SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ સ્તિંભ ૧૩ તે પોતે રાખવા લાગ્યો; એવી રીતે કરતાં એક રૂપિયાનો એંશીમો ભાગ કાંકણી કહેવાય છે તેવી એક હજાર કાંકણી તેણે એકઠી કરી, પરંતુ એવી રીતના દ્રવ્યસંચયથી તેણે ઘોર દુષ્કર્મ બાંધ્યું. અંતકાળે આલોચના કર્યા વગર મૃત્યુ પામીને તે સમુદ્રમાં જલમનુષપણું પામ્યો. સમુદ્રમાં રહેલા જળચર જંતુઓના ઉપદ્રવ ટાળવા માટે જાતિવંત રત્નના ઇચ્છકોએ તેને માંસાદિકથી લોભાવી વજની ઘંટીમાં નાખીને પીલી નાખ્યો અને તેના અંગમાંથી નીકળેલ અંડગોળી ગ્રહણ કરી. જળમનુષ્ય મૃત્યુ પામીને ત્રીજી નરકે ગયો, ત્યાંથી નીકળી પાંચસો ઘનુષ્યના પ્રમાણવાળો મહામસ્ય થયો. ત્યાં માછીએ કરેલી કદર્થનાવડે મરણ પામ્યો. મરીને ચોથી નરકે ગયો. એવી રીતે એક, બે વગેરે ભવને અંતરે સાતે નરકમાં બે બે વાર ઉત્પન્ન થયો. દેવદ્રવ્યની એક હજાર કાંકણી દ્રવ્ય ખાધેલ હોવાથી તે આંતરે આંતરે અથવા આંતરા વિના હજાર વાર શ્વાન થયો. તેમ જ એક હજાર ભાવ ડુક્કરના, એક હજાર ભવ બકરાના, એક હજાર ભવ ગાડરના, એક હજાર ભવ મૃગલાના, એક હજાર ભવ સસલાના, એક હજાર ભવ સાબરના અને એક હજાર ભવ શૃંગાલના કર્યા. તેવી જ રીતે હજાર હજાર વખત માર્નાર, ઉંદર, ગરોળી, ઘો અને સર્પ થયો. પાંચ થાવર તથા વિકસેંદ્રિયમાં હજારો ભવ કરી એકંદર લાખો ભવ સંસારમાં ભમ્યો. તેમાં પણ પ્રાયે કરીને બઘા ભાવમાં શસ્ત્રઘાત વગેરેની પીડા સહન કરીને જ મૃત્યુ પામ્યો. એવી રીતે ઘણાં દુષ્કર્મો ક્ષીણ થવાથી કાળક્રમે તે વસંતપુરમાં કોટિધ્વજ એવા વસ્તુદત્ત શેઠને ઘેર પુત્રપણે જન્મ્યો. તે ગર્ભમાં આવતાં જ તેના પિતાનું સર્વ દ્રવ્ય નષ્ટ થઈ ગયું. જન્મને દિવસે પિતા મૃત્યુ પામ્યો અને પાંચ વર્ષનો થયો એટલે માતા મૃત્યુ પામી. આથી લોકોએ તેનું નિષ્ણુણ્ય એવું નામ પાડ્યું. અનુક્રમે ભિખારી ને રાંકની જેમ તે મોટો થયો. એકદા દયા આવવાથી તેના મામા તેને પોતાને ઘેર લઈ ગયા. ત્યાં રાત્રે ચોરોએ તેનું ઘર લૂંટી લીધું. પછી તે અભાગીઓ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં અગ્નિ વગેરે ઉપદ્રવ થવા લાગ્યા. એટલે લોકો તે આવે એટલે મહાઉત્પાત આવ્યો એમ કહેવા લાગ્યા. એવી અસહ્ય નિંદાથી ઉદ્વેગ પામીને તે દેશાંતર ગયો. અનુક્રમે તામ્રલિમિ નગરીએ પહોંચી વિનયંઘર નામના કોઈ ઘનાઢ્ય શેઠને ઘેર તે સેવક થઈને રહ્યો. તે જ દિવસે તેના ઘરમાં લાય લાગી, એટલે શેઠે તેને ઘરબહાર કાઢી મૂક્યો. તેથી કંટાળીને તે પોતાના પૂર્વ કર્મને નિંદવા લાગ્યો. કહ્યું છે કે પ્રાણી કર્મ સ્વવશપણે કરે છે, પણ તેના ઉદયને વખતે તે પરવશ થાય છે. જેમ ઝાડ ઉપર માણસ સ્વેચ્છાથી ચડે છે, પણ પડે છે ત્યારે પરવશ થઈને પડે છે.' અન્યદા તે કોઈ મહેભ્યને વહાણે ચડ્યો અને તે ઘનાટ્ય શ્રેષ્ઠીની સાથે કુશળક્ષેમે પરદ્વીપે પહોંચ્યો. ત્યારે તેણે ચિંતવ્યું કે “અહો! હવે મારું ભાગ્ય જાગ્યું જણાય છે કે જેથી આ વહાણ ભાંગ્યું નહીં; અથવા મારું દુર્દેવ મને ભૂલી ગયેલ લાગે છે. હવે અહીંથી પાછા વળતાં જો દૈવ મને ભૂલી જાય તો બહુ સારું.” આવો મનોરથ કરતો તે પાછો વળ્યો, તેવામાં તેના દુર્દવથી તેના મનોરથ સહિત તે વહાણ ભાંગી સો કકડા થઈ ગયું. આયુષ્યને બળે તેને પાટિયું હાથ લાગ્યું. તેના વડે તરીને તે સમુદ્રને તીરે કોઈ ગામમાં આવ્યો અને તે ગામના ઠાકોરની સેવા કરવા લાગ્યો. દુર્દેવયોગે તે ઠાકોરના ઘર ઉપર ચોરલોકોએ ઘાડ પાડી અને તે નિષ્પષ્યને ઠાકોરનો પુત્ર જાણી બાંધીને ૧ સાડાબાર રૂપિયા. ૨ મનુષ્ય આકૃતિનો મત્સ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy