SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૪ પીતાંબરઘારી, ધ્વજમાં ગરુડના ચિહ્નવાળા, શ્યામમૂર્તિ અને દશ ઘનુષ્યની કાયાવાળા હોય છે. તેના જ્યેષ્ઠ બંધુ બલદેવ હોય છે. તે ઉઠ્ઠલવણ કાયાવાળા, ગર્ભમાં આવે ત્યારે ચાર સ્વપ્નથી સૂચિત થનારા, નીલ વસ્ત્ર ઘરનારા, ધ્વજમાં તાલવૃક્ષના ચિહ્નવાળા, હલમુશલાદિ શસ્ત્રને ઘારણ કરનારા, બારસો વર્ષના આયુષ્યવાળા, મૃત્યુ પામીને સ્વર્ગ કે મોક્ષે જનારા અને પોતાના અનુજ બંધુ સાથે પરમ સ્નેહાકુળ એવા ઉત્પન્ન થાય છે. તે સમયે પ્રથમ નારદમુનિ પણ થાય છે, જે ઘણા કલાપ્રિય, આકાશગામી વિદ્યાવાળા, સર્વ રાજાઓ વગેરેથી પૂજાસત્કાર મેળવનારા અને વૃઢશીલવાળા હોય છે. તે સંયમે તથા કેવળજ્ઞાને કરીને તે જ ભવે મોક્ષગામી થાય છે. એવી રીતે ત્રીજા તીર્થકરના વારામાં ચાર ઉત્તમ પુરુષો થાય છે. ત્રીજા જિન મુક્તિ પામ્યા પછી કેટલોક કાળ વ્યતીત થતાં રાજગૃહ નગરમાં બીજા ચક્રવર્તી ઉત્પન્ન થાય છે. તેની સુવર્ણ જેવી કાંતિ, બાર ઘનુષની કાયા અને ત્રણ હજાર વર્ષનું આયુષ્ય હોય છે. તેના સર્વ વૈભવનો વિસ્તાર પહેલા ચક્રવર્તી જેવો હોય છે. ત્રીજા તીર્થકરના જન્મથી પાંચ લાખ વર્ષ વીત્યા પછી ચોથા તીર્થંકર ઉત્પન્ન થઈ મિથિલાપુરીને પવિત્ર કરે છે. તેમનું આયુષ્ય દશ હજાર વર્ષનું, કાયા પંદર ઘનુષ્યની અને દેહનો વર્ણ સુવર્ણના જેવો હોય છે. એ અવસરે કાંડિલ્યપુરમાં ત્રીજા ચક્રવર્તી થાય છે. તેનો વૈભવ વગેરે સર્વ પહેલા ચક્રવર્તી પ્રમાણે હોય છે. એવી રીતે આગળ થનારા ચક્રવર્તીઓ માટે પણ સમજી લેવું. તે ચક્રવર્તીઓની ગતિ આશ્રયીને એમ સમજવું કે જે પરિગ્રહની અત્યંત આસક્તિથી અંત અવસ્થા સુઘી ચક્રવર્તીપણું છોડતા નથી તે મરણ પામીને અવશ્ય અધોગતિમાં (નરકે) જાય છે અને જેઓ ઘર્મદેવપણું અંગીકાર કરે છે એટલે કે ચારિત્રઘર્મને આચરે છે તેઓ અવશ્ય સ્વર્ગ કે મોક્ષમાંથી એક ગતિને પામે છે. ચોથા તીર્થકર મોક્ષે ગયા પછી કેટલોક કાળ જતાં બીજા પ્રતિવાસુદેવ, વાસુદેવ, બળદેવ તથા નારદમુનિ થાય છે. તેમનો વૈભવ તથા મૃત્યુ પછીની ગતિ વગેરે પૂર્વવત્ જાણી લેવાં. સર્વે અર્થચક્રી (વાસુદેવ) પૂર્વજન્મે ઉપાર્જન કરેલ સુકૃતમાં નિયાણું કરવાથી તેની સંપત્તિ પ્રાપ્ત કરી મૃત્યુ પછી નરકે જાય છે. પ્રતિવાસુદેવ પણ તે જ રીતે નરકે જાય છે અને બલદેવ પૂર્વભવે નિયાણા વિના ઘર્માવઘાન કરવાથી સમૃદ્ધિના વિસ્તારને સંપાદન કરી સંયમ લઈ ઊર્ધ્વ ગતિમાં જ જાય છે. સર્વ નારદ પ્રાંતે શુદ્ધ ચારિત્ર લઈ મોક્ષે જ જાય છે. (આવો નિરધાર અન્યત્ર કહેલ નથી.) ઉપર કહેલા બીજા અર્ધચક્રીનું શરીર સોળ ઘનુષ્ય પ્રમાણ હોય છે અને આયુષ્ય બાર હજાર વર્ષ પ્રમાણ હોય છે અને બલદેવનું આયુષ્ય પંદર હજાર વર્ષનું હોય છે. એ ચાર પુરુષો કીર્તિશેષ થયા પછી ચોથા તીર્થંકરના જન્મથી છ લાખ વર્ષ વીતતાં રાજગૃહ નગરમાં પાંચમા તીર્થંકર થાય છે. તેઓ શ્યામ કાંતિવાળા, ત્રીશ હજાર વર્ષના આયુષ્યવાળા અને વિશ ઘનુષ્યની કાયાવાળા હોય છે. તે અવસરે વારાણસી નગરીમાં વીશ ઘનુષ્યની કાયાવાળા અને ત્રીશ હજાર વર્ષના આયુષ્યવાળા ચોથા ચક્રવર્તી થાય છે. પાંચમા તીર્થંકર મોક્ષે ગયા પછી તેમની ઉત્પત્તિના સમયથી ચોપન લાખ વર્ષ વ્યતીત થતાં છઠ્ઠા તીર્થંકર મિથિલાનગરીમાં ઉત્પન્ન થાય છે. તેમની કાયા પચીશ ઘનુષ્યની, આયુષ્ય પંચાવન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy