SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૪ આ સમયે તીર્થંકરના પિતા ત્રણ મોટી શાળાઓ કરાવે છે. એક શાળામાં ભરતખંડમાં ઉત્પન્ન થયેલા જે મનુષ્યો આવે તેને અન્નાદિ આપે છે, બીજી શાળામાં વસ્ત્ર આપે છે અને ત્રીજી શાળામાં આભૂષણ આપે છે. ૧૭૮ ચોસઠ ઇંદ્રોને પ્રભુને હાથે દાન લેવાનો એવો મહિમા છે કે તે દાનના પ્રભાવથી તેમને બે વર્ષ સુધી કલહ ઉત્પન્ન થતો નથી. ચક્રવર્તી જેવા રાજાઓના ભંડાર દાનમાં આવેલા સોનૈયાના પ્રભાવથી બાર વર્ષ સુઘી અક્ષય રહે છે. રોગીઓને દાન લેવાથી બાર વર્ષ પર્યંત નવીન રોગ ઉત્પન્ન થતો નથી. તે કાળે સર્વ ઠેકાણે એવી ઉદ્ઘોષણા થાય છે કે ‘સર્વે ઇચ્છિત વર માગી લો.’ અહીં કોઈ ઢૂંઢક મતવાળા કહે છે કે ‘જો પ્રભુ દાન દે તો દાન દેવાનું ફળ અવશ્ય ભોગવવું પડે; તે સિવાય ફળના બંધનો અભાવ થાય માટે તીર્થંકરો દાન આપતા નથી.’ પણ તેમનું એ કહેવું અયુક્ત છે, કારણ કે છઠ્ઠા અંગ (જ્ઞાતાસૂત્ર)માં શ્રી મલ્લિનાથના અધ્યયનમાં પ્રગટ રીતે તેવા અક્ષરો છે. વળી જિનેશ્વર ભગવંત કીર્તિ માટે દાન આપતા નથી. તે વિષે કહ્યું છે કેधर्मप्रभावनाबुद्ध्या, लोकानां चानुकंपया । जिना ददति तद्दानं, न तु कीर्त्यादिकांक्षिणः ॥ १ ॥ “ધર્મની પ્રભાવના કરવાની બુદ્ધિથી અને લોકો ઉપરની અનુકંપાથી તીર્થંકર ભગવંત દાન આપે છે; કીર્તિ વગેરેની ઇચ્છાથી આપતા નથી.’’ હવે દીક્ષા કલ્યાણકનું વર્ણન કરે છે– प्राप्यानुज्ञां ललौ दीक्षां पित्रादेस्तदनु प्रभुः । शक्रभूपादिभिर्भक्त्या, कृतनिष्क्रमणोत्सवः ॥ १ ॥ ‘‘દાન દીધા પછી માતાપિતાની અનુજ્ઞા લઈને જેમનો શક્ર ઇંદ્ર તથા રાજા વગેરેએ ભક્તિથી નિષ્ક્રમણોત્સવ કરેલો છે એવા પ્રભુ દીક્ષા લે છે.’’ ઇંદ્ર અને રાજા વગેરેએ કરેલો દીક્ષામહોત્સવ આ પ્રમાણે હોય છે. દીક્ષાને દિવસે સ્વજનો બઘું નગર ઘ્વજશ્રેણી વગેરેથી અલંકૃત કરાવે છે. તે અવસરે ચોસઠ ઇંદ્રો આસનકંપથી પ્રભુનો દીક્ષાસમય જાણી ત્યાં આવે છે. પછી પૂર્વે કહ્યા પ્રમાણે આઠ જાતિના કળશ તથા પૂજાનાં ઉપકરણો આઠ આઠ હજાર કરાવે છે. પ્રભુનો સ્વજનવર્ગ પણ આઠે પ્રકારના કળશ કારીગરો પાસે કરાવે છે. તે મનુષ્યકૃત કળશની અંદર દિવ્ય કળશ પ્રવેશ કરે છે એટલે દિવ્યશક્તિથી તે ઘણા શોભે છે. પછી ઇંદ્રો તથા સ્વજનો દેવતાઓએ લાવેલાં તીર્થજળ ઔષધિ તથા મૃત્તિકા વગેરેથી પ્રભુને અભિષેક કરે છે. પછી ગંધકષાયી વસ્ત્ર વડે પ્રભુનાં અંગ પૂંછે છે. પછી યથાસ્થાને પ્રકાશિત આભૂષણો પહેરાવી લક્ષ્ય મૂલ્યનાં સદશ` વસ્ત્ર ધારણ કરાવે છે. પછી સેંકડો રત્નમય સ્તંભવાળી એક પાલખી સ્વજનો કારીગર પાસે કરાવે છે. દેવતાઓએ કરેલી દિવ્ય પાલખી તે પાલખીમાં મિશ્ર થઈ જવાથી અધિક શોભે છે. પછી છઠ્ઠ વગેરે તપથી અલંકૃત એવા પ્રભુ તે પાલખીમાં સિંહાસન ઉપર પૂર્વાભિમુખે બેસે છે. પ્રભુની દક્ષિણ બાજુએ કુળની વડીલ સ્ત્રી બેસે છે, વામ બાજુ હંસના ચિત્રવાળું વસ્ત્ર હાથમાં લઈ ઘાવમાતા બેસે છે. પૃષ્ઠ ભાગે એક તરુણ સ્ત્રી છત્ર ધરીને બેસે છે. ઈશાનકોણમાં એક રમણી પૂર્ણ કળશ લઈને બેસે છે. પછી સ્વજનની આજ્ઞાથી સરખેસરખા વેશ અને શરીરવાળા સહસ્ર પુરુષો તે શિબિકાને ઉપાડે છે. ૧ બન્ને બાજુ છેડાવાળા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy