SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૯૪] સાવદ્યવચનનું ફળ ૧૫૯ એવો છે કે જે ગચ્છમાં નીરાગી સાધુ પણ કોઈ કારણ પ્રાપ્ત થયા છતાં પણ સ્ત્રીનો સ્પર્શ કરે તો તેના મૂળગુણની હાનિ થાય છે. આ પ્રમાણેની ગાથા કહી તેનો અર્થ વિસ્તારમાં સૂરિએ વિચાર્યું કે “પ્રથમ આ લિંગઘારીઓએ તેમનાં ચૈત્યોને માત્ર સાવદ્ય કહેવાથી મારું નામ સાવદ્યાચાર્ય તો પાડેલું છે. હવે આ ગાથાનો અર્થ સાંભળીને તો વળી કાંઈ વિરૂપ કરશે, પણ જે થવાનું હોય તે થાઓ. આ ગાથાનો અર્થ તો યથાર્થ જ કહેવો, કેમ કે જો અન્યથા કહું તો મહાદોષ લાગે.” આમ વિચારી તે ગાથાની યથાર્થ વ્યાખ્યા કરી. તે સાંભળી પેલા લિંગઘારીઓએ તેમને અડીને સાધ્વીને વંદન કરતાં જોયેલ તે વૃત્તાંત કહીને કહ્યું કે “ત્યારે તો તું પણ મૂળગુણહીન સાઘુ જ છે.' તે વખતે સૂરિ અપકીર્તિના ભયથી બોલ્યા કે–“અયોગ્યને ઉપદેશ આપવો જ યોગ્ય નથી. કહ્યું છે કે કાચા ઘડામાં નાખેલું જળ જેમ તે ઘડાનો વિનાશ કરે છે તેમ અલ્પમતિ પાસે કહેલું સિદ્ધાંતનું રહસ્ય વિનાશ પામે છે.” તેઓ બોલ્યા–“તું જ મિથ્યાભાષી છે, માટે અમારા દ્રષ્ટિમાર્ગથી દૂર જા.” સૂરિ બોલ્યા- સ્યાદ્વાદ મતમાં ઉત્સર્ગ અને અપવાદ એવા બે માર્ગ છે, તે તમે જાણતા નથી. કહ્યું છે કે એકાંતવાદ તે મિથ્યાત્વ છે અને અનેકાંતવાદ તે સ્યાદ્વાદ માર્ગ છે.” લિંગઘારીઓએ તે વચન માન્ય કર્યું, પરંતુ એ વાક્ય બોલવાથી લાગેલું પાપ આલોચ્યા વગર મૃત્યુ પામીને તે સૂરિ વ્યંતર થયા. તે દેવ ત્યાંથી અવીને પ્રતિવાસુદેવના પુરોહિતની પુત્રી કે જેનો પતિ પરદેશ ગયેલો છે તેની કુક્ષિમાં અવતર્યો. કલંકથી ભય પામેલાં તેનાં માતાપિતાએ તેને દેશમાંથી કાઢી મુકાવી. પરદેશ જઈને તે કોઈ કુંભારને ઘેર દાસીપણે રહી. ત્યાં ચોરી કરી માંસ વગેરે ખાવા લાગી; એટલે રાજાની આજ્ઞા લઈ ચોરીને માટે તેને વઘકારકને સોંપી. તેણે પ્રસવ થતાં સુધી તેને જીવતી રાખી. પ્રસવ થયો એટલે બાળકને છોડીને તે નાસી ગઈ. અનુક્રમે તે બાળક પાંચસો કસાઈઓના અધિપતિ થયો. ત્યાંથી મૃત્યુ પામી છેલ્લા નરકને છેલ્લે પાથડે ઉત્પન્ન થયો. ત્યાંથી એકોરુકુ નામના અંતરદ્વીપમાં સર્પ થયો. ત્યાંથી મૃત્યુ પામી પાડો થયો. પછી પાછો મનુષ્ય થયો. તે પછી વાસુદેવ થયો. મરીને નરકે ગયા પછી ગજકર્ણી મનુષ્ય થયો. મરીને સાતમી નરકે ગયો. ત્યાંથી નીકળીને પાડો થયો. ત્યાંથી કોઈ બ્રાહ્મણની વિધવા સ્ત્રીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. ત્યાં ગર્ભપાત કરવા માટે માતાએ ખાઘેલાં ક્ષાર ઔષધોથી ગલતકોઢવાળો થઈ તે ગર્ભમાંથી નીકળ્યો. તે ભવમાં સાતસો વર્ષ, બે માસ અને ચાર દિવસ જીવી વ્યંતર થયો. પછી કસાઈનો અઘિપતિ થયો. મરીને સાતમી નરકે ગયો. ત્યાંથી નીકળીને બળદ થયો. એવી રીતે અનંતકાળ ભમી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણું પામ્યો. તે ભવમાં લોકની અનુવૃત્તિએ જિનેશ્વરને પ્રણામ કરતાં તે પ્રતિબોધ પામ્યો. પછી દીક્ષા લઈ પાર્શ્વનાથ પ્રભુના સમયમાં સિદ્ધિપદને પ્રાપ્ત થયો. આ પ્રમાણે શ્રી વીરપ્રભુના મુખથી સાંભળી ગૌતમે પૂછયું-“હે સ્વામી! તે સૂરીએ એવું મહાપાપ શું કર્યું હતું? તેણે મૈથુન તો સેવ્યું નહોતું.” પ્રભુ બોલ્યા–“હે ગૌતમ! તે સૂરીએ “ઉત્સર્ગ તથા અપવાદ વડે સિદ્ધાંતની મર્યાદા છે' એમ કહીને પોતાનો મિથ્યા બચાવ કરવાથી મહાપાપ ઉપાર્જન કર્યું હતું, કારણ કે સ્યાદ્વાદ માર્ગમાં પણ સચિત્ત જળનો ભોગ, અગ્નિનો સમારંભ અને મૈથુન એટલાં તો ઉત્સર્ગ વડે નિષિદ્ધ કરેલાં છે, તેથી તેમાં ઉત્સર્ગ અને અપવાદ બન્નેની સ્થાપના કરવી યોગ્ય નહોતી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy