SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૦૧] કેવળજ્ઞાન કલ્યાણક ૧૮૩ આ સંસારસાગર તરી શકાય છે. અર્હતને શ્રુતજ્ઞાનપૂર્વક અર્હતપણાની પ્રાપ્તિ છે, માટે તે તીર્થશબ્દે શ્રુતજ્ઞાનને નમે છે. લોકમાં અર્હત પૂજ્ય હોવાથી અને પૂજ્ય જેને પૂજે તે તો અવશ્ય પૂજનિક હોવાથી લોકમાં ચતુર્વિધ સંઘરૂપ તીર્થ પૂજાય છે. કૃતકૃત્ય થયેલા અદ્ભુત પ્રભુ પણ તીર્થને નમે છે અને પછી ધર્મ કહે છે તેમ સર્વ લોક તીર્થને નમે છે. પછી સિંહાસન ઉપર બેસીને પ્રભુ દેશના આપે છે. ભગવંતના એકેક વચન વડે ઘણા જીવોના સંશય છેદાય છે. જો સંશયોનો છેદ અનુક્રમે થાય તો સંશય કરનાર પ્રાણીઓ અસંખ્ય હોવાથી અસંખ્યાતકાળે પણ તેમના સંશયનો છેદ થઈને અનુગ્રહ થઈ શકે નહીં; પરંતુ પ્રભુની શબ્દશક્તિ વિચિત્ર છે. તેઓ એક વાક્યમાં એક સાથે ઘણા પ્રાણીઓના સંશયના ઉત્તર આપી શકે છે. આવી શક્તિને પુષ્ટિ આપનારું એક લૌકિક દૃષ્ટાંત છે તે આ પ્રમાણે બુઢણ આહીરનું દ્રષ્ટાંત સંગઘર નામના ગામમાં ઘન, કણ તથા સુવર્ણથી ભરપૂર બુઢણ નામે એક આહીર રહેતો હતો. તેને પુષ્પવતી વગેરે પંદર સ્ત્રીઓ હતી. તે બઘી પરસ્પર સ્નેહવાળી હતી. એક વખતે બુઢણ ગાયો ચારવા વનમાં ગયો. મધ્યાહ્નકાળ થયો એટલે તે ભોજન કરવા બેઠો. તે સમયે વનની શોભા જોવા ઉત્સુક થયેલી તેની સ્ત્રીઓ તેની પાસે આવી. પછી તે સર્વે અનુક્રમે પુષ્પવતીને આ પ્રમાણે પૂછવા લાગી. પહેલીએ કહ્યું-‘આજે આટલી બધી ખીચડી કેમ રાંધી છે?’ બીજી બોલી–‘આજે છાશમાં મીઠાશ કેમ થોડી છે?' ત્રીજી બોલી-પેલી દાઢી મૂછવાળી સ્ત્રી ઘેર છે?' ચોથી બોલી—‘આજે તમારે શરીરે શાંતિ છે?’ પાંચમી બોલી–‘આજે કંકોડાનું શાક આખું કેમ રાંધ્યું છે?’ છઠ્ઠી બોલી−‘આ કૂતરી કેમ ઘૂરકે છે?” સાતમી બોલી—તે ભેંસ ગાભણી થઈ છે?' આઠમી બોલી–‘આ આગળ દેખાતી સ્ત્રી થાકી ગઈ છે કે નહીં?’ નવમી બોલી–‘આજે સદાવ્રતમાં ભોજન આપે છે?' દશમી બોલી‘આજે આ જલપ્રવાહમાં ઘણું જળ કેમ વહે છે?' અગિયારમી બોલી–‘તમારો ચોટલો સમાર્યો છે?’ બારમી બોલી–‘કાનમાં કુંડળ પહેર્યાં છે કે નહીં?” તેરમી બોલી—આ ગહ્લરમાં ભય કેમ લાગતો નથી?’ ચૌદમી બોલી−‘આ ફળ લેશો?” પંદરમી બોલી—‘આ બકરીઓ ગણી છે કે નહીં?' આ પ્રમાણે અનુક્રમે પૂછતી તે બધી સ્ત્રીઓને સર્વમાં માન્ય એવી પુષ્પવતીએ એક જ શબ્દમાં ઉત્તર આપ્યો કે ‘પાલી નથી.' એટલે પહેલીએ પૂછ્યું કે ખીચડી આટલી બધી કેમ રાંધી છે? તેના ઉત્તરમાં કહ્યું કે ધાન્ય માપવાની પાલી મારી પાસે નથી; તેથી વધારે રંઘાઈ ગઈ છે. ધાન્યનું માપ કરનારા લોકો તે માપવાના પાત્રને પાલી કહે છે. બીજીએ પૂછ્યું કે છાશમાં મીઠાશ થોડી કેમ છે? તેના ઉત્તરમાં પણ ‘પાલી નથી' એમ કહ્યું એટલે છાશ કરવાનો વારો નથી, તેથી કાલની છાશ હોવાથી મીઠાશ ઓછી છે, અથવા બોરડી, બાવલ વગેરે જે તિર્યંચનો ચારો છે તેને લોકમાં પાલી અથવા પાલો કહે છે તે ન નાખવાથી છાશમાં મીઠાશ ઓછી છે. ત્રીજીએ પૂછ્યું કે પેલી દાઢીમૂછવાળી સ્ત્રી ઘેર નથી? શું તે નાપિતને ઘેર ગઈ છે? તેને ઉત્તરમાં કહ્યું કે આજે હજામતની પાલી નથી, એટલે ઘેર છે. ચોથીએ પૂછ્યું કે આજે તમને શરીરે શાંતિ છે? તેના ઉત્તરમાં કહ્યું કે પાલી નથી, એટલે એકાંતરો તાવ આવતો હતો તેની આજે પાલી (વારો) નથી તેથી શાંતિ છે. પાંચમીએ પૂછ્યું કે કંકોડાનું શાક આખું કેમ કર્યું છે? તેના ઉત્તરમાં કહ્યું કે પાલી નથી, એટલે કે For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy