SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૦૬] કાળનું સ્વરૂપ ૧૯૭ પણ છ વર્ષની વયે ગર્ભ ધારણ કરનારી, ઘણાં સંતાનવાળી અને દુઃખે પ્રસવનારી થાય છે. ઉત્સર્પિણીના પહેલા આરામાં હળવે હળવે તે બિલમાંથી મનુષ્યો બહાર નીકળે છે. એમ કાળ નિર્ગમન થતાં ઉત્સર્પિણીના પહેલા આરાને અંતે પુષ્કરરસ, ક્ષીર૨સ, ઘૃતરસ, અમૃતરસ અને સર્વ૨સ નામે પાંચ જાતિના મેઘ જુદા જુદા સાત સાત દિવસ વરસે છે, તેથી પૃથ્વી સર્વ પ્રકારના ધાન્યાદિના રસવાળી થાય છે. ઉત્સર્પિણીના પ્રારંભથી માણસોના દેહ તથા આયુષ્ય ઘીમે ઘીમે વધવા માંડે છે; તે ત્યાં સુધી વધે છે કે પહેલા આરાની પ્રાંતે તેમનાં શરીર બે હાથના પ્રમાણવાળાં અને આયુષ્ય વીશ વર્ષનું થાય છે. એવી રીતે એકવીશ હજાર વર્ષનો પહેલો દુષમદુષમ નામનો આરો વીત્યા પછી બીજા દુષમ આરાનો આરંભ થાય છે. તેના પ્રારંભમાં તો મનુષ્યનાં શરીર બે હાથનાં અને આયુષ્ય વીશ વર્ષનું હોય છે, પણ તે હળવે હળવે વૃદ્ધિ પામતા બીજા આરાના પ્રાંત ભાગે માણસનાં શરીર સાત હાથ પ્રમાણ અને આયુષ્ય એકસો વીશ વર્ષનું થાય છે. બીજા આરામાં જાતિસ્મરણથી નગર વસાવવા વગેરે સર્વ મર્યાદાના કરનારા સાત કુલકરો થાય છે. એવી રીતે એકવીશ હજાર વર્ષ પ્રમાણ બીજો દુષમ નામનો આરો વ્યતીત થયા પછી દુષમસુષમ નામના ત્રીજા આરાનો આરંભ થાય છે. તે ત્રીજા આરાના નેવ્યાશી પખવાડિયા વ્યતીત થયા પછી પહેલા તીર્થંકર સાત હાથની કાયાવાળા અને બોંતેર વર્ષના આયુષ્યવાળા થાય છે. તે સર્વ પ્રકારના રૂપાતિશયવંત અને સુવર્ણ જેવી કાંતિવાળા, વીરપ્રભુ જેમ કુંડગ્રામમાં ઉત્પન્ન થયા હતા તેવા થાય છે. અહીં નગરનું નામ વર્તમાન ચોવીશીના ચરમ તીર્થંકરને આશ્રયીને કહેલું છે, બાકી તેની નગરીનું નામ તો અન્ય પણ હોય છે. દિવાળીકલ્પમાં પદ્મનાભ જિનની ઉત્પત્તિનું સ્થાન શતદ્વા૨ નામે નગર કહેલું છે. એવી રીતે આગળ બીજા તીર્થંકરો માટે પણ જાણી લેવું. તે જિનેશ્વર પાંચમા કલ્યાણકે મુક્તિ પામ્યા પછી અમુક અંતરે બીજા તીર્થંકર નવ હાથના શરીરવાળા, નીલ વૈડુર્ય મણિ જેવા શ૨ી૨ના વર્ણને ઘ૨ના૨ા અને સો વર્ષના આયુષ્યવાળા થાય છે. તે પ્રભુ પહેલા તીર્થંકરની ઉત્પત્તિના સમયથી બસો ને પચાસ વર્ષ જતાં જાણે શાંતરસની મૂર્તિ હોય તેવા ઉત્પન્ન થાય છે. તે પ્રભુ પણ વારાણસી નગરીમાં પાર્શ્વ પ્રભુએ તીર્થ પ્રવર્તાવ્યું હતું તેમ તીર્થ પ્રવર્તાવી અનુક્રમે મોક્ષે ગયા પછી કેટલોક કાળ જતાં સાત ધનુષની કાયાવાળા, સાતસો વર્ષના આયુષ્યવાળા અને સુવર્ણના જેવી કાંતિવાળા પ્રથમ ચક્રવર્તી કાંપિલ્ય નગરમાં બ્રહ્મદત્ત ચક્રી થયા હતા તેવા ઉત્પન્ન થાય છે. તેઓ ભરતક્ષેત્રના છ ખંડને સાથે છે, નવ મહાનિધિ અને ચૌદ રત્નોના સ્વામી થાય છે, પચીશ હજાર યક્ષો તેને સેવે છે, ૬૪૦૦૦ સ્ત્રીઓ અને એક લાખ ને અઠ્યાવીશ હજાર વારાંગનાઓ તેને આનંદ આપે છે અને છન્નુ કોટિ ગામના તે અધિપતિ હોય છે. તેમના મરણ પામ્યા પછી બીજા તીર્થંકરના જન્મથી ત્યાશી હજાર ને સાડાસાતસો વર્ષ વીત્યા પછી ત્રીજા તીર્થંકર શૌર્યપુરમાં ઉત્પન્ન થાય છે. તેઓ એક હજાર વર્ષના આયુષ્યવાળા, દશ ધનુષ્યની કાયાવાળા અને શ્યામ કાંતિવાળા હોય છે. એ સમયે પહેલા વાસુદેવ ઉદ્ભવે છે. તેઓ ચક્રથી વૈતાઢ્યગિરિ પર્યંત ત્રિખંડ પૃથ્વીને સાધે છે. તે અર્ધચક્રી પ્રતિવાસુદેવના ચક્ર વડે જ તેનો અંત કરે છે. સોળ હજાર મુગટબદ્ધ રાજાઓ તેમના ચરણને સેવે છે. જ્યારે તે ગર્ભમાં આવે છે ત્યારે તેની માતા સાત સ્વપ્ન જુએ છે. તે વાસુદેવ ચક્ર વગેરે સાત રત્નોના અધિપતિ, એક હજાર વર્ષના આયુષ્યવાળા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy