SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૦૨] સમવસરણ ૧૮૫ ઉપર ચડી નીચે રહેલા લોકોના ઉપકાર માટે ઉપરથી ફળની વૃષ્ટિ કરે છે અને નીચે ઊભા રહેલા લોકોમાંથી કોઈ ને પડતા ફળોને વસ્ત્રમાં ઝીલી લે છે અને પછી તેવડે પોતાને અને બીજાઓને પ્રસન્ન કરે છે, તેમ શ્રી જિનેશ્વર ભગવંત જ્ઞાનરૂપ કલ્પવૃક્ષ ઉપર રહી ભવ્ય પ્રાણીઓના હિત માટે અર્થની વૃષ્ટિ કરે છે. તેમાંથી કાંઈક ગણઘરો બુદ્ધિરૂપ વસ્ત્રમાં ઝીલી લે છે. પછી તેના વડે દ્વાદશાંગીની રચના કરી તેઓ પોતાના આત્માનો અને બીજાઓનો અનુગ્રહ કરે છે. જેમ ફળ જુદાં જુદાં પડ્યાં હોય તે નીચે રહેલા સર્વનો એક સરખો ઉપકાર ન કરે પણ ભેળાં કરીને આપવાથી સર્વનો ઉપકાર કરે તેમ જુદા જુદા અર્થને એકત્ર સૂત્રરૂપે ગૂંથવાથી તે સર્વનો ઉપકાર કરે છે. હવે સમવસરણમાં પ્રભુના કેટલાં રૂપ થાય છે તે કહે છે-“પૂર્વ દિશાએ પ્રભુ મૂળ રૂપે બિરાજે છે અને બીજી ત્રણ દિશાઓમાં દેવતાઓ પ્રભુના મહિમાથી ભગવંતના જેવાં જ ત્રણ બીજાં રૂપ રચે છે.” જો કે બાકીની દિશાઓમાં દેવતા અહંતની પ્રતિકૃતિ રચે છે તો પણ તે રૂપ એવાં હોય છે કે જોનારને તે કૃત્રિમ છે કે અકૃત્રિમ છે તેની ખબર પડતી નથી, કારણ કે તે મૂળસ્વરૂપથી કિંચિત્ પણ ભિન્ન હોતાં નથી. તે રૂ૫ કૃત્રિમ છતાં જિનેશ્વરના જેવાં જ થાય છે, એ જિનેશ્વરનો જ પ્રભાવ છે. અન્યથા સર્વ દેવ એકઠા થાય અને સર્વ શક્તિ વાપરે તો પણ પ્રભુના અંગૂઠા જેવું રૂપ પણ તેમનાથી થઈ શકે નહીં. તે વિષે શ્રી ભક્તામર સ્તોત્રમાં કહ્યું છે કે यैःशांतरागरुचिभिः परमाणुभिस्त्वं, निर्मापितस्त्रिभुवनैकललामभूतः। तावंत एव खलु तेऽप्यणवः पृथिव्यां, यत्ते समानमपरं नहि रूपमस्ति । હે ત્રિભુવનમાં અદ્વિતીય તિલકરૂપ પ્રભુ! શાંતરાગરુચિવાળા જે પરમાણુઓથી તમે નિર્માણ થયેલા છો તે પરમાણુ પૃથ્વીમાં તેટલાં જ છે, જેથી તમારા સમાન બીજું કોઈ રૂપ પૃથ્વી પર છે નહીં.” પ્રભુના રૂપનું વર્ણન શ્રી આવશ્યકનિર્યુક્તિમાં પણ કરેલું છે. તેમાં કહ્યું છે કે “અહંતનું સ્વરૂપ વાણીથી અગોચર છે. (કહી શકાય તેમ નથી.) તેથી અનંતગુણહીન એવું ગણઘરનું સ્વરૂપ હોય છે. તેમનાથી આહારક શરીર અનંતગુણહીન હોય છે. તેનાથી અનંતગુણહીન અનુત્તર વિમાનના દેવતાઓનું શરીર હોય છે. તેથી અનુક્રમે ઊતરતાં ઊતરતાં વ્યંતર દેવતા સુધીનું શરીર અનંત અનંતગુણહીન હોય છે. તેમનાથી ચક્રવર્તીનું, તેમનાથી વાસુદેવનું, તેમનાથી બલદેવનું અને તેમનાથી મંડલિક રાજાનું શરીર અનંત અનંત ગુણહીન સમજવું. તેથી બાકી રહેલા રાજાઓ અને સર્વ લોકોના શરીરમાં પરસ્પર છ સ્થાન પડે છે તે આ પ્રમાણે-અનંત ભાગહીન, અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન, અસંખ્યાત ગુણહીન અને અનંત ગુણહીન હોય છે.” શ્રી તીર્થંકરનું સ્વરૂપ સર્વને વૈરાગ્ય ઉત્પન્ન કરનારું હોય છે; રાગાદિ વઘારનારું હોતું નથી. હવે સમવસરણમાં પર્ષદાનાં સ્થાન કહે છે-“દેશના સાંભળવાની સ્પૃહાવાળી અને મનવચન-કાયાના પ્રશસ્ત યોગથી પ્રકાશિત એવી બાર પર્ષદા સમવસરણમાં પોતપોતાને સ્થાનકે બેસે છે. તે પર્ષદાને બેસવાનાં સ્થાન આ પ્રમાણે છે–જ્યેષ્ઠ અને બીજા ગણધરો હોય છે તે પ્રભુની સમીપે અગ્નિકોણમાં સર્વની આગળ બેસે છે. કેવળી, ભગવંતને ત્રણ પ્રદક્ષિણા કરી તીર્થને નમસ્કાર કરી પોતાનું ગૌરવ સાચવીને પદસ્થ એવા ગણઘરોની પાછળ બેસે છે. તેઓ પ્રભુને વાંદતા નથી, તેના કારણમાં કહ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy