SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૯૩] દેવદ્રવ્ય-ભક્ષણના દોષ ૧પપ પાપકર્મ વડે લેપાય.” વળી દેવદ્રવ્ય ભક્ષણ કરવું તે ઉત્કૃષ્ટી આશાતનામાં ગણાય છે. પ્રતિમાને ધૂપઘાણું વગેરે અથડાઈ જવું અથવા શ્વાસ લાગવો કે વસ્ત્રનો છેડો અડી જવો ઇત્યાદિ જઘન્ય આશાતના કહેવાય છે. અહીં કોઈ શંકા કરે કે “ત્યારે તો પ્રભુની પ્રતિમા ઉપર વાળાÉચી ઘસવાથી પણ અવજ્ઞા (આશાતના) થવી જોઈએ.” આ કહેવું બરાબર નથી, કેમ કે કાશાતના કેમ થાય છે તેનો અભિપ્રાય જાણ્યા વિનાની આ શંકા છે. લોકપ્રસિદ્ધિથી પણ એમ છે કે અપમાન કે તિરસ્કારની બુદ્ધિથી જે ક્રિયા કરવી તે આશાતના છે, પણ સત્કાર કે હિત વગેરેની બુદ્ધિથી જે ઉચિત ક્રિયા કરાય તે આશાતના નથી. એથી જ ઇંઢે કરેલું સ્નાત્ર તે પૂજા છે અને કમઠે કરેલું સ્નાત્ર તે આશાતના છે. લોકમાં પણ રાજા વગેરેના ચરણને સેવક તેલ વડે મર્દન કરે, મુષ્ટિથી તાડન કરીને ચાંપે તે અપમાન કહેવાતું નથી. એવી રીતે અહીં પણ વાળાÉચી ઘસવી, વસ્ત્રાથી મર્દન કરવું (લૂંછવું) અને જલસ્પર્શ કરવો (જળ નાખવું) વગેરેથી આશાતનાનો સંભવ નથી. એક જ જાતનું આચરણ અભિપ્રાયના જુદાપણાથી અમૃતરૂપ અને વિષરૂપ થાય છે. ઘોયા વગરના વસ્ત્રથી પૂજન કરવું, પ્રમાદથી બિંબનું પૃથ્વી પર પડી જવું વગેરે મધ્યમ આશાતના છે અને પ્રતિમાને પગ લગાડવો, બડખા વગેરેનો છાંટો લગાડવો, દેવદ્રવ્ય ઓળવવું, બિંબ ભાંગવું અને તેની હેલના કરવી ઇત્યાદિ ઉત્કૃષ્ટ આશાતના છે. કદી કોઈ શ્રાવક જ્ઞાતિસંબંધે આમંત્રણ કરે અને તે શ્રાવક દેવદ્રવ્યનો ભક્ષક હોય છતાં તેને ઘરે કદી ખાવું પડે તો જેટલી કિંમતનું ભોજન કર્યું હોય તેટલું દ્રવ્ય જિનાલયમાં મૂકી દેવું, તો તેથી ભોજન કરનાર નિષ્પાપ થાય એમ વૃદ્ધવચન છે. પોતાના દ્રવ્યથી જેમ બને તેમ યત્ન વડે દેવદ્રવ્યની રક્ષા કરવી અને તેવી જ રીતે વૃદ્ધિ કરવી. એમ કરવાથી જિનાજ્ઞાનો આરાઘક થવાય છે.” વ્યાખ્યાન ૧૩. દેવદ્રવ્ય-ભક્ષણના દોષ હવે દેવદ્રવ્ય અલ્પ પણ લેવાથી દોષ લાગે છે, તે કહે છે– देवस्वभक्षणे दोषः, अहो कोऽपि महात्मनः । सागरश्रेष्ठिनो ज्ञातं, धार्य देवस्वरक्षकैः॥१॥ ભાવાર્થ-“દેવદ્રવ્યનું ભક્ષણ કરવામાં અહો! કેટલો દોષ! તે ઉપર મહાત્મા સાગરશ્રેષ્ઠીનું દ્રષ્ટાંત દેવદ્રવ્યના રક્ષકોએ ઘારી રાખવા યોગ્ય છે.” સાગશ્રેષ્ઠીની કથા સાકેતનગરમાં સાગર નામે શ્રેષ્ઠી હતો. તેને સુઘર્મી (સારી નિષ્ઠાવાળો) જાણી, બીજા શ્રાવકોએ ચૈત્યદ્રવ્ય સોંપીને કહ્યું-“આ દ્રવ્યમાંથી ચૈત્યનું કામ કરનારા સુતાર વગેરે માણસોને તમારે પગાર ચૂકવવો.” લોભથી પરાભવ પામેલો તે શેઠ સુતાર વગેરે મજૂરોને રોકડું દ્રવ્ય ન આપતાં આટો, ગોળ વગેરે ચીજો દેવદ્રવ્યથી સંગ્રહ કરીને આપવા લાગ્યો અને તેનો જે લાભ આવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy