SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૯૫] નવકારમંત્રનું ફળ ૧૬૩ એક ઘડામાં મૂકી પ્રભાતકાળે કોઈ કુમારિકા પાસે તેમાંથી એક ચિઠ્ઠી કઢાવ. પછી જેની ચિઠ્ઠી આવે તેને ફળ લેવા મોકલ.” રાજાની આવી આજ્ઞા થવાથી તેણે તેમ કર્યું. પછી જેના નામની ચિઠ્ઠી ઘડામાંથી નીકળે તે જીવવાની આશા છોડી કંપવા લાગે. કોટવાલના પુરુષો, ભયભ્રાંત એવા તેને પકડી પેલા નદીના તટ પાસેની વાપિકામાં મોકલે. તે ત્યાંથી એક બિજોરું છેદી નદીમાં તરતું મૂકે; એટલે તે વખતે નગરના દ્વાર આગળ રહેલો કોટવાલ તે લઈ રાજાને આપે અને પેલો પુરુષ તો ત્યાં જ મૃત્યુ પામી જાય. આ પ્રમાણે પ્રવર્તન થવાથી તે નગરના રહેનારાઓને તે નગર ઝેર જેવું થઈ ગયું, પણ રાજાના હૃદયમાં કાંઈ પણ દયા આવી નહીં અને વિષમપણું ટયું નહીં. એકદા તે નગરનિવાસી જિનદાસ શ્રાવકના નામની પત્રિકા નીકળી. તે પત્રિકા લઈ જિનદાસ નિર્ભયપણે પોતાને ઘેર આવ્યો અને સ્નાન કરી ઘરના દેવાલયમાં તથા મોટા મંદિરમાં દેવપૂજા કરી. પછી સર્વ સ્વજનવર્ગને ખમાવી, સાગારી અનશન અંગીકાર કરી તે વનમાં ગયો. ત્યાં ઊંચે સ્વરે નવકારમંત્રનું ઉચ્ચારણ કરતાં કરતાં તેણે પ્રવેશ કર્યો. તે અવસરે વનના અધિષ્ઠાયક વ્યંતરદેવે નવકારમંત્ર સાંભળી વિચાર્યું કે “અહો! આવા અક્ષરો મેં પૂર્વે સાંભળ્યા છે. પછી જ્ઞાનનો ઉપયોગ દેતાં તેણે પોતાનો પૂર્વભવ દીઠો, એટલે વિચારવા લાગ્યો કે “અહો! મેં પૂર્વભવે દીક્ષા લીધી હતી, પણ બરાબર આરાધી નહીં તેથી મૃત્યુ પામીને હું વ્યંતર થયો છું. પ્રમાદને વશ થઈ હું વૃથા દીક્ષા હારી ગયો.” આ પ્રમાણે પશ્ચાત્તાપ કરી તે જિનદાસ શ્રાવકની સમક્ષ આવ્યો અને બે હાથ જોડી તેની પાસે ઊભો રહી ચરણમાં નમીને બોલ્યો-“હે સપુરુષ! તમે મને ઘર્મસ્થાને જોડ્યો તેથી તમે મારા ગુરુ છો માટે કાંઈક વરદાન માગો.” શ્રેષ્ઠી બોલ્યો-“હે ભદ્ર! તમે સર્વ જીવની હિંસા નિવારો એ જ મારો વર છે. જો પ્રસન્ન થયા હો તો એ વર આપો.” રાક્ષસ બોલ્યો-“હે શ્રેષ્ઠી! તમે એ વરદાન તો મારા આત્માનું હિત થવા માટે માગ્યું છે. જૈનઘર્મથી વાસિત અંતઃકરણવાળા તમારા જેવા ગુરુના દર્શન વિના મેં આટલો વખત ફક્ત વિનોદ માટે જ અનેક જીવોની હિંસા કરી અને કરાવી છે. હવે હું હિંસા કરીશ નહીં અને કરાવીશ પણ નહીં. ફળ ગ્રહણ કરવાના મિષથી તમે અહીં આવીને મારા હૃદયમાં અનેકાંત ઘર્મને દ્રઢ કરાવ્યો છે, પણ અવિરતિના ઉદયથી દેવતાને શ્રાવકધર્મ ઉદય આવતો નથી; તથાપિ તમારા દર્શનથી મારા અંતઃકરણમાં સમક્તિ ગુણ ઉદયમાં આવ્યો છે, તેથી સર્વ સારું થશે. હે પૂજ્ય ગુરુ! તમારે હવે અહીં આવવાનો પ્રયાસ લેવો નહીં. હું દરરોજ પ્રભાતે તમારા દર્શન માટે આવીશ અને તે વખતે વૃક્ષ ઉપરથી જે ફળ પક્વ થઈને તાજું ઊતરેલું હશે તે તમારી આગળ ભેટ કરીશ.” આ પ્રમાણે કહી તેણે એક ક્ષણમાં શ્રેષ્ઠીને એક ફળ સહિત તેને ઘેર મૂકી દીઘો. શ્રેષ્ઠીએ રાજા પાસે જઈ તે ફળ રાજાને આપ્યું. તેને જોઈ રાજાએ પૂછ્યું- હે ભદ્ર! તું અક્ષત શરીરે શી રીતે આવ્યો?” શેઠે કહ્યું- હે સ્વામી!નવકારમંત્રના મહિમાથી શું શું સિદ્ધ નથી થતું?” રાજા બોલ્યો-“મને તે મહામંત્ર શીખવો.” તે બોલ્યો–સમય આવશે ત્યારે શીખવીશ.' અન્યદા કોઈ જ્ઞાની આચાર્ય ત્યાં સમોસર્યા. શ્રેષ્ઠી રાજાને લઈને તેમને વાંદવા ગયો. પછી શ્રેષ્ઠીએ ગુરુને કહ્યું- હે પૂજ્ય! અમારા રાજાને નવકારમંત્રનું ફળ સંભળાવો.” ગુરુએ આ પ્રમાણે નવકારમંત્રનું ફળ કહ્યું–“નવકારનો એક અક્ષર સાત સાગરોપમનું પાપ ટાળે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy