SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૪ નિયોજિત કરતાં બસો ઘનુષ્ય થાય છે. તેને પૂર્વના અઢારસોમાં મેળવતાં એક કોશ થાય છે. તે કોશમાં ત્રણ કોશ મેળવતાં એક યોજન થાય છે તે પ્રમાણે એક યોજનનું વૃત્ત સમવસરણ હોય છે. આ સમવસરણમાં ચારે દિશાએ પ્રથમ દશ હજાર સોપાન હોય છે. તે યોજનની બહાર સમજવા. પ્રભુના નીચેના ભાગથી (મધ્યબિંદુથી) બહારના સોપાન પર્વતની ભૂમિ બન્ને તરફ સવા ત્રણ સવા ત્રણ કોશ હોય છે. આ સમવસરણ ભૂમિથી અધર કરવામાં આવે છે. તેમાં ઊંચે ઊંચે સોપાનની રચના કરેલી હોય છે. આ પ્રમાણે વૃત્ત (ગોળાકાર) સમવસરણની વ્યાખ્યા સમજવી. ચોરસ સમવસરણનું સ્વરૂપ લોકપ્રકાશ ગ્રંથથી જાણી લેવું. હવે ત્રીજા ગઢમાં જે પ્રથમ સરખું ભૂતળ કહ્યું તેની મધ્યમાં મણિરત્નમય પીઠ પ્રભુના દેહપ્રમાણ ઊંચી, ચાર દ્વારવાળી અને ચારે દિશામાં ત્રણ સોપાનયુક્ત હોય છે. તે લંબાઈ તથા પહોળાઈમાં બસો ઘનુષ્ય પ્રમાણ હોય છે, અને પૃથ્વીથી અઢી કોશ ઊંચી હોય છે. તે વિષે કહ્યું છે કે “એકેક હાથ ઊંચા વીશ હજાર પગથિયાં ચડ્યા પછી આવતું હોવાથી પ્રભુનું સિંહાસન જમીનથી અઢી કોશ ઊંચું થાય છે.” આ પ્રમાણ સિંહાસનની નીચેની ભૂમિથી પીઠિકા સુધી સમશ્રેણીએ ઊંચાઈ ગણતાં થાય છે. એ પીઠના મધ્ય ભાગે એક યોજનાના વિસ્તારવાળું અશોકવૃક્ષ હોય છે. તે જિનેશ્વર ભગવંતના શરીરના માનથી બારગણું ઊંચું હોય છે. તે વિષે કહ્યું છે કે-“શ્રી ઋષભદેવ પ્રભુને ચૈત્યવૃક્ષ ત્રણ ગાઉ ઊંચું હોય છે અને તે જ પ્રમાણે બાકીના તીર્થકરોને શરીરમાનથી બારગણું ઊંચું હોય છે.” ચૈત્યવૃક્ષ એ ભગવંતને જે વૃક્ષ નીચે કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ હોય તે વૃક્ષનું નામ છે. તે અશોક વૃક્ષની ઉપર રહે છે. અશોક વૃક્ષની નીચે અહંતનો દેવછંદો હોય છે. ત્યાં ચારે દિશાએ ચાર સુવર્ણનાં સિંહાસન આવેલાં હોય છે. તેમની આગળ એક એક રત્નમય પાદપીઠ હોય છે. તેની ઉપર પ્રભુ ચરણ ઘરે ત્યારે તે ઉલ્લાસવાળું થયું હોય તેમ શોભે છે. પ્રત્યેક સિંહાસન ઉપર ત્રણ ત્રણ છત્ર હોય છે. તે બઘાં મોતીની શ્રેણીઓથી અલંકૃત હોય છે. પ્રત્યેક સિંહાસનની બન્ને બાજુ બળે ચામરઘારી દેવતા ઊભા રહે છે. સિંહાસનની આગળ ચારે દિશાએ સુવર્ણકમળ ઉપર સૂર્યના તેજને જીતે તેવું એક એક ઘર્મચક્ર આવેલું હોય છે. તે અહંતપ્રભુના ત્રિભુવનના ઘર્મચક્રીપણાને સૂચવનારું તથા મત્સરી જનના મદને ટાળનારું હોય છે. તથા ચારે દિશાએ હજાર હજાર યોજન ઊંચા, નાની નાની ઘંટિકાઓવાળા ચાર મહાધ્વજ હોય છે. તે પૂર્વમાં ઘર્મધ્વજ, દક્ષિણમાં માનધ્વજ, પશ્ચિમમાં ગજધ્વજ અને ઉત્તરમાં સિંહધ્વજ કહેવાય છે. અહીં જે ઘનુષ્ય તથા કોશ વગેરેનું માને કહ્યું છે તે તે સમયના તીર્થકરના આત્માગુલ પ્રમાણે જાણવું. મણિપીઠ, ચૈત્યવૃક્ષ, સિંહાસન, છત્ર, ચામર તથા દેવછંદો વગેરે વ્યંતરદેવતાઓ રચે છે. આ સમવસરણ ચારે નિકાયના દેવતાઓને સાઘારણ છે, કારણ કે તે સર્વે મળીને કરે છે. બાકી કોઈ મહાન ઉત્તમ દેવતા ઘારે તો તે એકલો પણ આવું સમવસરણ રચી શકે છે. ત્યાં વૈમાનિક દેવતા હર્ષથી સિંહનાદ અને દુંદુભિના શબ્દો કરે છે. સૂર્યોદય વખતે પ્રભુ સુવર્ણના કમળ ઉપર ચરણ મૂકતાં મૂકતાં આવીને પૂર્વદ્વાર વડે સમવસરણમાં પ્રવેશ કરે છે. પછી ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી, પાદપીઠ ઉપર ચરણ મૂકી “નમો તીર્થાય” એમ કહી સિંહાસન ઉપર બેસે છે. તીર્થ એટલે શ્રુતજ્ઞાન અથવા ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણઘર સમજવા કે જેના વડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy