SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૪ ગુણોથી સંપન્ન એવી રાણીની કુક્ષિમાં અવતરે છે. જો કે દરેક દેવતાનું જ્યારે છ માસનું આયુષ્ય બાકી રહે છે ત્યારે તેને આ પ્રમાણે ચિહ્ન થાય છે—પુષ્પની માળા ગ્લાનિ પામે, કલ્પવૃક્ષ કંપે, લક્ષ્મી તથા લજ્જાનો નાશ થાય, વસ્ત્ર મેલાં દેખાય, દીનપણું આવે, આલસ થાય, કામ–રાગ વધે, અંગ ભાંગે, સૃષ્ટિમાં ભ્રમ થાય, શરીર કંપે અને અરિત ઊપજે; તથાપિ તીર્થંકર થનારા દેવતા તો પુણ્યના ઉત્કર્ષપણાથી ઊલટા વિશેષ કાંતિ વિજ્ઞાનાદિયુક્ત થાય છે. કહ્યું છે કે “તીર્થંકર થનારા દેવતાનું તેજ ચ્યવવા સુધી વધતું જાય છે. બીજા દેવતાઓની જેમ તેમને ચ્યવન સંબંઘી દૂષિત ચિહ્નો થતાં નથી.'' બીજા દેવતાઓમાંથી કેટલાક ઉપર કહેલાં ચિહ્નો જ્યારે જુએ છે ત્યારે આ પ્રમાણે ચિંતવે છે—‘અહો! અમારું આવું સુખ ચાલ્યું જશે? દુર્ગંધથી ભરેલું ગર્ભ વગેરેનું દુઃખ પ્રગટ થશે? અરે ! આ અમારી દેવાંગનાનો સ્વામી કોણ થશે?’’ આ પ્રમાણે ચિંતવીને તેઓ આક્રંદ કરે છે અને શોકમગ્ન થાય છે. જેઓ પરમાર્થને જાણનારા સુલભબોઘી હોય છે તેઓ પોતાના આત્માની તેવા પ્રકારની વિડંબના કરતા નથી. કેટલાક તો ભાવીભાવ માનીને આ પ્રમાણે ચિંતવે છે કે ‘ક્યારે અમે મનુષ્યપણું પામીને જિનમાર્ગને અનુસરીશું?’ અહીં એટલું વિશેષ જાણવાનું કે ચ્યવવાનો કાળ એક સમયનો હોવાથી સૂક્ષ્મ છે અને છદ્મસ્થપણાના જ્ઞાનનો ઉપયોગ જઘન્યથી પણ અંતર્મુહૂર્તનો હોય છે, તેથી ચ્યવનના સમયની ખબર પડતી નથી. હવે ચ્યવનકલ્યાણકનો મહિમા કહે છે–તીર્થંકરનો જીવ ચ્યવવાનો હોય છે ત્યારે પૃથ્વી ઉપર અશિવ ઉપદ્રવ વગેરે શમી જાય છે અને નારકીનો જીવ પણ ક્ષણવાર સુખ મળવાથી હર્ષ પામે છે. જ્યારે તીર્થંકરરૂપ સૂર્ય ઉદય થવાને સન્મુખ થાય છે ત્યારે ઇંદ્રો આસનકંપથી તે હકીકત જાણીને હર્ષ પામે છે. પછી તત્કાળ સિંહાસન ઉપરથી ઊઠી, વિનયથી પાદુકા છોડી દઈ, શ્રી જિનેશ્વરની દિશાની સન્મુખ સાત આઠ પગલાં ચાલે છે. પછી પંચાંગ પ્રણિપાત વડે શ્રી જગદીશ્વરને નમી અંજલિ જોડી શક્રસ્તવ વડે સ્તુતિ કરે છે. શ્રી આવશ્યકની વૃત્તિમાં શ્રી ઋષભપ્રભુના ગર્ભાવતારના સંબંધમાં શ્રી હરિભદ્રસૂરિ કહે છે કે “શકેંદ્ર આસનકંપથી પ્રભુ ચવ્યા એમ જાણી સત્વર ત્યાં આવે અને યાવત્ જિનેશ્વરની માતાને કહે કે તમારો પુત્ર ધર્મચક્રવર્તી થશે.'' કેટલાક કહે છે કે બત્રીશ॰ ઇંદ્ર આવીને તે પ્રમાણે કહે.’ એવી રીતે પ્રથમ કલ્યાણકના ઉત્સવની પદ્ધતિ બહુશ્રુત વિદ્વાનો પાસેથી જાણી લેવી. હવે ગર્ભવાસમાં જિનેશ્વર આવતાં તેમની માતાને જે થાય તે કહે છે—તે અવસરે સ્વર્ગભવન જેવા વાસગૃહમાં સ્વર્ગની શય્યા જેવી શય્યા ઉપર મૃગાક્ષી જિનમાતા સૂતા હોય છે. તેઓ નીરોગી અને સમઘાતુપણામાં પ્રસન્ન ચિત્તથી રાત્રે સાક્ષાતૂની જેમ ચૌદ સ્વપ્ર જુએ છે. તે ચૌદ સ્વપ્રનું વર્ણન પ્રખ્યાત છે, તેથી અહીં લખતા નથી. બીજા ઉત્તમ પુરુષોની માતા કેટલાં સ્વપ્રો જુએ છે, તે વિષે કહેલું છે કે ચક્રવર્તીની માતા જિનેશ્વરની માતાની જેમ તે જ ચૌદ સ્વપ્નો જુએ છે પણ તે જિનમાતાની અપેક્ષાએ કંઈક ન્યૂન કાંતિવાળા જુએ છે. જેનો પુત્ર એક જ જન્મને વિષે ચક્રી અને તીર્થંકર થવાનો હોય તેની માતા તે ચૌદ સ્વપ્નો બે વાર જુએ છે, એમ પૂર્વાચાર્યોએ કહેલું ૧. અહીં બત્રીશ ઇંદ્ર વ્યંતર સિવાયની ત્રણ નિકાયના જાણવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy