષે કહ્યું છે કે—જેણે સામાયિક લીધું હોય તેણે પ્રથમ બુદ્ધિએ વિચારીને સત્ય અને નિર્દોષ વચન બોલવું; અન્યથા સામાયિક થયું ન કહેવાય.’’ મન વડે ઘર તથા દુકાન પ્રમુખનું સાવદ્ય ચિંતવન કરવું તે મન સંબંઘી દુઃપ્રણિધાન કહેવાય છે. તે વિષે કહ્યું છે કે—‘જે શ્રાવક સામાયિક કરીને ગૃહકાર્ય ચિંતવે તે આર્ત્તધ્યાનવાળા શ્રાવકનું સામાયિક નિરર્થક થાય છે.'' એટલે કે જે શ્રાવક સામાયિક લઈને એવું ચિંતવે કે—આજે ઘરમાં ઘી, હીંગ, મીઠું અને ઈંધણા નથી અને સ્ત્રી આજકાલની તરુણ છે, તો કાલે ઘરનો નિર્વાહ શી રીતે થશે?” આ પ્રમાણે ચિંતવનારા શ્રાવકનું સામાયિક નિરર્થક થાય છે. આ મન સંબંઘી દુષ્ટ પ્રણિધાન સમજવું. એમ ત્રણ યોગ સંબંધી ત્રણ અતિચાર જાણવા. ચોથો અતિચાર અનાદર એટલે સામાયિક કરવામાં ઉત્સાહ ન રાખવો તે, અર્થાત્ નિયમિત વખતે સામાયિક કરવું નહીં અથવા લઈને તત્કાલ પારી દેવું. કહ્યું છે કે—“જે સામાયિક લઈને તત્કાલ પા૨ી દે અથવા યથેચ્છપણે કરે તેનું સામાયિક અનવસ્થિત સમજવું. તેવા અનાદરથી તેને શુદ્ધ સમજવું નહીં.’’ પાંચમો અતિચાર સામાયિકનું સ્મરણ ન થાય તે, જેમ કે મેં સામાયિક કર્યું છે કે નહીં? એવા પ્રબલ પ્રમાદથી સામાયિક સાંભરે નહીં તે પાંચમો અતિચાર કહેવાય છે. Jain Education International અહીં કોઈ શંકા કરે કે‘સામાયિકમાં વૃવિહં િિવષેમાં એ પાઠ પ્રમાણે દ્વિવિઘ ત્રિવિધે (મન, વચન, કાયા સંબંધી) પચખાણ કરાય છે; પણ મનનો રોધ કરવો અશક્ય હોવાથી મન સંબંઘી દુષ્ટ પ્રણિધાન થવાનો સંભવ છે અને તેથી લીધેલા વ્રતનો ભંગ થાય છે તેમજ વ્રતનો ભંગ થવાથી પ્રાયશ્ચિત્ત આવે છે માટે તેવું સામાયિક ન કરવું તે જ શ્રેષ્ઠ છે.” ગુરુ કહે છે કે—આવી શંકા કરવી નહીં, કારણ કે સામાયિકમાં મન વડે કરું નહીં, કરાવું નહીં, વચન વડે કરું નહીં, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy