SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ 3 [સ્તંભ ૧૩ ઉપવાસનું ફળ થાય છે, જિનભુવનને દેખવાથી માસ ઉપવાસનું ફળ થાય છે, જિનભવનને પ્રાપ્ત થયેલો મનુષ્ય છમાસી તપનું ફળ મેળવે છે, તેના દ્વાર પાસે પહોંચતાં સંવત્સર તપનું ફળ મળે છે, પ્રદક્ષિણા કરવાથી સો વર્ષના ઉપવાસનું ફળ મળે છે, જિનબિંબને પૂજવાથી હજાર વર્ષના તપનું ફળ મળે છે અને જિનેશ્વરની સ્તુતિ કરવાથી અનંતું ફળ મળે છે.” વળી કહ્યું છે કે “જિનબિંબનું પ્રમાર્જન કરવાથી સોગણું, વિલેપન કરવાથી સહસ્ત્રગણું, પુષ્પમાળા ચડાવવાથી લાખગણું અને ગીતવાદિત્રથી અનંતગણું પુણ્ય થાય છે.” આ જિનબિંબનું દર્શન ઘણા જીવોને અનેક પ્રકારે ગુણકારી છે. તે વિષે શ્રી દશવૈકાલિકની નિર્યુક્તિમાં કહ્યું છે કે “જિનપ્રતિમાના દર્શનથી પ્રતિબોઘ પામેલા, મનકનાં પિતા અને દશવૈકાલિકના કથક એવા શäભવ ગણધરને હું વાંદું છું. તેમનો સંબંઘ આ પ્રમાણે છે શ્રી શય્યભવસૂરિની કથા શ્રી જંબુસ્વામીની પાટે પ્રભવસૂરિ થયા હતા. તેમણે શ્રુતજ્ઞાન વડે પોતાના પદને યોગ્ય એવા કોઈ મુનિ પોતાના ગચ્છમાં દીઠા નહીં. પછી તેમણે પોતાની શ્રુતદ્રષ્ટિથી જોયું તો, રાજગૃહી નગરીમાં શથંભવ નામનો એક શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના પદને યોગ્ય જોવામાં આવ્યો. પછી ગુરુ રાજગૃહી નગરીમાં આવ્યા. તે શઠંભવ બ્રાહ્મણ અનેક બ્રાહ્મણોને એકઠા કરી યજ્ઞકર્મ કરાવતો હતો. તેને બોઘ કરવાને માટે બે ચતુર સાધુઓને યજ્ઞસ્થળે મોકલ્યા. સાઘુઓ ત્યાં જઈ આ પ્રમાણે શ્લોકનાં બે પદ બોલ્યા–“હો hષ્ટમથો ખું, તત્ત્વ ર જ્ઞાતિ પર” “અહો! કષ્ટની વાત છે કે મહાકષ્ટ કરે છે, પણ પરમ તત્ત્વને જાણતા નથી.” આ પ્રમાણેના બે પદ કહી તેઓ સત્વર પાછા વળ્યા. તે સાંભળી શય્યભવ વિપ્રે વિચાર્યું કે “આ સાધુ જરૂર મૃષાભાષી ન હોય, માટે યજ્ઞાચાર્યને તત્ત્વ પૂછું.” આવું વિચારી તેણે યજ્ઞાચાર્યને તત્ત્વ પૂછ્યું. યજ્ઞાચાર્યે કહ્યું–“યજ્ઞ જ તત્ત્વ છે.” તથાપિ સંશયને પામેલો શäભવ સત્વર તે સાઘુની પાછળ ચાલ્યો અને પ્રભવસૂરિ પાસે જઈ તેણે સૂરિને તે વિષે પૂછ્યું એટલે સૂરિ બોલ્યા–“ભદ્ર! જો તું ભય દેખાડીશ તો તે યજ્ઞાચાર્ય જ તને તત્ત્વ કહેશે.” તેણે પાછા આવી પડ્યું ખેંચીને યજ્ઞાચાર્યને કહ્યું–‘તત્ત્વ કહો, નહીં તો આ ખન્ન વડે તમારા શિરનો છેદ કરી નાખીશ.” પછી યજ્ઞગુરુએ ભય પામી યજ્ઞના સ્તંભ નીચે સ્થાપિત કરેલી શ્રી શાંતિનાથજિનની મૂર્તિ તેને કાઢી બતાવી. મૂર્તિ જોઈ તે વિચારમાં પડ્યો કે અહો! આ મૂર્તિ નિરુપમ છે. પછી તે મૂર્તિ લઈ તે શય્યભવ બ્રાહ્મણ સૂરિની પાસે આવ્યો અને તે દેવનું સ્વરૂપ પૂછ્યું. સૂરિના એક જ ઉપદેશથી પ્રતિબોધ પામીને શય્યભવે પરંપરાગત મિથ્યાત્વ છોડી આશાતના વગરની ભૂમિ ઉપર મૂર્તિ સ્થાપિત કરી, દીક્ષા લઈ અનુક્રમે દ્વાદશાંગીનું અધ્યયન કર્યું. સૂરિએ તેને પોતાના પદ ઉપર સ્થાપિત કર્યા. શäભવે દીક્ષા લીધી ત્યારે તેની પત્ની સગર્ભા હતી. તેણે ગર્ભસ્થિતિ પૂર્ણ થતાં મનક નામના પુત્રને જન્મ આપ્યો. મનક આઠ વર્ષનો થયો એટલે બાળકોની સાથે ક્રીડા કરતાં બાળકો તેને અપિતૃક (નબાપો) કહી તિરસ્કાર કરવા લાગ્યા. મનકે લા પામી પોતાની માતાને તે વિષે પૂછ્યું. માતાએ ગદ્ગદ્ સ્વરે કહ્યું-“વત્સ! તારા પિતાએ કોઈ જૈનગુરુ પાસે દીક્ષા લીધી છે. હું શું કરું? કોઈ શ્વેતાંબરીએ કાંઈક કહીને તેને ઘૂતી લીધા છે. અને તે મુનીશ્વર થયેલા છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy