SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તંભ ૧૪ વ્યાખ્યાન ૧૯૬ તીર્થંકરનામકર્મના હેતુ તીર્થંકરનામકર્મને ઉપાર્જન કરવાના હેતુઓ કહે છે– सर्वे तीर्थंकरास्तु स्युरितस्तृतीयजन्मनि । विंशत्या सेवितैः स्थानैस्तीर्थकृन्नामहेतुभिः ॥ ભાવાર્થ-સર્વે તીર્થંકરો તીર્થંકરનામકર્મના હેતુરૂપ વીશસ્થાનક તપના સેવવાથી ત્યાર પછીના ત્રીજે ભવે તીર્થંકર થાય છે.’’ વિશેષાર્થ-સર્વ એટલે પૂર્વે અતીત કાળે થઈ ગયેલા અનંતા તીર્થંકરો તે સર્વે પાછલે ત્રીજે ભવે વીશ સ્થાનકની આરાધના વડે તીર્થંકર થયા છે; એટલે જે જીવ તીર્થંકરનામગોત્રને બાંધે છે તે એ વીશ સ્થાનકમાંથી એક બે ત્રણ વગેરે સ્થાન અથવા સર્વ સ્થાન સેવવાથી તીર્થંકરનામકર્મ ઉપાર્જે છે. તે જીવો એટલે પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદવાળા જીવો સમજવા. તેમાં નપુંસક કૃત્રિમ સમજવા, સ્વભાવથી નપુંસકવેદી સમજવા નહીં. શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું છે કે “નિશ્ચયે મનુષ્યગતિમાં વર્તતો સ્ત્રી, પુરુષ અથવા નપુંસકવેદી વિશુદ્ધ લેશ્યાવાળો કોઈ પણ જીવ ઘણા પ્રયાસે વીશ સ્થાનકમાંના કોઈ પણ પદને આરાધવાથી જિનનામ ઉપાર્જે છે.’” તે વીશ સ્થાનક શ્રી જ્ઞાતાસૂત્રમાં આ પ્રમાણે કહેલાં છે—અરિહંત, સિદ્ધ, પ્રવચન, આચાર્ય (ગુરુ), સ્થવિર, ઉપાધ્યાય (બહુશ્રુત) અને તપસ્વી એટલે સાધુ; આ સાત પદ તથા આઠમું જ્ઞાન, નવમું દર્શન, દશમું વિનય, અગિયારમું ચારિત્ર, બારમું શીલ (બ્રહ્મચર્ય), તેરમું નિરતિચાર ક્રિયા, ચૌદમું તપ, પંદરમું દાન, સોળમું વૈયાવૃત્ય, સત્તરમું સમાઘિ, અઢારમું અપૂર્વ જ્ઞાનનું ગ્રહણ, ઓગણીશમું શ્રુતભક્તિ અને વીશમું શાસનની પ્રભાવના–આ વીશે સ્થાનક આરાઘવાથી જીવ તીર્થંકરપણું પામે છે. અરિહંત નામાદિ ચાર નિક્ષેપા વડે સેવવા, તથા નિષ્પન્ન થયેલા ગુણવાળા, કર્મમળથી રહિત, પાછું ફરીને સંસારમાં આવવું ન પડે તેવી ગતિને પામેલા, સર્વ કાર્ય પતાવી, ઉદ્યોગમાત્ર પૂર્ણ કરી, નિશ્ચિંત થઈને સુખે સૂનાર ગૃહસ્થની જેમ ફરીને ન કરવાં પડે તેવી રીતે સંસારનાં સર્વ કાર્ય સમાપ્ત કરી, પરમ સુખનો અનુભવ કરવાને માટે શાશ્વતપદને જે પ્રાપ્ત થયેલા છે તે સિદ્ધ જાણવા. તેવા સિદ્ધનું ધ્યાન કરવું. પ્રવચન એટલે સર્વશ્રુતના આધારભૂત ચાર પ્રકા૨નો સંઘ સમજવો. ગુરુ એટલે બારસો ને છઠ્ઠું ગુણથી અલંકૃત એવા આચાર્ય મહારાજ જાણવા. સ્થવિર એટલે વૃદ્ધ. તે ત્રણ પ્રકારના છે. જેમની વય સાઠ વર્ષની થઈ હોય તે વયસ્થવિર, દીક્ષા લીધા વીશ વર્ષ થયાં હોય તે પર્યાયસ્થવિર અને જે સમવાયાંગ સૂત્રના અર્થ પર્યંત જાણનાર હોય તે શ્રુતસ્થવિર—એમ ત્રણ પ્રકારના સ્થવિર જાણવા. બહુશ્રુત એટલે તે સમયમાં વર્તતા એવા ઘણા શ્રુતને જાણનાર અથવા ઉપ એટલે જેની સમીપે રહીને અધ્યયન થાય તે ઉપાધ્યાય અથવા વાચક જાણવા. અનશન વગેરે વિચિત્ર પ્રકારના ઉગ્ર તપ કરનાર મુનિ તે સાધુ જાણવા. આ સાત સ્થાનનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy