SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૦૬] કાળનું સ્વરૂપ ૧૯૯ હજાર વર્ષનું અને શરીરની કાંતિ મરકત મણિના જેવી હોય છે. તે પણ પ્રથમના પાંચ પ્રભુની જેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યરૂપ અનંત ચતુર્યને પ્રાપ્ત કર્યા પછી એટલે નિર્વાણ પામ્યા પછી કેટલોક કાળ જતાં ત્રીજા વાસુદેવાદિ ચાર પુરુષો ઉદ્ભવે છે. તેમનું સર્વ સ્વરૂપ પૂર્વની જેમ જાણી લેવું. વિશેષ એટલે કે તે ત્રીજા વાસુદેવનું શરીર છવ્વીશ ઘનુષ્ય પ્રમાણ અને આયુષ્ય છપ્પન હજાર વર્ષનું હોય છે અને બલરામનું આયુષ્ય પાંસઠ હજાર વર્ષનું હોય છે. તે ચાર પુરુષો વ્યતીત થયા પછી કેટલોક કાળ જતાં પાંચમા ચક્રવર્તી હસ્તિનાપુરમાં ઉત્પન્ન થાય છે. તેના શરીરનું પ્રમાણ અઠ્ઠાવીશ ઘનુષ્યનું અને આયુષ્ય સાઠ હજાર વર્ષનું હોય છે. તે પાંચમા ચક્રવર્તી થયા પછી કેટલોક કાળ વ્યતીત થતાં ચોથા બલદેવાદિ ચાર પુરુષો થાય છે, તેમનું સ્વરૂપ પૂર્વ પ્રમાણે જાણવું. વિશેષ એટલું કે ચોથા અર્ધચક્રીના શરીરનું પ્રમાણ ઓગણત્રીશ ઘનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ પાંસઠ હજાર વર્ષનું હોય છે. બલદેવના આયુષ્યનું માન પંચાશી હજાર વર્ષનું હોય છે. તે ચાર પુરુષ કાળ કરી ગયા પછી છઠ્ઠી તીર્થકરના જન્મથી એક હજાર કોટી વર્ષ વ્યતીત થતાં દિલ્લી નગરમાં સુવર્ણવર્ણ સાતમા તીર્થંકર ઉદ્ભવે છે. તે અવસરે તે જ નગરમાં ચક્રવર્તીનો પણ પ્રસવ થાય છે. તે ચક્રવર્તી અને ભગવંતના શરીરનું પ્રમાણ ત્રીશ ઘનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ ચોરાશી હજાર વર્ષનું હોય છે. તે સાતમા તીર્થકર મોક્ષે ગયા પછી તેમના જન્મથી એક હજાર ક્રોડ વર્ષે જૂન પલ્યોપમના ચોથા ભાગ જેટલો કાળ વ્યતીત થતાં આઠમા તીર્થંકર હસ્તિનાપુરને પોતાના અવતારથી પવિત્ર કરે છે. તેમના શરીરનું પ્રમાણ પાંત્રીશ ઘનુષ્યનું, આયુષ્યનું પ્રમાણ પંચાણું હજાર વર્ષનું અને શરીરની કાંતિ સુવર્ણ જેવી હોય છે. તે અવસરે તે જ નગરમાં સાતમા ચક્રવર્તી પણ થાય છે. તેમના શરીર તથા આયુષ્યનું પ્રમાણ તે સમયના તીર્થકર જેટલું હોય છે. આઠમા તીર્થંકર મોક્ષે ગયા પછી તેમના જન્મથી અર્ધપલ્યોપમ સમય વ્યતીત થતાં તે જ નગરમાં નવમા તીર્થંકર ઉત્પન્ન થાય છે. તે જ સમયે તે જ નગરમાં આઠમા ચક્રવર્તી પણ ઉત્પન્ન થાય છે. તે બન્નેના શરીરનું પ્રમાણ ચાળીશ ઘનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ એક લાખ વર્ષનું હોય છે. તેઓ નિવૃત્તિ પામ્યા પછી કેટલોક કાળ જતાં હસ્તિનાપુરમાં નવમા ચક્રવર્તી થાય છે. તેમના શરીરનું માન સાડીએકતાળીશ ઘનુષ્યનું અને આયુષ્યનું માન ત્રણ લાખ વર્ષનું હોય છે. તે નવમા ચક્રવર્તી કથાશેષ થયા પછી કેટલોક સમય જતાં સાવત્થી નગરીમાં દશમાં ચક્રવર્તી ઉત્પન્ન થાય છે. તેમના શરીરનું માન સાડીબેંતાળીશ ઘનુષ્યનું અને આયુષ્યનું માન પાંચ લાખ વર્ષનું હોય છે. દશમાં ચક્રવર્તી થઈ ગયા પછી રત્નપુર નગરમાં સુવર્ણ કાંતિવાળા દશમા તીર્થંકર નવમા તીર્થકરના જન્મથી પોણા પલ્યોપમે ન્યૂન ત્રણ સાગરોપમે થાય છે. તેમના શરીરનું પ્રમાણ પિસ્તાળીશ ઘનુષ્યનું, આયુષ્યનું પ્રમાણ દશ લાખ વર્ષનું હોય છે. તે સમયે બલદેવાદિ ચાર પ્રઘાન પુરુષ અવતરે છે. તેમનું સ્વરૂપ પૂર્વની જેમ જાણી લેવું. વિશેષ એટલે કે પાંચમા વાસુદેવના આયુષ્ય તથા શરીરનું માન તે સમયના જિનના જેટલું જાણવું અને બલદેવના આયુષ્યનું પ્રમાણ ત્રીસ લાખ વર્ષનું જાણવું. દશમા તીર્થંકર મુક્તિરૂપ પતિવ્રતાના સ્વામી થયા પછી તેમના જન્મથી ચાર સાગરોપમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy