SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૯૩] દેવદ્રવ્ય-ભક્ષણના દોષ ૧૫૭ પોતાની પાળમાં લઈ ગયા. તે જ દિવસે બીજી પાળના સ્વામીએ તે પાળને ભાંગી, એટલે તેઓએ એ અપશુકનીઆને ત્યાંથી પણ કાઢી મૂક્યો. કહ્યું છે કે “ગમે તેટલા ઉપાયો કરો, પણ ભાગ્ય વિના ફળ પ્રાપ્ત થતું નથી. જુઓ! રાહુ ચંદ્રના અમૃતનું પાન કરે છે તો પણ તેનાં અંગ પલ્લવિત થતાં નથી.” એવી રીતે તે નિષ્ણુણ્ય નવસો ને નવાણું સ્થાનોમાં ફર્યો અને તે બધે ઠેકાણે ચોર, અગ્નિ તથા જળના ઉપદ્રવ થવાથી તેને કાઢી મૂકવામાં આવ્યો. આથી મહાદુઃખ પામતો સતો તે એક અટવીમાં આવ્યો. ત્યાં સેલક નામના યક્ષનું તેણે આરાઘન કરવા માંડ્યું. એકવીશ ઉપવાસ કર્યા એટલે તે યક્ષ સંતુષ્ટ થઈ બોલ્યો-“હે ભદ્ર! દરરોજ સંધ્યાકાળે મારી આગળ સુવર્ણના હજાર પીંછાંવાળો એક મોટો મયૂર આવીને નૃત્ય કરશે અને પ્રતિદિવસ તેની કળામાંથી કનકનાં પીંછાંઓ અહીં પડશે તે તારે લઈ લેવાં.” એ પ્રમાણે પ્રતિદિન લેતાં તેની પાસે નવસો પીંછાં એકઠાં થયાં. સો બાકી રહ્યાં એટલે દુષ્કર્મથી પ્રેરાયેલા એવા તેણે ચિંતવ્યું કે હવે એકસો પીંછાં લેવા માટે આ જંગલમાં મારે ક્યાં સુધી રોકાવું? તેથી આજે મોર આવે ત્યારે એક મુષ્ટિથી બઘાં પીંછાં લઈ લઉં.” પછી તે દિવસે મોર આવ્યો એટલે તેનાં બઘાં પીંછાં એક મુષ્ટિથી લેવા માટે જેવો તે પ્રવર્યો તેવો જ તે મયૂર કાગડો થઈ ઊડી ગયો અને પૂર્વે ગ્રહણ કરેલાં પીંછાંઓ પણ નષ્ટ થઈ ગયાં. કહ્યું છે કે “દૈવને ઉલ્લંઘન કરીને જે કાર્ય કરવામાં આવે તે કાર્ય સફળ થતું નથી. બપૈયો સરોવરનું જળ પીએ તો તે ગળાના છિદ્રમાંથી નીકળી જાય છે.” પછી તેણે ચિંતવ્યું કે “મને ધિક્કાર છે! મેં વૃથા ઉદ્યમ કર્યો.” આ પ્રમાણે ખિન્ન થયો તો તે આમ-તેમ ભમવા લાગ્યો. તેવામાં કોઈ એક જ્ઞાની મુનિ તેના જોવામાં આવ્યા. તેને જોતાં જ વંદન કરીને તેણે પોતાના પૂર્વભવનું સ્વરૂપ પૂછ્યું. મુનિએ તેના પૂર્વભવનું સ્વરૂપ યથાર્થ કહી આપ્યું. તે સાંભળી તેણે દેવદ્રવ્યના ઉપભોગનું પ્રાયશ્ચિત્ત માગ્યું. મુનિએ કહ્યું–‘પ્રથમ ઉપભોગમાં લીધેલા દેવદ્રવ્યથી અધિક દ્રવ્ય પાછું આપવું અને દેવદ્રવ્યની રક્ષા કરવી; તેથી દુષ્કર્મનો નાશ થશે.” પછી તેણે મુનિ પાસે એવો નિયમ લીઘો કે “લીઘેલા દેવદ્રવ્યથી હજારગણું દ્રવ્ય દેવભક્તિમાં આપવું અને તે પૂરું થતાં સુઘી વસ્ત્ર, આહાર વગેરે નિર્વાહ ઉપરાંત કાંઈ પણ દ્રવ્ય એકઠું કરવું નહીં.” ત્યાર પછી તે જે વ્યાપાર કરે તેમાં ઘણું દ્રવ્ય ઉપાર્જન કરવા લાગ્યો અને તે દેવદ્રવ્યમાં આપવા લાગ્યો. એવી રીતે થોડા દિવસમાં તેણે પૂર્વે વાપરેલી હજાર કાંકણીને સ્થાને દશ લાખ કાંકણી દેવદ્રવ્યમાં આપી અને દેવનો અનૃણી થયો. પછી અનુક્રમે ઘણું દ્રવ્ય મેળવી પોતાના નગરમાં આવ્યો. ત્યાં તે મુખ્ય શેઠીઓ કહેવાયો. પછી નવાં ચૈત્ય કરાવવાં, દેવદ્રવ્યનું રક્ષણ કરવું, યોગ્ય યુક્તિથી તે વઘારવું ઇત્યાદિ વડે અદ્ભુત પુણ્ય ઉપાર્જન કરી તેણે તીર્થંકર નામકર્મ બાંધ્યું. અવસરે દીક્ષા લઈ પહેલું અરિહંત સ્થાનક ઉગ્રતપ વડે આરાધી અર્ધન્નામકર્મ નિકાચિત કર્યું. ત્યાંથી કાળ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવતા થઈ ત્યાંથી આવી મહાવિદેહ ક્ષેત્રમાં અહંતની સમૃદ્ધિ ભોગવી સિદ્ધિપદને પ્રાપ્ત થયો. દેવદ્રવ્ય ગ્રહણ કરવાથી અત્યંત દોષ લાગે છે, એમ પૂર્વ સૂરિઓએ કહેલું છે તેને જાણીને શ્રાવક દેવદ્રવ્યની કિંચિત્ પણ સ્પૃહા કરતા નથી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy