SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ વ્યાખ્યાન ૧૯૪ સાવધવચનનું ફળ ચૈત્ય કરાવવાં તે સાવદ્ય છે, એમ કહેનારાને શિક્ષાવચન કહે છે— सावद्यवचनं नोच्यं मुनिभिर्धर्मज्ञायकैः । तद्वाक्येन महद्दुःखं, सावद्याचार्यवल्लभेत् ॥१॥ " ભાવાર્થ ધર્મના જાણ એવા મુનિઓએ સાવદ્ય વચન બોલવું નહીં. સાવદ્ય વચન કહેવાથી સાવદ્યાચાર્યની જેમ જીવ મહા દુઃખને પામે છે.’’ આ અર્થ સ્પષ્ટ છે, તેમાં સૂચવેલ સાવદ્યાચાર્યનું દૃષ્ટાંત નીચે પ્રમાણે છે– ૧૫૮ સાવધાચાર્યની કથા એક વખતે શ્રી વીરપ્રભુ ગૌતમસ્વામીને મિથ્યા બોલવાના ફળ વિષે પૂર્વના દૃષ્ટાંતયુક્ત કહેતા હતા કે—‘હે ગૌતમ! પૂર્વે અનંતકાળ અગાઉ જે અનંતી ચોવીશી થઈ ગઈ તેમાં વર્તમાન અવસર્પિણી જેવી આજથી અનંતમી અવસર્પિણીમાંની એક ચોવીશીમાં મારા જેવા ઘર્મશ્રી નામે છેલ્લા તીર્થંકર થયા હતા. તેમના તીર્થમાં સાત આશ્ચર્ય થયા હતા. તેમાંના અસંયતિ પૂજારૂપ આશ્ચર્યમાં અનેક અસંયતિઓ શ્રાવક પાસેથી દ્રવ્ય લઈ પોતપોતાના કરાવેલા ચૈત્યમાં વસતા હતા અને તેના માલિકપણે વર્તી આનંદ માનતા હતા. ત્યાં કુવલયપ્રભ નામે એક તપસ્વી મુનિ આવ્યા. તેમને પેલા ચૈત્યવાસીઓએ નમીને કહ્યું–‘તમે અહીં એક ચાતુર્માસ રહો, જેથી તમારા ઉપદેશ વડે અનેક ચૈત્યો થશે.’ તેમણે કહ્યું “અહીં જે જિનાલયો છે તે બધાં સાવદ્ય છે; તેથી તેવા સાવદ્ય કાર્યને માટે હું ઉપદેશ કરીશ નહીં.’’ આવું દૃઢતાપૂર્વક સત્ય વચન કહેવાથી તેમણે જિનનામકર્મ ઉપાર્જન કર્યું અને આ સંસારરૂપ સમુદ્ર એકભવાવશેષ કર્યો, અર્થાત્ એક ભવ જ કરવો પડે તેવો કરી દીધો. પેલા વેષધારીઓએ તેમનું સાવદ્યાચાર્ય એવું નામ પાડ્યું, તથાપિ તેમને ક્રોધ થયો નહીં. તેથી મુનિઓએ ‘ચૈત્યાદિ કરાવવામાં મહાલાભ છે' એમ કહેવું. પણ ‘આ ચૈત્ય, ઉપાશ્રય કે ઊનું પાણી કરો' એમ કહેવું નહીં. એવો ઉપદેશ કરવો, પણ આદેશ કરવો નહીં. આ પ્રમાણે સાધુએ વિવેક રાખવો. [સ્તંભ ૧૩ એક વખતે પેલા વેષઘારીઓમાં પરસ્પર શાસ્ત્ર સંબંધી વિવાદ થયો. કોઈ બોલ્યા કે ‘જો ગૃહસ્થનો અભાવ હોય તો સાધુ ચૈત્યની રક્ષા કરે, ચૈત્યને સમારે, તે સંબંઘી બીજો પણ આરંભ કરે, તો પણ સાધુને દોષ લાગે નહીં.' કોઈ બોલ્યા કે ‘સંયમ જ મોક્ષે લઈ જનાર છે, માટે બીજું કાંઈ ન કરે.' કેટલાક બોલ્યા કે ‘ચૈત્યપૂજા પણ મોક્ષે લઈ જનાર છે માટે કરે.’ તેમનો આ વિવાદ ભાંગ્યો નહીં. એટલે તે સર્વેએ મળીને કુવલયપ્રભસૂરિને બોલાવ્યા. તેમણે જે સત્ય મુનિનો આચાર હતો તે કહી બતાવ્યો. ન એક વખતે કોઈ સાધ્વીએ તે આચાર્યને પ્રદક્ષિણા કરી, પગમાં શ્રદ્ધાથી મસ્તક મૂકી સ્પર્શ કરવાપૂર્વક વંદના કરી. તે પેલા લિંગીઓએ નજરોનજર જોયું. ત્યાર પછી એક વખતે વ્યાખ્યાનમાં મહાનિશીથ સૂત્રની આ ગાથા આવી કે—‘કોઈ મુનિ કારણ પ્રાપ્ત છતાં નીરાગીપણે સ્ત્રીના હસ્તનો સ્પર્શ કરે તો પણ હે ગૌતમ! તું નિશ્ચય જાણજે કે તેના મૂળગુણની હાનિ થઈ છે.’’ આનો ભાવાર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy