SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૦૦] દીક્ષા કલ્યાણક ૧૭૭ ભાવાર્થ-જગતમાં સર્વોત્કૃષ્ટ સૌંદર્યવાળા અને બાલ્યવયમાં પણ અબાળ બુદ્ધિવાળા પ્રભુ યૌવનવયથી પ્રકાશિત થયા છતાં પણ જિતેંદ્રિય અને સ્થિર આત્માવાળા હોય છે.” તેઓ સંસારના સુખમાં આસક્ત થતા નથી. કહ્યું છે કે बहिरागं दर्शयंतोऽप्यंतः शुद्धाः प्रवालवत् । प्राप्तेऽपि चक्रभृद्राज्ये, न व्यासक्ता भवंति ते ॥१॥ “તેઓ બહારથી રાગ દર્શાવે છે, પણ અંતઃકરણમાં પ્રવાળાની જેમ નિર્મળ હોય છે. કદી ચક્રવર્તીનું રાજ્ય મળે તથાપિ તેઓ તેમાં આસક્ત થતા નથી.” હવે લોકાંતિક દેવતાનું કૃત્ય કહે છે–તીર્થકરો પોતાની દીક્ષાનો અવસર જ્ઞાનથી જાણે છે, તથાપિ તે સમયે લોકાંતિક દેવતા આવી નમસ્કાર કરીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરે છે– હે જગદ્ગુરુ! તમે જય પામો અને ત્રણ લોકના ઉપકાર માટે ઘર્મતીર્થ પ્રવર્તાવો.” - હવે વર્ષીદાનનો વિધિ કહે છે–દીક્ષા લેવાના દિવસને એક વર્ષ બાકી રહે એટલે તીર્થંકર પ્રભુ ચાર પ્રકારના ઘર્મમાં દાનઘર્મને મુખ્ય માની વાર્ષિક દાન આપે છે. તે દાન આપવાનો પ્રકાર આ પ્રમાણે હોય છે–જ્યારે ભગવંત વર્ષીદાન આપવાનો વિચાર કરે તે અવસરે આસનકંપથી શક્ર ઇદ્ર અવધિજ્ઞાન વડે તે વિચાર જાણે. પછી ત્રણે કાળમાં ઉત્પન્ન થતા ઇકોનો એવો આચાર છે કે “પ્રભુને દીક્ષા અવસરે વાર્ષિક દાન આપવા માટે ત્રણસો ને અઠ્યાસી કોટી તથા એંશી લાખ સુવર્ણ તેમને પૂરું પાડવું' એવો નિશ્ચય કરી કુબેરને તેટલું દ્રવ્ય પૂરવા આજ્ઞા આપે. પછી ઘનદની આજ્ઞાથી જંભક દેવતાઓ તેટલું દ્રવ્ય પ્રભુના ઘરમાં લેપન કરે. અહીં વૃદ્ધ પુરુષોનાં મુખથી એમ પણ સાંભળ્યું છે કે એંશી રતિનો એક સોનૈયો થાય છે, તેમાં પ્રભુનું પોતાનું અને પિતાનું નામ હોય છે. એક દિવસના દાનમાં આપેલા સોનૈયાનું તોલ નવ હજાર મણ થાય છે. ચાળીશ મણનું એક ગાડું ભરાય છે, તેથી બસો ને પચીશ ગાડાં ભરાય તેટલાં સુવર્ણનું દાન દરરોજ આપે છે. એટલે હમેશાં એક કોટી ને આઠ લાખ સુવર્ણનું દાન આપે છે. વાર્ષિક દાનમાં જોઈએ તેટલા સોનૈયા ઇંદ્રની આજ્ઞાથી વૈશ્રવણ લોકપાળ આઠ સમયમાં તૈયાર કરી તીર્થંકરના ગૃહમાં સ્થાપન કરે છે. દાનના છ અતિશય છે તે આ પ્રમાણે-(૧) દાન દેતી વખતે પ્રભુના હાથમાં સૌઘર્મ ઇંદ્ર દ્રવ્ય આપે છે કે જેથી દાન આપતાં પ્રભુને શ્રમ ન થાય. જો કે જિનેંદ્ર ભગવાન તો અનંત બળવાળા હોય છે, તથાપિ ભક્તિની બુદ્ધિથી ઇંદ્ર એ પ્રમાણે કરે છે. (૨) ઈશાન ઇંદ્ર હાથમાં સુવર્ણની યષ્ટિકા લઈને પાસે ઊભા રહે છે, તે ચોસઠ ઇંદ્રો સિવાય બીજા દેવોને દાન લેતાં નિવારે છે અને દાન લેનારનું કેવું ભાગ્ય હોય છે તેવું જ તેના મુખથી વાક્ય ઉચ્ચરાવે છે, (માગણી કરાવે છે) (૩) ચમરેંદ્ર અને બલીંદ્ર પ્રભુની મુષ્ટિમાં રહેલા સોનૈયામાં દાન લેનારા પુરુષોની ઇચ્છાનુસાર જૂનાવિકતા કરે છે. જો યાચકની ઇચ્છાથી અધિક હોય તો ન્યૂન કરે છે અને ઇચ્છાથી ન્યૂન હોય તો અધિક કરે છે. (૪) બીજા ભુવનપતિઓ ભરતખંડમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોને દાન લેવા માટે ખેંચી લાવે છે. (૫) વાણવ્યંતર દેવતાઓ દાન લઈને જનારા માણસોને પાછા નિર્વિઘ સ્વસ્થાને પહોંચાડે છે. (૬) જ્યોતિષ્ક દેવતાઓ વિદ્યાઘરોને વાર્ષિક દાનનો સમય જણાવે છે. ૧ વૈશ્રવણ, ઘન, કુબેર એ ત્રણે પર્યાયી નામ ઇંદ્રના એક લોકપાલના છે. ૨ આઠ સમયમાં કરી શકવાનું છાને માટે અશક્ય લાગે છે. [ભાગ ૩–૧રો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy