SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૯૮] જન્મકલ્યાણક વર્ણન ૧૬૯ છે. શાંતિનાથ પ્રભુના શીલવતી માતા અચિરાએ રાત્રિના શેષ ભાગે બે વાર ચૌદ સ્વપ્નો જોયા હતાં, એમ વૃદ્ધ શત્રુંજયમાહાત્મ્યમાં કહેલું છે. વાસુદેવની માતા એ ચૌદ સ્વપ્નમાંથી કોઈ પણ સાત સ્વપ્ન જુએ છે, બલદેવની માતા તેમાંથી ચાર સ્વપ્ન જુએ છે, માંડલિક રાજાની માતા તેમાંથી એક સ્વપ્ન જુએ છે, પ્રતિવાસુદેવની માતા તેમાંથી ત્રણ સ્વપ્ન જુએ છે અને કોઈ મહાત્મા મુનિની માતા તેમાંથી એક સ્વપ્ન જુએ છે, જેમ મેધકુમાર વગેરેની માતાએ જોયું હતું તેમ સ્વબુદ્ધિથી જાણી લેવું. હવે પ્રસ્તુત વિષયના સંબંધમાં કહે છે કે “ત્રણ જ્ઞાનવાળા શ્રી જિનેશ્વર ભગવંત પણ ગર્ભરૂપે આવીને રહે છે. અહો! જગતનો પ્રવાહ જિનેશ્વરોએ પણ ઉલ્લંઘન કર્યો નથી.’’ સ્વર્ગથી ચવીને જો કે ગર્ભમાં ગુપ્તપણે રહે છે તો પણ આખા વિશ્વમાં પ્રગટ થાય છે અને ઇંદ્રાદિ તેમની સ્તુતિ કરે છે. ~500 વ્યાખ્યાન ૧૯૮ જન્મકલ્યાણક વર્ણન સર્વે જિન ત્રણ જ્ઞાનસહિત જન્મે છે તે વિષે કહે છે– स्वर्गाद्वा नरकाद्वा ये, यस्मादायांति तीर्थपाः । ज्ञानत्रयं ते तत्रैत्य, बिभ्रते गर्भगा अपि ॥ १ ॥ ભાવાર્થ-તીર્થંકર સ્વર્ગથી કે નરકથી આવે પણ તે ગર્ભમાંથી જ ત્રણ જ્ઞાનને ધારણ કરનારા હોય છે.’’ અહીં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન સમજવા. તે ત્રણ જ્ઞાન બીજા દેવતાઓ કરતાં તીર્થંકર થનારા દેવતાઓને અનંતગુણ શ્રેષ્તર હોય છે અને તેવા ત્રણ જ્ઞાન સાથે જ તે ગર્ભમાં આવીને અવતરે છે. જ્યારે જિનેશ્વર ગર્ભમાં અવતરે ત્યારે તે ગર્ભના પ્રભાવથી માતાનું શરીર સ્વચ્છ પુદ્ગલમય તથા સુગંધમય થાય છે. બીજી માતાઓની જેમ ગર્ભસ્થળ બિભત્સ દેખાતું નથી. જિનેશ્વરને ઉત્પન્ન થવા યોગ્ય ગર્ભસ્થાન કસ્તૂરી બરાસ કરતાં પણ અત્યંત સુગંધી હોય છે. ત્યાં પ્રભુનો જીવ મુક્તાફળ અથવા હીરાની જેમ ઉત્પન્ન થાય છે. તે સ્થાનકે અશુભ પુદ્ગલની સ્થિતિ કે સંચય થતો નથી. માતા જે આહાર લે છે તે પણ શુભ રૂપે પરિણામ પામે છે. પ્રભુના પ્રભાવથી, મેઘે ગ્રહણ કરેલ ક્ષાર જળ પણ જેમ મઘુર થાય છે તેમ સર્વ પુદ્ગલ નિર્મળ થઈ જાય છે. વળી પ્રભુ ગર્ભમાં આવી ગયા પછી તે માતાના ગર્ભમાં પુનઃ બીજો જીવ ઉત્પન્ન થતો નથી અર્થાત્ ત્યાર પછી ગર્ભસ્થિતિ જ થતી નથી. તેથી સ્તુતિને અગોચર દિવ્યરૂપ એવા યોનિક્ષેત્રમાં બીજી અસંખ્યાત સ્ત્રીઓને તજી દઈને પ્રભુ ઊપજે છે. અર્થાત્ પુણ્યના પાત્રરૂપ, ઉભય કુળ શુદ્ધ, ધર્મધ્યાનમાં તત્પર, અનંત ધર્મકાર્યના પ્રભાવે જેણે સ્ત્રીપણું પ્રાપ્ત કરેલ છે, જે અગણિત પુણ્યવાળી તથા લાવણ્યવતી છે અને જે બાલ્યવયથી શીલધર્મની ધુરાને ઘરનારી હોય છે તેવી સ્ત્રીને જ જિનેશ્વર માતારૂપે સ્વીકારે છે અને તે જિનમાતા પણ એવા પ્રભાવિક પુત્રને પ્રગટ કરવા માટે પ્રબળ પુણ્યાઢ્યા હોવાથી જ જગત્ પતિજનનીનું બિરુદ ધારણ કરે છે. તે વિષે શ્રી ભક્તામરસ્તોત્રમાં કહેલું છે કે– स्त्रीणां शतानि शतशो जनयंति पुत्रान् नान्या सुतं त्वदुपमं जननी प्रसूता । Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy