SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ 3 [સ્તંભ ૧૩ નવકારનું એક પદ પચાસ સાગરોપમનું પાપ ટાળે છે અને સમગ્ર નવકાર પાંચસો સાગરોપમનું પાપ ટાળે છે. જે પ્રાણી એક લાખ નવકાર ગણે અને નવકારમંત્રની વિધિથી પૂજા કરે તે તીર્થંકરનામગોત્રને બાંધે છે તેમાં જરા પણ સંદેહ નથી. જે કોઈ આઠ કરોડ, આઠ લાખ, આઠ હજાર, આઠ સો ને આઠ નવકાર ગણે તે ત્રીજે ભવે સિદ્ધિપદને પામે છે. હમેશાં નવકારની છૂટી પચાસ માળા ગણે તો સાડા પાંચ વર્ષે એક કોટી જાપ થાય છે અને બાંધેલી છ માળા ગણે તો પાંચ વર્ષે એક કોટી જાપ થાય છે. તેની સંખ્યાની ઘારણા બરાબર કરવી. આ લોક સંબંધી ફળ આ પ્રમાણે છે–અવળી રીતે (પશ્ચાનુપૂર્વી વડે) એક લાખ નવકાર ગણવાથી તત્કાળ સાંસારિક ક્લેશનો નાશ થઈ જાય છે. જો માત્ર હાથ વડે જાપ વગેરે કરવામાં અશક્ત હોય તો તેણે સૂત્ર વા રત્નાદિકની જપમાળા (નવકારવાળી) હૃદયની સમશ્રેણીએ રાખી, પહેરવાના વસ્ત્રને ફરસે નહીં તેમ, મેરુનું ઉલ્લંઘન કર્યા વગર-ઇત્યાદિ વિધિ વડે જાપ કરવો. પૃથ્વી પ્રમાર્જી, કટાસણે બેસી અને મુખે વસ્ત્ર રાખી જો જાપ કર્યો હોય તો તે જાપ સ્વાધ્યાયની ગણનામાં આવે છે. જાપના સંબંઘમાં કહ્યું છે કે અંગુલીના અગ્ર ભાગ વડે, મેરુનું ઉલ્લંઘન કરીને અને વ્યગ્રચિત્તે જે જાપ કર્યો હોય તેનું ફળ પ્રાયે અલ્પ થાય છે. જાપ કરતાં થાકી જવાય તો ધ્યાન કરવું, ધ્યાન કરતાં થાકી જવાય તો જાપ કરવો અને બન્નેથી થાકી જવાય તો સ્તોત્રપાઠ કરવો એમ ગુરુએ કહેલું છે. અનાનુપૂર્વી વડે નવકાર ગણવાથી . ક્ષણમાં છમાસી તપ વગેરેનું પુણ્ય પ્રાપ્ત કરે છે.” આ પ્રમાણે નવકારમંત્રના જાપનું ફળ મુનિમહારાજના મુખેથી સાંભળી રાજા શ્રાવક થયો. પછી નવકારમંત્રને ગણવામાં તત્પર રહેતો તો તે સ્વર્ગે ગયો. જેમાં શ્રી જિનેશ્વર ભગવંત અગ્રે વિરાજે છે એવો નવકારમંત્ર આ લોક અને પરલોકમાં સુખદાયક છે. આ પ્રમાણે જાણીને જે શ્રાવક નવકારમંત્રના પદને જપે છે તે ગુણવંત પ્રાણી આખા વિશ્વને વંદન કરવા યોગ્ય થાય છે.” I ત્રયોદશ રdભ સમાપ્ત . ૧ આ ગણતરીમાં પદપ્રમાણ જાપ ગણેલો હોવો જોઈએ. તેમ ગણવાથી જ સંખ્યાપૂર્તિ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy