SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ વ્યાખ્યાન ૨૦૧] કેવળજ્ઞાન કલ્યાણક રૂપાનો કિલ્લો કરે છે. એક એક પગથિયું એક હાથ પહોળું ને એક હાથ ઊંચું હોય છે. તેથી પહેલો ગઢ પૃથ્વીથી સવા કોશ ઊંચો થાય છે. તે રૂપાના કિલ્લાની ભીંત પાંચસો ઘનુષ્ય પ્રમાણ જાડી અને તેત્રીશ ઘનુષ્ય ને બત્રીશ આંગળ પહોળી હોય છે. તે કિલ્લામાં પૂતળીઓ અને આઠ મંગલિકવાળા ચાર દ્વારા રચે છે. કિલ્લાને ચારે ખૂણે જમીન પર ચાર વાપિકા રચે છે. પહેલા ગઢના પૂર્વદ્વાર ઉપર તુંબરુ નામે દેવ દ્વારપાળ હોય છે, દક્ષિણદ્વારે પાંગ નામે દેવ દ્વારપાળ હોય છે, પશ્ચિમધારે કપાળી નામે દેવ દ્વારપાળ હોય છે અને ઉત્તરદ્વારે જટામુગુટધારી નામે દેવ દ્વારપાળ તરીકે રહે છે. પહેલા ગઢની મધ્યે પેસતાં ચારે દ્વાર પાસે પચાસ પચાસ ઘનુષ્યપ્રમાણ સરખી ભૂમિ હોય છે. આ ગઢની અંદર દેવતાઓનાં તથા મનુષ્યોનાં વાહન રહે છે. બીજો સુવર્ણનો ગઢ કે જે રત્નમય કાંગરાથી અલંકૃત જ્યોતિષી દેવો કરે છે તે પાંચ હજાર સોપાનથી ચડી શકાય તેટલો ઊંચો કરે છે. તે ગઢની ભીંતનું તથા ચાર દ્વાર વગેરેનું માન પૂર્વની જેમ જાણી લેવું. તેના પૂર્વદ્યારે હાથમાં અભયમુદ્રા ઘરનારી શ્વેતવર્ણની જયા નામે બે દેવી રહે છે. દક્ષિણદ્વારે રત્ન જેવા વર્ણવાળી વિજયા નામે બે દેવી હાથમાં અંકુશ ઘરીને ઊભી રહે છે. પશ્ચિમદ્વારે પીળા વર્ણવાળી અને હાથમાં પાશ ઘરનારી અજિતા નામે બે દેવી રહે છે અને ઉત્તરદ્વારે નીલ વર્ણવાળી અને હાથમાં મગર નામે શસ્ત્ર ઘરનારી અપરાજિતા નામે બે દેવી રહે છે. પચાસ ઘનુષ્યપ્રમાણ તે ગઢમાં પેઠા પછી પણ સમાન ભૂમિભાગ હોય છે. તે ગઢમાં સિંહ, વ્યાધ્ર, મૃગ વગેરે તિર્યંચો રહે છે. અહીં ઈશાન દિશામાં દેવછંદો રચવામાં આવે છે. વ્યાખ્યાનના ઉત્તરકાળે દેવતાઓએ સેવેલા પ્રભુ તે ઉપર આવીને બેસે છે. તેની ઉપર પાંચ હજાર સોપાન ચઢીએ ત્યારે પૂર્વની જેટલી ભીંતની જાડાઈના તથા ઊંચાઈના પ્રમાણવાળો અને ચાર ધારવાળો મણિમય કાંગરાથી સુશોભિત રત્નનો ત્રીજો ગઢ વૈમાનિક દેવતા. કરે છે. તેના પૂર્વ દ્વારે સોમ નામે પીત વર્ણવાળો વૈમાનિક દેવ હાથમાં ઘનુષ્ય લઈ દ્વારપાળ થઈને રહે છે. દક્ષિણમાં હાથમાં દંડ ઘરનાર ગૌરવર્ણ યમ નામે વ્યંતરદેવતા ઊભો રહે છે. પશ્ચિમમાં રક્તવર્ણી પાશઘારી વરુણ નામે જ્યોતિષી દેવ રહે છે અને ઉત્તરમાં શ્યામવર્ણી કુબેર નામે ભુવનપતિ દેવ હાથમાં ગદા લઈ દ્વારપાલ થઈને ઊભો રહે છે. તે રત્નમય વપ્રની મધ્યે સરખી ભૂમિનું પીઠ હોય છે. તે એક કોશ ને છસો ઘનુષપ્રમાણ વિસ્તારવાળું હોય છે. એટલું જ વિસ્તારનું માન પહેલા અને બીજા તથા બીજા ને ત્રીજા કિલ્લાના મધ્ય ભાગનું પણ બન્ને પાસાનું મળીને જાણવું. તે આ પ્રમાણે રૂપાના ગઢમાં પેઠા પછી પચાસ ઘનુષ્ય પ્રતર છે અને તેની આગળ બારસો ને પચાસ ઘનુષ્યમાં ૫૦૦૦ સોપાન હસ્ત હસ્ત પ્રમાણના છે. એવી રીતે બન્ને મળીને તેરસો ઘનુષ્ય એક એક તરફ રૂપાના તથા સુવર્ણના ગઢનું અંતર હોય છે તે પ્રમાણે બન્ને પાર્શ્વનો વિસ્તાર એકત્ર કરતાં એક કોશ અને છસો ઘનુષ્યનું માન થાય છે. બીજા ત્રીજા કિલ્લાના મધ્યનું પ્રમાણ પણ એ જ પ્રમાણે જાણી લેવું. એમ ત્રણ ગઢના મધ્યભાગના વિસ્તારનું માન એકત્ર કરતાં ત્રણ કોશ અને અઢારસો ઘનુષ્ય થાય છે. ત્રણ ગઢની બે બાજુની મળીને છ ભીંતો હોય છે. તે એક એક ભીંતનો વિસ્તાર તેત્રીશ ઘનુષ્ય અને બત્રીશ આગળ હોય છે, તેથી તેત્રીશ ઘનુષ્યને છગુણા કરતાં એકસો અઠ્ઠાણું ઘનુષ્ય થાય અને બત્રીશ આંગળને છગુણા કરતાં એકસો બાણું આંગળ થાય. તેના બે ઘનુષ્ય થાય. તે એકસો અઠ્ઠાણુમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy