SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૩ સ્થાપિત કરવું, તેની મઘ્ય કર્ણિકામાં પ્રથમ પદ, પૂર્વાદિ ચાર દિશાઓમાં બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું એ ચાર પદ અને અગ્નિ વગેરે ચાર વિદિશાઓમાં બાકીના ચાર પદની સ્થાપના કરવી. પછી તે ક્રમ પ્રમાણે જાપ કરવો તે ઉત્કૃષ્ટ જાપ કહેવાય છે. જપમાળા (નવકારવાળી) વગેરેથી જે જાપ કરવો તે તેથી ન્યૂન મધ્યમ જાપ કહેવાય છે. ઉત્કૃષ્ટ જાપનું મોટું ફળ છે. તે વિષે યોગશાસ્ત્રમાં કહ્યું છે કે— त्रिशुद्ध्या चिंतयन्नस्य, शतमष्टोत्तरं मुनिः । भुंजानोऽपि लभत्येव, चतुर्थतपसः फलं ॥ १ ॥ ભાવાર્થ—“ત્રિકરણ શુદ્ધિ વડે એકસો આઠ વાર ઉપર બતાવ્યા પ્રમાણે (અષ્ટદળકમળની સ્થાપના કરીને) જાપ કરનાર મુનિ ભોજન કરતાં છતાં પણ ચતુર્થતપ (ઉપવાસ)નું ફળ પામે છે.’’ હવે જધન્ય જાપનું સ્વરૂપ કહે છે– विना मौनं विना संख्यां, विना चित्तनिरोधनं । विना स्नानं विना ध्यानं, जघन्यो जायते जपः ॥ ભાવાર્થ–મૌન વિના, સંખ્યા વિના, મનનો રોઘ કર્યા વિના, સ્નાન વિના અને ધ્યાન વિના જે જાપ કરવામાં આવે તે જઘન્ય જાપ કહેવાય છે.’’ જપ કરવાથી આ લોક આશ્રયી ફળ શું થાય તે કહે છે. ‘‘વીંછી, સર્પ વગેરે ડસેલ હોય અથવા દાનવ (વ્યંતરાદિ તુચ્છ દેવો) તરફથી ઉપદ્રવ થયો હોય તો પંચ નમસ્કાર (નવકાર મંત્ર) વ્યાવવાથી સર્વ દુઃખમાંથી મુક્ત થવાય છે.'' અહીં એટલું વિશેષ સમજવાનું છે કે વીંછી વગેરેનું વિષ ઉતારવા માટે પશ્ચાનુપૂર્વીએ એકવીશ વગેરે વાર નવકારમંત્રનો જાપ કરવો ઇત્યાદિ આમ્નાય છે તે ગુરુગમથી જાણી લેવો. નવકારમંત્રના જાપ વડે રાક્ષસના ઉપદ્રવથી રક્ષા થવા વિષે નીચે પ્રમાણે કથા છે— નવકારના જાપ ઉપર કથા ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં બલ નામે રાજા રાજ્ય કરતો હતો. એક વખતે નવીન મેઘ વર્ષવાથી નદીમાં પૂર આવ્યું. એટલે તે જોવાને માટે લોકો એકઠા મળ્યા. તેવામાં જળની અંદર એક મોટું બિજોરું પાણી ઉપર તરતું જોવામાં આવ્યું. કોઈ તરીઆ પુરુષે જળમાં પડીને તે લઈ લીધું અને તે રાજાને અર્પણ કર્યું. સુગંધી અને મધુર રસવાળું તે બિજોરાનું ફળ રાજાએ ચાખ્યું, એટલે બહુ હર્ષિત થઈ રાજાએ તેને પૂછ્યું—‘આ ફળ તમને ક્યાંથી મળ્યું?’ તેણે કહ્યું-‘સ્વામી! નદીના પૂરમાંથી તણાઈ આવતું આ ફળ મળેલું છે.' તે સાંભળી રાજાએ કહ્યું–‘અરે પુરુષ! તે નદીના તટ ઉપર જ્યાંથી આ ફળ આવ્યું છે ત્યાં તું જા અને બીજાં ફળ લાવ.’’ પેલો પુરુષ તે તટ પૂછતો પૂછતો ત્યાં ગયો. પછી જેવો તેમાં પ્રવેશ કરવા તે તત્પર થયો એટલે નજીકના લોકોએ કહ્યું–‘અરે ભદ્ર! અહીં પ્રવેશ કરીશ નહીં. જે કોઈ પુરુષ અહીં પ્રવેશ કરી ફળપુષ્પાદિ લેવા જાય છે તે ત્યાં જ મૃત્યુ પામી જાય છે.’ લોકોનાં આવાં વચન સાંભળી તે પાછો વળ્યો અને તે વૃત્તાંત રાજા પાસે આવી નિવેદન કર્યું. તે સાંભળી રસલંપટ રાજા બોલ્યો—“અરે કોટવાલ! તું નગરમાં જઈ સર્વ મનુષ્યોનાં નામની ચિઠ્ઠીઓ લખી લાવ અને તે સર્વ ચિઠ્ઠીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy