SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૯૦] જિનપૂજાવિધિ ૧૪૩ પાટલીપુત્ર નગરમાં હાલ વિચરે છે.” તે સાંભળી મનક તત્કાળ માતાની આજ્ઞા લઈ પિતાને જોવા ઉત્સુક થઈ તે નગરમાં આવ્યો અને માર્ગે ચાલ્યા જતા મુનિઓના સમૂહમાં જઈને પૂછ્યું-“શäભવ મુનિ કોણ છે?” તેવું પૂછતાં જ શયંભવસૂરિએ શ્રુતજ્ઞાનના ઉપયોગથી તેને પોતાનો પુત્ર જાણી લીઘો. પછી ઉપાશ્રયમાં લાવી તેને દીક્ષા દીધી, પરંતુ તેનું આયુ માત્ર છ માસનું જ અવશિષ્ટ રહેલું જાણી દ્વાદશાંગીમાંથી ઉદ્ધાર કરી દશવૈકાલિક નામે સૂત્ર રચી તેને ભણાવ્યું. તે સૂત્રનું અધ્યયન કરી આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ પામીને તે દેવતા થયો. તેના મૃત્યુ વખતે સૂરિને આંખમાં આંસુ આવ્યા. તે જોઈ બીજા મુનિઓ કહેવા લાગ્યા“હે સ્વામી! જ્યારે તમારા જેવા મોહરૂપ રાક્ષસથી ગ્રસ્ત થઈ અગ્રુપાત કરશે તો પછી ઘીરતા ક્યાં રહેશે?” સૂરીશ્વર બોલ્યા-“હું મોહવશ થઈ અગ્રુપાત કરતો નથી, પણ આ મારો પુત્ર અલ્પ સમયનું ચારિત્ર પાળી સ્વર્ગ ગયો છે. જો તેનું આયુષ્ય લાંબું હોત તો તે તેથી પણ અધિક મહતુપદ પ્રાપ્ત કરત. આવા વિચારથી મને ખેદ થયો હતો.” તે જાણી સર્વ મુનિઓને વિસ્મય ને વિષાદની અનુભૂતિ થઈ. તેઓએ ગુરુને કહ્યું કે “આપના પુત્ર હતા તો તે અમને અગાઉથી જણાવવું તો હતું, અને તેની બરાબર વૈયાવચ્ચ કરત.” ગુરુએ કહ્યું- તેવું જણાવવાથી તેના આત્માનું કાર્ય સિદ્ધ ન થાત.” યુગપ્રઘાન શäભવ સૂરિ ચિરકાળ ભવ્યશ્રેણીને પ્રતિબોઘ આપી પ્રાંતે સ્વર્ગે ગયા. પ્રાજ્ઞ પુરુષોએ ચૈત્ય શબ્દ વડે જિનેંદ્ર મૂર્તિ કહેલ છે તે સત્ય છે, કેમ કે શય્યભવ મુનિ ચૈત્યને જોઈ તે શબ્દમાં રહેલ ઘાતુનો અર્થ ચિત્તમાં ઘારી ઉત્તમ ગતિ પામ્યા છે.” વ્યાખ્યાન ૧૯૦ જિનપૂજાવિધિ कल्याणकानि पंचापि, स्मर्त्तव्यान्यर्चणक्षणे । पंचैवाभिगमा धार्या, विध्यनुल्लंघ्य पूजनम् ॥१॥ ભાવાર્થ-“પૂજા વખતે પાંચ કલ્યાણકનું સ્મરણ કરવું, પાંચ અભિગમ ઘારવા અને પૂજાના વિધિનું ઉલ્લંઘન કરવું નહીં.” વિશેષાર્થ-પૂજા વખતે પાંચ કલ્યાણકનું સ્મરણ કરવું તે આ પ્રમાણે-પૂજા કર્યા પહેલાં બે હાથ જોડી મનમાં ઘારેલા પ્રભુ સંબંધી અવનકલ્યાણક આ પ્રમાણે વિચારવું–હે જિનેંદ્ર! તમે અમુક વિમાનમાંથી ચવી અમુક માતાના ઉદરમાં અવતર્યા. અમારા જેવા જીવોને તારવા તમે મનુષ્યસ્વરૂપ ઘારણ કર્યું છે. અહો! અમારા મોટાં ભાગ્ય છે. આ પ્રમાણે ચિંતવી પ્રભુના દેહ ઉપરથી નિર્માલ્ય વગેરે દૂર કરવા અને તે પણ જ્યાં કુંથુવા વગેરે જીવો ઉત્પન્ન ન થાય તે સ્થળે મૂકવાં. પછી મોરપીંછ વડે પ્રભુના અંગને પ્રમાજી સુગંધી જળથી ભરેલ કળશ હાથમાં લઈ પ્રભુને સ્નાન કરાવવું. તે વખતે જન્મકલ્યાણક સંબંધી સર્વ સ્વરૂપ ભાવવું. પછી શુભ વસ્ત્રથી અંગ લૂંછવું અને નવણનું જળ જ્યાં જીવહિંસા તથા આશાતના ન થાય તે સ્થળે નાખવું. અંગ લૂક્યા પછી પ્રભુની સન્મુખ ઊભા રહી દાઢી મૂછ વગેરેથી રહિત એવું પ્રભુનું અંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy