SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ 3 [સ્તંભ ૧૩ અર્થ-“ચૈત્ય નિમિત્તે બોલેલું કે આપવા કહેલું દ્રવ્ય સત્વર આપી દેવું અને શુદ્ધ બુદ્ધિથી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી.” આનો ભાવાર્થ એવો છે કે દેવદ્રવ્ય એક ક્ષણ પણ રાખવું નહીં. બીજાનું કરજ હોય તે આપવામાં પણ વિવેકી પુરુષો જ્યારે સર્વથા વિલંબ કરતા નથી તો પછી દેવદ્રવ્ય આપવામાં તો કેમ જ વિલંબ કરે? જો સદ્ય આપવાને અસમર્થ હોય તો પ્રથમથી જ પખવાડીઆ કે અઠવાડીઆ પછી આપવાનો સ્ફટ રીતે અવઘિ કરવો. પછી તે અવધિનું ઉલ્લંઘન થાય તો પૂર્વોક્ત દેવદ્રવ્યના ઉપભોગના દોષનો પ્રસંગ આવે. વિલંબ કરવાથી સારા શ્રાવકને પણ દુર્ગતિ પ્રાપ્ત થાય છે. તે વિષે નીચેનું દ્રષ્ટાંત જાણવું. ઋષભદત્ત શ્રેષ્ઠીની કથા મહાપુર નગરમાં ઋષભદત્ત નામે પરમ આહંતુ શ્રેષ્ઠી રહેતો હતો. એક વખતે પર્વ દિવસે તે ચૈત્યમાં ગયો. ત્યાં શ્રાવકો જીર્ણ ચૈત્યના ઉદ્ધાર માટે એક ટીપ કરતા હતા. તેમાં ઋષભદત્ત પાસે દ્રવ્ય નહીં હોવાથી ઉઘારે આપવાનું કહી કાંઈક દ્રવ્ય નોંઘાવ્યું. પછી અનેક કામની વ્યગ્રતાને લીધે તત્કાળ તે આપી શકાયું નહીં. અન્યદા દૈવયોગે તેના ઘરમાં ચોરીની ઘાડ પડી. તેનું સર્વસ્વ લુંટાઈ ગયું. તેમાં શેઠે ભય બતાવવા શસ્ત્ર હાથમાં લીધું એટલે ચોરોના શસ્ત્રઘાતથી હણાઈને તે મૃત્યુ પામ્યો અને તે જ નગરમાં રહેનારા કોઈ નિર્દય, દરિદ્રી અને કૃપણ એવા મહિષવાહકને ઘેર પાડો થયો. તે ભિસ્તી નિરંતર પ્રત્યેક ઘેર તે પાડા પાસે જળ વગેરેનો ભાર વહન કરાવવા લાગ્યો. તે નગરની બાંઘણી ઊંચા ટેકરા ઉપર હોવાથી તે પાડાને અહોરાત્ર જળાદિ ભાર લઈને ઊંચે ચડવું પડતું હતું તેથી અને નિરંતર સુઘાતુર રહેવાથી અને તે સાથે ચાબુક વગેરેના પ્રહારથી તે મહાવ્યથા પામતો હતો. એક વખતે કોઈ નવું ચૈત્ય બંઘાતું હતું. તેના કિલ્લાને માટે તે જળ વહન કરવા ગયો. ત્યાં ચૈત્યપૂજા વગેરે જોઈ તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી તે હૃદયથી ચૈત્યભક્તિ કરવા લાગ્યો. પછી જ્ઞાનીનાં વચનથી તેને પોતાના પિતાનો જીવ જાણી તેના પૂર્વભવના પુત્રે દ્રવ્ય આપીને છોડાવ્યો અને પૂર્વભવે દેવું રહેલ દેવદ્રવ્ય હજારગણું આપીને તેને અનૃણી કર્યો. પાડો અનશન કરી સ્વર્ગે ગયો. એ પ્રમાણે દેવદ્રવ્ય આપવામાં વિલંબ કરવા વિષે દ્રષ્ટાંત જાણવું. દેવદ્રવ્યની વૃદ્ધિ ડાહ્યા માણસોએ નિર્દોષવૃત્તિથી કરવી. એટલે તે દ્રવ્યથી પંદર કર્માદાન તથા નઠારા વ્યાપાર કર્યા સિવાય શુભવ્યવહારાદિકથી જ દેવદ્રવ્ય વઘારવું. કહ્યું છે કે “પ્રભુની આજ્ઞા વિનાના કાર્ય વડે દેવદ્રવ્ય વઘારતાં છતાં પણ કેટલાક મૂઢ જીવો મોહ વડે અજ્ઞાની હોઈને ભવસાગરમાં ડૂબે છે.” શ્રાવકોને તો દેવદ્રવ્ય વ્યાજે પણ દેવું નહીં, તેમ શ્રાવકે લેવું પણ નહીં. શ્રાવક સિવાય બીજાને કાંઈક અધિક કિંમતનું ઘરેણું વગેરે રાખીને વ્યાજ વડે તેની વૃદ્ધિ કરવી યોગ્ય છે. સમ્યકત્વસત્તરીની ટીકામાં શંકાશની કથા પ્રસંગે તે પ્રમાણે કહેલું છે. દેવદ્રવ્ય વિનાશ પામતું જોઈ જે કોઈ તેની રક્ષા ન કરે તેને પણ દોષ લાગે છે. કહ્યું છે કે શ્રાવક જો દેવદ્રવ્ય ખાય અથવા તે ખવાઈ જતાં તેની ઉપેક્ષા કરે તો તે બુદ્ધિહીન થાય અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy