SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ 3 [તંભ ૧૪ સુઘારવાની છરી નથી. છઠ્ઠીએ કહ્યું કે આ કૂતરી કેમ ઘુરકે છે? તેના ઉત્તરમાં પણ કહ્યું કે પાળી નથી, એટલે તે કૂતરીને કોઈએ પાળેલી નથી, તેથી તે ઘરકે છે. સાતમીએ પૂછ્યું કે આ ભેંસ ગાભણી છે? તેના ઉત્તરમાં કહ્યું કે પાલી નથી. ગાય ભેંસ વગેરેને ગર્ભ રહેવાના સમયને લોકો પાલી કહે છે તે નથી. આઠમી સ્ત્રીએ પૂછ્યું કે પેલી સ્ત્રી શું માર્ગમાં થાકી ગઈ છે? તેના ઉત્તરમાં કહ્યું કે પાલી નથી, અર્થાત્ તે પગપાળે ચાલતી નથી, રથમાં બેસીને આવી છે, તેથી થાકેલી નથી. નવમી સ્ત્રીએ પૂછ્યું કે આજે સદાવ્રતમાં ભોજન અપાય છે? તેના ઉત્તરમાં કહ્યું કે “પાળી નથી.” એટલે આજે દાન દેવાનો વારો નથી. કેટલાક સદાવ્રત અમુક દિવસે અપાતાં હોય છે. દશમીએ પૂછ્યું કે આ પ્રવાહમાંથી વિશેષ જળ કેમ વહે છે? તેના ઉત્તરમાં કહ્યું કે “પાલી નથી.' એટલે તેની પાળ બાંધેલી નથી, તેથી વઘારે જળ વહે છે. અગિયારમીએ પૂછ્યું કે ચોટલો તૈયાર કરેલો છે? તેના ઉત્તરમાં પણ કહ્યું કે “પાલી નથી.' અહીં પાલી કહેતાં જૂ સમજવી, એટલે મારા મસ્તકમાં જૂ પડી નથી, તેથી કેશપાશ તૈયાર છે. બારમીએ પૂછ્યું કે કાનમાં કુંડલ પહેર્યા છે કે નહીં? તેના ઉત્તરમાં કહ્યું કે “પાલી નથી.” અહીં કાનમાં છિદ્ર પડાવીને ઉછેરે તેને કાન પાળ્યો કહે છે તે પાળ્યા વિના કુંડળ શી રીતે પહેરાય? તેરમીએ પૂછ્યું કે આ ગહરમાં ભય કેમ નથી? તેના ઉત્તરમાં કહ્યું કે પાલી નથી.' એટલે આ વનની સમીપમાં ચોર લોકોની પાલી નથી, તેથી ભય નથી. ચોર લોકોના રહેવાના સ્થાનને પાલ કહે છે. ચૌદમીએ પૂછ્યું કે આ ફળ ગ્રહણ કરશો? તેના ઉત્તરમાં કહ્યું કે “પાલી નથી. એટલે મારે ખોળો નથી. તેથી શેમાં ફળ લેવાય? પંદરમીએ પૂછ્યું કે આ બકરીઓ ગણી છે? તેના ઉત્તરમાં કહ્યું કે “પાલી નથી.' અહીં પાલી એટલે પ્રાંત (છેડો અથવા આડશ કરેલી) નથી, તેથી એટલી બધી બકરીઓની ગણના શી રીતે થાય? આ પ્રમાણે પુષ્પવતીએ સર્વ સ્ત્રીઓના પ્રશ્નોનો ઉત્તર એક શબ્દમાં આપ્યો અને તે બથી સમજી ગઈ; તેથી તેનો પતિ પણ ખુશી થયો. જ્યારે એક સાધારણ માણસમાં ઉત્તર આપવાની આવી શક્તિ હોય છે, તો પછી નિંદ્રના એક વચનથી સર્વના સંશયનો અભાવ કેમ ન થાય? “અહંતનું એક વચન સમકાળે અનેક લોકોની સંશયશ્રેણીને એક સાથે હરી લે છે, તે ઉપર બુઢણ આહીરની સ્ત્રીઓનું દ્રષ્ટાંત સાંભળીને વિચારવું કે તેમાં શું આશ્ચર્ય છે? કાંઈ આશ્ચર્ય નથી.” વ્યાખ્યાન ૨૦૨ સમવસરણ પ્રભુની દેશના સમયે જે થાય તે કહે છે जिनवाक्यात्प्रबुद्धा ये दीक्षां गृह्णति ते मुदा । तेषु गणिपदार्हास्तान्, यच्छंति त्रिपदी जिनाः॥१॥ ભાવાર્થ-“જે શ્રી જિનેશ્વરભગવંતની વાણીથી પ્રતિબોધ પામે છે તે હર્ષથી દીક્ષા લે છે. તેમાંથી જે ગણિપદને યોગ્ય હોય તેમને શ્રી ભગવંત ત્રિપદી આપે છે.” તેઓ ત્રિપદીનું અધ્યયન કરી મુહૂર્તમાત્રમાં બુદ્ધિબીજ પ્રાપ્ત કરીને દ્વાદશાંગી રચે છે. પછી જિનેશ્વર ભગવંત તેમને ગણત્થરપદ આપે છે. મહાબુદ્ધિવાળા ગણધરો સૂત્ર ગૂંથે છે. અરિહંતભગવંત તો પ્રાયે અર્થ પ્રકાશે છે. ગણથરો ભવ્યજનના ઉપકાર માટે જ સૂત્ર રચે છે એમ સમજવું. જેમ કોઈ પુરુષ આમ્રવૃક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy