SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ 3 [તંભ ૧૩ खांभो तास समप्पिए, जसु खांडे अभ्यास । जिणहाकुं समप्पिए, तुल चेलउ कपास ॥१॥ “હે રાજા! ખડ્ઝ તેને આપીએ કે જેને ખગ્ન રાખવાનો અભ્યાસ હોય; જિણહાને (જિનદાસને) તો તોલાં, વસ્ત્ર ને કપાસ આપીએ.” શેઠે તેના ઉત્તરમાં કહ્યું કે असिधर धणुधर कुंतधर, सत्तिधरावि बहुअ । सत्तुसल्ल जे रणसूर नर, जणणि ते विरल पसुअ॥१॥ “હે શત્રુશલ્ય! ખર્ગઘારી, ઘનુષ્યઘારી, ભાલાઘારી અને શક્તિઘારી તો ઘણા છે; પણ જે રણમાં શૂરા રહે તેવા પુરુષને કોઈ વિરલ માતા જ જન્મ આપે છે.” વળી કહ્યું છે કે “અશ્વ, શસ્ત્ર, શાસ્ત્ર, વાણી, નર અને નારી તે પુરુષવિશેષને પ્રાપ્ત કરીને જ યોગ્ય અથવા અયોગ્ય થાય છે.” આવાં વચનથી હર્ષ પામી રાજાએ તેને કોટવાળ બનાવ્યો. તે વાત સાંભળીને જ ચોર માર્ગે ચોરી કરવી તજી દીધી. એક વખતે કોઈ સૌરાષ્ટ્ર દેશના જૈની ચારણે શેઠનું મન પૂજામાં કેવું છે એની પરીક્ષા કરવા માટે કોઈ ઊંટડીની ચોરી કરી. ગ્રામરક્ષકોએ તેની શોધ કરતાં તે ઊંટડી પેલા ચારણના ઘરમાં જોઈ. એટલે તે ચારણને બાંધી સુભટો જિણહા શેઠ (કોટવાળ)ની પાસે સવારની દેવપૂજાને વખતે લાવ્યા. શેઠ પૂજા કરતા હતા, તેથી પુષ્પના ડીંટને તોડવાની સંજ્ઞા વડે તેણે સેવકોને પોતાનો અભિપ્રાય જણાવ્યો. તે વખતે અવસર જાણી ચારણ બોલ્યો जिणहा ने जिणवरह, न मिलें तारोतार । जिण करे जिनवर पूजीए, ते किम मारणहार ॥१॥ “જિનદાસ શેઠ ને જિનેશ્વર એકરૂપ થયા નથી; નહીં તો જે હાથે જિનવરની પૂજા થાય તે હાથ બીજાને મારવાની સંજ્ઞા કેમ કરે?” વળી ચારણે કહ્યું કે चारण चोरी किम करे, जे खोलडे न समाय । तुं तो चोरी ते करे, जे त्रिभुवनमां न माय ॥२॥ હે શેઠ! વિચાર તો કર કે પોતાના ખોરડામાં માય નહીં તેવા ઊંટની ચોરી ચારણ કેમ કરે? પણ તેં તો ત્રણ ભુવનમાં ન માય તેવી ચોરી કરી છે.” આવા ચારણના વાક્યથી જિનદાસ શેઠ લજ્જ પામી વિચારવા લાગ્યો-“અહો! મેં જિનેશ્વર ભગવંતની આજ્ઞા લોપી. આટલા કાળ સુધી મેં માત્ર દ્રવ્યપૂજા જ કરી, પણ જે તત્ત્વ આ ચારણે કહી બતાવ્યું તેનો મેં કદી પણ આદર કર્યો નહીં, મને ધિક્કાર છે!” પછી તે ચારણને ગુરુની જેમ માની શેઠે કહ્યું- હે ઉપકારી પુરુષ! તમે સમ્યક્ પ્રકારે મારો આ ભવકૂપમાંથી ઉદ્ધાર કર્યો છે. ત્યાર પછી જ્યારે જિનદાસ શેઠ પૂજા કરવા બેસતો ત્યારે વિધિપૂર્વક અને ભાવસંયુક્ત પૂજા કરતો હતો. અન્યદા અવિધિએ કરેલ પૂજાનું પ્રાયશ્ચિત્ત સાધુની પાસે લઈને તે નિર્મળ થયો. “સબુદ્ધિવાળા પુરુષો જેમ પ્રાયશ્ચિત્ત ન આવે તેમ જ પ્રવૃત્તિ કરે છે. આજ્ઞાપૂર્વક વિધિથી જ ભવ્ય પુરુષોની ભક્તિ સંભવે છે.” ૧ ખગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy