SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૪ आद्येऽथ शुक्लध्यानस्य ध्याते भेदद्वयेऽर्हताम् । घातिकर्मक्षयादाविर्भवेत्केवलमुज्ज्वलम् ॥१॥ ભાવાર્થ-“શુક્લ ધ્યાનના પહેલા બે ભેદ ધ્યાતાં અહંતુ પ્રભુને ઘાતિકર્મનો ક્ષય થવાથી ઉજવલ કેવલજ્ઞાન પ્રગટ થાય છે.” આઠ પ્રકારના કર્મમળને શોધે તે શુક્લ અથવા શોકનો નાશ કરે તે શુક્લ કહેવાય છે. શુક્લ એવું જે ધ્યાન તે શુક્લધ્યાન. તેના પહેલા બે ભેદ ધ્યાતાં જિનેશ્વર ભગવંતને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેમાં પ્રથમ ભેદ પૃથકૃત્વવિતર્કસપ્રવિચાર નામે છે. તેમાં એક દ્રવ્યની અંદર ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ પર્યાયના વિસ્તાર વડે જુદા જુદા ભેદથી જે વિચાર કરવો એટલે વિવિધ પ્રકારના નયને અનુસારે જીવ અજીવ ભિન્ન કરીને વિતર્ક કરવો અર્થાત્ ગુણપર્યાયનો વિચાર કરવો તે પ્રથ–વિતર્કસપ્રવિચાર. એટલે આત્મસત્તાનું ધ્યાન કરવું તે શુક્લ ધ્યાનનો પ્રથમ ભેદ છે. એ ભેદ આઠમા ગુણઠાણાથી માંડીને અગિયારમા ગુણઠાણા સુધી લભ્ય થાય છે. શુક્લ ધ્યાનનો બીજો ભેદ એકત્વવિતર્કઅવિચાર નામે છે; જેમાં જીવના ગુણપર્યાય આત્મામાં એકપણે રહે છે–ભિન્નપણે રહેતા નથી એવું ધ્યાન કરે છે. તેમ જ “મારો જીવ સિદ્ધસ્વરૂપમય હોવાથી એક જ છે' એમ ચિંતવન કરે છે. તે વિષે પૂજ્ય પુરુષો લખે છે કે “એક દ્રવ્યને અવલંબી રહેલા અનેક પર્યાયમાંથી એક પર્યાયનો જ આગમ અનુસાર વિચાર કરવો અને મન વગેરે યોગમાં પણ એકથી બીજાનો વિચાર જેમાં નથી તે એકત્વવિતર્કઅવિચાર નામે શુક્લધ્યાનનો બીજો ભેદ છે. આ ધ્યાન યોગની ચપલતા રહિત એક પર્યાયમાં ચિરકાળ પર્યત ટકે છે. તેથી પવન વિનાના મકાનમાં દીપકની જેમ તેની સ્થિરતા થાય છે. આ બીજો ભેદ બારમે ગુણઠાણે સંભવે છે. એ ધ્યાનથી ઘનઘાતી ચાર કર્મનો ક્ષય કરી જીવ નિર્મળ એવા કેવળજ્ઞાનને મેળવે છે. સયોગી કેવલી ગુણઠાણે ધ્યાનાંતરિકા થાય છે. તે જ્ઞાન વડે અનંત ઘર્મવાળા સર્વ પદાર્થ જાણી શકાય છે. કહ્યું છે કે “આ ત્રણ જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે જે શ્રી જિનેશ્વર ભગવંત જાણતા નથી અને દેખતા નથી. એથી જ તે અર્હત ત્રણ જગતને પૂજ્ય થાય છે.” તીર્થંકરપદ પણ કેવલજ્ઞાન ઉત્પન્ન થયા છતાં જ ભોગ્ય થાય છે. કહ્યું છે કે यत्तृतीयभवे बद्धं, तीर्थकृन्नामकर्म तत् । प्राप्तोदयं विपाकेन, जिनानां जायते तदा ॥१॥ “જિનેશ્વર ભગવંતે ત્રીજે ભવે જે તીર્થંકરનામકર્મ બાંધેલું છે તે તેમને વિપાકપણે ત્યારે જ ઉદય આવે છે.” હવે પ્રભુને કેવલજ્ઞાન થયા પછી દેવતો શું કરે છે તે કહે છે-“તે સમયે ઇંદ્ર આસનકંપથી પ્રભુને કેવળજ્ઞાન થયું જાણી ત્યાં આવી જ્ઞાનોત્પત્તિ મહોત્સવ કરે છે.' જ્યારે પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે ચોસઠ ઇંદ્રો આવી પ્રભુના જ્ઞાનકલ્યાણકનો મહોત્સવ કરે છે તે આ પ્રમાણે–વાયુકુમાર દેવો એક યોજન પ્રમાણ ભૂમંડળને શોધે છે. પછી મેઘકુમાર દેવતા તે ભૂમિને સુગંધી જળથી સિંચન કરે છે. છ ઋતુના અધિષ્ઠાયક દેવતા પુષ્પ વડે તે પૃથ્વીની પૂજા કરે છે. વ્યંતરદેવતા ભૂમિતલથી સવા કોશ ઊંચું સુવર્ણ રત્નમય પીઠ રચે છે. પછી ભુવનપતિ દેવો પૃથ્વીથી દશ હજાર પગથિયાં વડે પહોંચી શકાય તેવો સુવર્ણના કાંગરાવાળો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy