SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૪ વાત્સલ્ય કરવું એટલે તેમના યથાર્થ ગુણનું વર્ણન કરવું અને તેમના પર ભક્તિરાગ રાખવો. હમેશાં જ્ઞાનનો ઉપયોગ ઘારણ કરવો તે આઠમું સ્થાનક. તત્ત્વ ઉપર શ્રદ્ધા રાખવી તે સમ્યક્દર્શન, વિનય, આવશ્યક ક્રિયામાં વર્તવું તે ચારિત્ર, શીલવ્રત, તેરમું ક્ષણલવ (નિરતિચાર ક્રિયા) નામે સ્થાન, એટલે પ્રતિક્ષણે પ્રતિલવે વૈરાગ્યભાવયુક્ત ક્રિયા કરવી તે. તપ અનેક પ્રકારના સમજવા. ત્યાગ (દાન) સ્થાન તે ગૌતમ વગેરેને યથાયોગ્યપણે અન્નાદિ આપવું. બાલ, ગ્લાન વગેરેની સેવા તે વૈયાવૃત્ય નામે સોળમું સ્થાન. તે વિષે શ્રી પ્રશ્નવ્યાકરણમાં કહ્યું છે કે “કઈ રીતે એ વ્રતને આરાધે તે કહે છે—ઉપઘિ, ભાત, પાણી વગેરેના સંગ્રહમાં તથા દાનમાં કુશળ એવો મુનિ અત્યંત બાળ, દુર્બળ, વૃદ્ધ, ક્ષપક, પ્રવર્તક, આચાર્ય, ઉપાધ્યાય, સાધર્મી, તપસ્વી, કુળ, ગણ, સંઘ ને ચૈત્ય–એ સર્વ મળી તેર પદની દશ પ્રકારની વૈયાવચ્ચ અવિશ્રાંતપણે બહુ રીતે કરે.’’ અહીં કોઈ શંકા કરે કે જિનપ્રતિમાને ઉપઘિ વગેરેનું દાન દેવાનો સંભવ નથી તો ચૈત્યનું વૈયાવૃત્ય શી રીતે કરે? તેના સમાધાનમાં કહેવાનું કે ‘કોઈ યક્ષ મારી વૈયાવૃત્ય કરે છે તેથી તેણે આ કુમારોને હણ્યા છે.’’ આવું હરિકેશી મુનિનું વચન છે તે પ્રમાણે ચૈત્યની અવજ્ઞા કરતા હોય તેમને નિવારવાથી પણ ચૈત્યનું વૈયાવૃત્ય થાય છે. સત્તરમું સમાધિ સ્થાન એટલે દુર્ધ્યાન છોડી ચિત્તની સ્વસ્થતા કરવી. તે સ્વસ્થતા ચારિત્ર, વિનય વગેરેથી થાય છે. અપૂર્વ જ્ઞાન ગ્રહણ કરવાનો આદર તે અઢારમું સ્થાન છે. શ્રુતનું બહુમાન કરવું તે ઓગણીશમું સ્થાન છે અને પ્રવચનની પ્રભાવના કરવી, તીર્થનો ઉદ્યોત કરવો તે વીશમું સ્થાન છે. એ સ્થાન વડે જીવ પ્રભુપણાને પામે છે. એ તપનો વિધિ સંપ્રદાયથી આ પ્રમાણે છે–‘વીશ સ્થાનકનું તપ કરવું હોય તો વીશ ઉપવાસ કરવાથી તે તપની એક પંક્તિ સમાપ્ત થાય છે. જો ઉપરાઉપરી વીશ ઉપવાસ કરવાની શક્તિ ન હોય તો આંતરે આંતરે ઉપવાસ કરી છ માસની અંદર તો એક પંક્તિ પૂર્ણ કરવી જ જોઈએ. એવી એકંદર વીશ પંક્તિ વડે એ તપ પૂર્ણ થાય છે, એટલે તેમાં એકંદર ચારસો ઉપવાસ થાય છે. એ પ્રમાણે શક્તિને અનુસારે વીશ વીશ છઠ્ઠ, અઠ્ઠમ વગેરેથી માંડીને વીશ વીશ માસક્ષપણ કરવા સુધીનું તપ પ્રાજ્ઞ પુરુષો કરે છે. તે તપમાં જે દિવસે તપ કરે તે દિવસે પાંચ નમ્રુત્યુર્ણના પાઠવાળું ઉત્કૃષ્ટ ચૈત્યવંદન અવશ્ય વિધિ વડે કરવું જોઈએ. તેની એક એક પંક્તિમાં એક એક દિવસ વડે ભક્તિપૂર્વક એકેક સ્થાનક આરાધીને એકંદર વીશે સ્થાનકની આરાધના કરવી. પ્રથમ દિવસે “નમોડóભ્યઃ’’ એ પદના બે હજાર જાપ કરવા અને અદ્વૈતની ભક્તિ સ્તવન વગેરેથી વિશેષપણે કરવી. બીજા દિવસોમાં પ્રથમ કહેલા સિદ્ધ વગેરે સ્થાનો ક્રિયા, જ્ઞાન તથા જ્ઞાનાભ્યાસના આદર વગેરેથી આરાધવાં. કેટલાક તો એક એક પંક્તિથી (વીશે દિવસ) એક એક સ્થાન એમ વીશ પંક્તિ વડે વીશ સ્થાનક આરાઘે છે. સાંપ્રતકાળે તે જપ કરવાના પદ સંપ્રદાયથી જાણી લેવા. જો સંપૂર્ણ તપ કરવાને અશક્ત હોય તો એક સ્થાન, બે સ્થાન અથવા બધા સ્થાનો સ્કુરાયમાન ભક્તિ વડે શ્રેણિક રાજા વગેરેની જેમ યથાશક્તિ સેવવાં. એવી રીતે સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા આ સ્થાનકોને આરાધવાથી તીર્થંકરપણાની ઉત્તમ સંપત્તિને પામે છે.’ જિતેંદ્રના ભવની પૂર્વે ત્રીજા ભવમાં તીર્થંકરગોત્ર બાંધ્યાં પછી ક્યાં જાય તે કહે છે—તીર્થંકરપદને ઉપાર્જન કર્યું છે જેણે એવા જીવ વૈમાનિક દેવતા થાય છે. પરંતુ કોઈ જીવ પૂર્વે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy