SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૩ જોઈ ‘અહો! આ જિનેશ્વરે આટલા સાધુઓ સાથે સંસાર છોડી, કેશલોચ કરી દીક્ષા લીધી’ ઇત્યાદિ દીક્ષાકલ્યાણક સંબંધી ભાવના ભાવવી. પછી અંગપૂજા કરી છત્ર, ચામર, ભામંડળ, આસન વગેરે સર્વ સમૃદ્ધિ જોઈ અષ્ટ પ્રાતિહાર્યયુક્ત એવા કેવળજ્ઞાન કલ્યાણકની હૃદયમાં ભાવના કરવી. પછી ચૈત્યવંદનાદિકને સમયે પર્યંકાસનવાળી અથવા કાયોત્સર્ગાદિ અવસ્થાવાળી પ્રતિમા જોઈ ‘‘અહો ! આ પ્રભુ પર્યંકાસને અથવા કાઉસગ્ગ મુદ્રાએ ચિદાનંદમય સિદ્ધિપદને પ્રાપ્ત થયા છે’’ એમ મોક્ષકલ્યાણકની ભાવના કરવી. આ પ્રમાણે પાંચ કલ્યાણકનું સ્મરણ કરવું. પ્રભુની આગળ પાંચ અભિગમ ઘારવા. તે આ પ્રમાણે– ૧ પ્રભુના મંદિરમાં ગમન કરતાં પુષ્પ, તાંબૂલ, સોપારી, બદામ, છરી, કટારી, સૂડી, મુગટ અને વાહન વગેરે સચિત્ત અચિત્ત દ્રવ્યનો ત્યાગ કરવો. ૨ મુગટ સિવાય બાકીના આભૂષણાદિ અચિત્ત દ્રવ્યનો ત્યાગ કરવો નહીં. ૩ એકવડા અને પહોળા વસ્ત્રનો ઉત્તરાસંગ કરવો. ૪ પ્રભુના દર્શન થતાં જ મસ્તકે અંજલિ જોડી ‘જિનાય નમઃ’ એમ કહી નમસ્કાર કરવો અને ૫ મનમાં એકાગ્રતા કરવી. વિધિનું ઉલ્લંઘન કર્યા વગર પ્રભુની પૂજા કરવી એમ કહ્યું છે તે વિધિ પૂર્વસૂરિઓએ આ પ્રમાણે કહેલો છે—‘૧. સ્નાન કરી, ઘરદેરાસરની નજીક જઈ પ્રથમ ભૂમિનું પ્રમાર્જન કરવું. પછી યોગ્ય વસ્ત્ર પહેરી મુખકોશ બાંધવું. ૨. પુરુષે પૂજાવિધિમાં સ્ત્રીનું વસ્ત્ર પહેરવું નહીં, અને સ્ત્રીએ પુરુષનું વસ્ત્ર પહેરવું નહીં, કારણ કે તે વજ્ર કામરાગને વધારનાર છે. ૩. શલ્ય વગરના શુદ્ધ સ્થાનમાં બુદ્ધિમાન પુરુષે દેવાલય કરાવવું અને તે ઘરમાં જતાં ડાબી તરફ જમીનથી દોઢ હાથ ઊંચું કરવું. ૪. ચારી વિદિશા અને દક્ષિણદિશા છોડીને કરવું અને પૂજકે પૂજા કરવા માટે પૂર્વાભિમુખે અથવા ઉત્તરાભિમુખે બેસવું. ૫-૬. દિશાઓનાં ફળ આ પ્રમાણે કહેલાં છે—પૂર્વદિશા સામે બેસવાથી લક્ષ્મી મળે છે, અગ્નિ દિશામાં સંતાપ થાય છે, દક્ષિણમાં મૃત્યુ થાય છે, નૈઋત્યદિશામાં ઉપદ્રવ થાય છે, પશ્ચિમદિશામાં પુત્રનું દુઃખ થાય છે, વાયવ્યદિશામાં સંતતિ થતી નથી, ઉત્ત૨માં મહાલાભ થાય છે અને ઈશાનમાં ધર્મવાસના વધે છે. ૭. વિવેકી પુરુષોએ પ્રથમ પ્રભુનાં ૐચરણ, જાનુ, હાથ, ‘ખભા અને મસ્તક ઉપર અનુક્રમે પૂજા કરવી. ૮. ચંદન સહિત કેશર વિના પૂજા કરવી નહીં અને પોતાના શરીર પર લલાટે, કંઠે, હૃદયે અને ઉદરે એમ ચાર સ્થાને તિલક કરવાં. ૯. પ્રભાતે સુવાસ (વાસક્ષેપ)થી, મધ્યાહ્ને પુષ્પોથી અને સંધ્યાકાળે ધૂપદીપથી વિવેકી પુરુષોએ પ્રભુની પૂજા કરવી. કદી જો એ પ્રમાણે ત્રિકાળ જિનપૂજા ન થઈ શકે તો શ્રાવકે ત્રિકાલ દેવવંદના કરવી. તે વિષે આગમમાં કહ્યું છે કે “હે દેવાનુપ્રિય! આજથી જાવજીવ સુધી ત્રિકાળ એકાગ્રચિત્તે ચૈત્યવંદના કરવી. આ અશુચિ, અશાશ્વત અને ક્ષણભંગુર એવા મનુષ્યાવતારમાં એ જ સાર છે. તેથી દિવસના પ્રથમ પહોરે જ્યાં સુધી ચૈત્યને અને સાધુને ૧ પુષ્પ, તાંબૂલાદિ પોતાના ઉપયોગના સમજવા. ૨ મુગટ-પાઘડીની ઉપર શિરપેચની જેમ બંધાય છે તે સમજવો. ૩ પગના અંગૂઠા. ૪ પ્રથમના ચારે અંગયુગ્મ જાણવાં. ૫ પુષ્પોથી એટલે અષ્ટપ્રકારી પૂજા સમજવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy