SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૦૧] કેવળજ્ઞાન કલ્યાણક ૧૭૯ તે વખતે શિબિકાની દક્ષિણ તરફની ઉપલી બાંહ્ય શક્ર ઇંદ્ર વહન કરે છે, ઉત્તર તરફની ઉપલી બાંહ્ય ઈંશાન ઇંદ્ર વહન કરે છે, દક્ષિણ તરફની નીચલી બાંહ્ય ચમરેંદ્ર વહન કરે છે અને ઉત્તર તરફની નીચલી બાંહ્ય બીંદ્ર વહન કરે છે, પછી દેવો તે બાંહ્ય ગ્રહણ કરે છે એટલે સૌધર્મેન્દ્ર ને ઈશાનેંદ્ર બે બાજુ ચામર વીંઝે છે. બાકીના દેવતાઓ પંચવર્ણની પુષ્પવૃષ્ટિ વગેરે કરતાં જાય છે. આ પ્રમાણે અનેક પ્રકારના મહોત્સવથી પ્રભુ દીક્ષા લેવા નીકળે છે. તે સમયે સર્વે મનુષ્યો ભગવંતની આ પ્રમાણે સ્તુતિ કરે છે—“હે જગત્પ્રભુ! તમે સર્વ કર્મરૂપ શત્રુઓને જીતી સત્વર કેવલજ્ઞાનને પ્રાપ્ત કરો.’’ ઇત્યાદિ સ્તુતિ કરાતાં પ્રભુ વનમાં જાય છે. ત્યાં અશોક વગેરે વૃક્ષ નીચે શિબિક્રા મૂકે છે. એટલે પ્રભુ તેમાંથી ઊતરી આભૂષણો ઉતારે છે. તે સમયે કુળની વડેરી હંસલક્ષણ પટશાટકમાં તે ગ્રહણ કરીને આ પ્રમાણે હિતશિક્ષા આપે છે—“હે વત્સ! તમે ઊંચમાં ઊંચ ગોત્રના ઉત્તમ ક્ષત્રિય છો, તેથી ચારિત્રમાં પ્રમાદ કરશો નહીં; પ્રમાદ ન કરવાથી તમારું વાંછિત શીઘ્ર સિદ્ધ થશે.’’ પછી ભગવાન એક મુષ્ટિથી દાઢી મૂછના અને ચાર મુષ્ટિથી મસ્તકના કેશનો લોચ કરે છે. પાંચ ઇંદ્રિય તથા ચાર કષાય એમ નવ પ્રકારનો ભાવલોચ કરે છે અને કેશના ત્યાગરૂપ દશમો દ્રવ્યલોચ કરે છે. શક્ર ઇંદ્ર તે કેશ લઈ પ્રભુને જણાવી ક્ષીરસાગરમાં ક્ષેપન કરી આવે છે. પછી લક્ષ મૂલ્યનું દેવદૃષ્ય વસ્ર ઇંદ્ર પ્રભુના સ્કંધ ઉપર નાખે છે. તે સમયે ઇંદ્રના વાક્યથી દેવતા તથા નરનારીઓનો ઘોંઘાટ શાંત થઈ જાય છે એટલે પ્રભુ ‘નમો સિદ્ધાણું’ એમ કહી સામાયિકનો પાઠ ભણે છે. આ પાઠમાં ‘ભંતે’ એ પદ જિનેશ્વર ભગવંત બોલતા નથી, કારણ કે તેમને બીજા ભગવંત (પૂજ્ય) હોતા નથી. ‘નમો સિદ્ધાણં’ એ પદ તો આચાર માટે માત્ર ભણે છે. કારણ કે તેમના પણ સર્વ અર્થ સિદ્ધ થયા છે, એમ તત્ત્વાર્થવૃત્તિમાં અપેક્ષાએ જણાવ્યું છે. ચારિત્ર આદર્યા પછી તરત જ પ્રભુને ચોથું જ્ઞાન ઊપજે છે. સંયમ લીધા પછી પ્રભુ તે જ દિવસે વિહાર કરે છે. દ્રવ્યાદિ કોઈ વસ્તુનો પ્રતિબંધ રાખતા નથી. અહીં સચિત્ત વગેરે વસ્તુ તે દ્રવ્ય, ગ્રામગૃહાદિ તે ક્ષેત્ર, માસ વર્ષ વગેરે કાળ અને રાગદ્વેષ વગેરે ભાવ સમજવો. તે ચારેનો પ્રતિબંધ પ્રભુને નથી. પછી પ્રભુ પ્રથમ પારણું જેને ત્યાં કરે છે ત્યાં દેવતા પાંચ દિવ્ય વિસ્તારે છે. તે પાંચ દિવ્ય આ પ્રમાણે—સુગંધી જળની વૃષ્ટિ, પુષ્પવૃષ્ટિ, સુવર્ણવૃષ્ટિ, આકાશમાં દિવ્ય દુંદુભિનો ધ્વનિ અને ‘અહો વાન, બહો વાન' એવી ઉદ્ઘોષણા. તે વખતે હર્ષ પામેલા દેવતાઓ મનુષ્યજન્મની અનુમોદના કરે છે અને ઉત્કૃષ્ટથી સાડાબાર કરોડ સોનૈયાની અને જઘન્યથી સાડાબાર લાખ સોનૈયાની વૃષ્ટિ કરે છે. ‘શક્રાદિ દેવતાઓ એવી રીતે પ્રભુની સેવા કરવા માટે દીક્ષા કલ્યાણક વગેરેમાં મુખ્ય ભાગ લે છે. તેમના હસ્તમાં અને મસ્તક પર અદ્ભૂત પ્રભુ વિરાજે છે.’’ વ્યાખ્યાન ૨૦૧ કેવળજ્ઞાન કલ્યાણક આ વ્યાખ્યાનમાં પ્રભુને કેવળજ્ઞાનની ઉત્પત્તિ કેમ થાય અને પછી દેવતાઓ સમવસરણની કેવી રચના કરે તે સંબંધી વર્ણન છે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy