SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૯૦] જિનપૂજાવિધિ ૧૪૫ વંદના ન કરાય ત્યાં સુધી જલપાન પણ ન કરવું, મધ્યાહ્ને જ્યાં સુધી ચૈત્યવંદના ન થાય ત્યાં સુધી ભોજન ન કરવું અને તેવી જ રીતે અપરાહ્ન માટે પણ જાણી લેવું.” અર્હતના દક્ષિણ ભાગે દીપક મૂકવો, તેમ જ ધ્યાન અને ચૈત્યવંદન પણ દક્ષિણે ભાગે કરવાં. ડાબી બાજુએ ધૂપ મૂકવો. વળી કહ્યું છે કે ‘પ્રાતઃકાળે કરેલી જિનપૂજા રાત્રિના પાપને હણે છે, મધ્યાહ્નકાળે કરેલી જિનપૂજા જન્મથી માંડીને કરેલા પાપને હણે છે અને રાત્રે કરેલી જિનપૂજા સાત જન્મના પાપને હણે છે.’’ વળી કહ્યું છે કે, ‘જે પ્રાણી ત્રિકાળ જિનપૂજા કરે છે તે સમ્યક્ત્વને શુદ્ધ કરે છે અને શ્રેણિક૨ાજાની જેમ તીર્થંકરનામકર્મનો બંધ કરે છે.’ આ જિનપૂજાનો વિઘિ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે. ચૈત્યવંદનભાષ્ય અથવા પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં કહેલ “વતિય હિમપળનું' ઇત્યાદિ ગાથામાં બતાવેલાં ચોવીશ મૂળ દ્વાર અને તેના બે હજાર તે ચુંમોતેર ઉત્તરભેદ દ્રવ્યભાવપૂજાની વિધિમાં યોજવા યોગ્ય છે. તેના ઉત્તરભેદ જો પૂજા કરનારે પોતાના નામની જેમ કંઠે કરી રાખેલ હોય તો તે પૂજકને પૂજામાં મોટું ફળ પ્રાપ્ત થાય છે. વિધિપૂર્વક કરેલા દેવપૂજનાદિ સર્વ અનુષ્ઠાન અતિશય પ્રશંસનીય છે અને સાતિચાર કરવામાં આવે તો અપાયાદિકની` પણ પ્રાપ્તિ થાય છે. અવિધિએ કરેલ ચૈત્યવંદનાદિકનું આગમમાં પ્રાયશ્ચિત્ત પણ કહેલું છે. મહાનિશીથસૂત્રના સાતમા અધ્યયનમાં આ પ્રમાણે સૂત્ર છે. “અવિધિથી ચૈત્યવંદના કરે તેને તેનું પ્રાયશ્ચિત્ત બતાવવું, કેમકે અવિધિથી ચૈત્યવંદના કરનારો બીજાને અશ્રદ્ઘા ઉત્પન્ન કરે છે.” માટે દેવપૂજા વખતે વિધિમાં સાવધાન રહેવું. મુખ્ય વૃત્તિએ તે વખતે મૌન રાખવું. જો મૌન રહી શકાય નહીં તો પાપહેતુવચનનો તો સર્વથા ત્યાગ કરવો, કારણ કે જે વખતે નિસિહી કહેલી છે તે વખતે જ ગૃહાદિકના વ્યાપારનો નિષેધ કરેલો છે. વળી તે સમયે પાપહેતુ કોઈ સંજ્ઞા પણ ન કરવી. તે વિષે ઘોળકાના નિવાસી જિનદાસ શ્રેષ્ઠીનું દૃષ્ટાંત છે તે આ પ્રમાણે– જિનદાસ શેઠની કથા ઘેાળકામાં જિનદાસ નામે નિર્ધન શ્રેષ્ઠી રહેતો હતો. ઘીનાં કુડલાં અને કપાસના બોજ ઉપાડવાની તે મજૂરી કરતો. એક વખતે તે શેઠે ઉત્કટ ભાવથી ભક્તામરસ્તોત્રનું સ્મરણ કર્યું. તેથી સંતુષ્ટ થયેલ શાસનદેવીએ તેને વશીકરણ રત્ન આપ્યું. એક વખતે માર્ગમાં તેને દુષ્ટ કર્મથી વિખ્યાત થયેલા ત્રણ ચોર મળ્યા. એટલે તેણે બીજાં બાણ ભાંગી નાંખ્યા અને ચોરની સંખ્યા પ્રમાણે ત્રણ બાણ રાખ્યાં. તે ચોર જ્યારે તેને ઉપદ્રવ કરવા આવ્યા ત્યારે પેલા રત્નના પ્રભાવે ત્રણ બાણ મારીને તેણે ત્રણેને મારી નાખ્યા. તે અરસામાં પાટણ નગરમાં ભીમદેવ રાજા રાજ્ય કરતો હતો. તેણે આ અદ્ભુત વૃત્તાંત સાંભળી તે શેઠને બોલાવ્યો અને બહુમાનપૂર્વક દેશની રક્ષા માટે ખડ્ગ આપીને તેને કોટવાળ બનાવ્યો. તે વખતે શત્રુશલ્ય નામે સેનાપતિ ઈર્ષ્યાથી બોલ્યો કે ૧ કષ્ટ વગેરેની. ૨ એમ બતાવવા માટે કે ચોર ત્રણ છે, તેથી વધારે બાણ નકામા છે. આમાં તેણે પોતાનું પરાક્રમ સૂચવ્યું છે. [ભાગ ૩–૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy