SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૮૯] ચૈત્ય શબ્દનો અર્થ ૧૪૧ આપતા નથી, પણ દાતાને અનુમોદે છે અને તે ક્રિયામાં શ્રાવકને પ્રેરે છે તે વાત તેં કેમ અંગીકાર કરી? તે પ્રમાણે અહીં પણ સમજવું. વળી કોઈ ચડીમાર કે માછી મત્સ્યાદિકની હિંસામાં તત્પર હોય તે વખતે કોઈ મુનિ પાત્રમાં ભોજન લઈને જતા હોય તેને જોઈ તે હિંસક કહે કે ‘હે મુનિ! મને ભોજન આપો તો આ સર્વ જીવ હું છોડી મૂકું અને પાછા જીવતાં જળમાં મૂકી દઉં, નહીં તો તેને મારી નાખીશ.' આ પ્રમાણે સાંભળી તેમાં અનેક લાભ જુએ, તથાપિ ભગવંતની આજ્ઞાના લોપના ભયથી તેને પોતાના આહારમાંથી કિંચિત્ પણ ન આપે અને શ્રાવકોને તે કાર્ય માટે પ્રેરણા કરે, તેમ જ અનુમોદના કરે. તેમ અહીં પણ અર્થ જોડી લેવો. વળી કોઈ એવી શંકા કરે કે ‘‘પાષાણની પ્રતિમાની પૂજાદિક કરવામાં શો લાભ છે? કારણ કે પૂજાદિક કરવાથી કાંઈ તે તૃપ્ત કે સંતુષ્ટ થતી નથી અને જે વૃક્ષ કે સંતુષ્ટ ન થાય તેવા દેવ પાસેથી ફળની પ્રાપ્તિ પણ થતી નથી.’’ તેના ઉત્તરમાં કહેવાનું કે અચેતન એવા ચિંતામણિ રત્ન વગેરેથી પણ ફળપ્રાપ્તિનો વિરોધ નથી અર્થાત્ ફળપ્રાપ્તિ થાય છે. તે વિષે વીતરાગસ્તોત્રમાં કહ્યું છે કે– अप्रसन्नात्कथं प्राप्यं फलमेतदसंगति । चिंतामण्यादयः किं न, फलंत्यपि विचेतनाः ॥१॥ “પ્રસન્ન ન થાય તેવાની પાસેથી ફળ શી રીતે મળે? એમ માનવું અસંગત છે; કારણ કે અચેતન એવા ચિંતામણિ વગેરે પણ શું ફળ નથી આપતા?’’ શ્રી જિનપ્રતિમામાં વીતરાગના સ્વરૂપનો અધ્યારોપ કરીને પૂજાવિધિ કરવા યોગ્ય છે. તે વિષે શ્રી ભગવતી અંગમાં ચારણશ્રમણના અધિકારમાં કહ્યું છે કે “હે ભગવંત! વિદ્યાચારણ મુનિનો તીરછો ગતિવિષય કેટલો કહ્યો છે?'' ભગવંત કહે છે-“અહીંથી એક ઉત્પાદે (એક પગલે) માનુષોત્ત૨ પર્વતપર જઈને સમવસરણ કરે અને ત્યાં રહેલા ચૈત્યને વાંદે; બીજે ઉત્પાદે ત્યાંથી નંદીશ્વર દ્વીપે સમવસરે અને ત્યાં રહેલા ચૈત્યને વાંદે; ત્યાંથી પાછા વળતાં એક ઉત્પાદે અહીં આવે અને અહીંના ચૈત્યને વાંદે.” “હે ભગવંત! વિદ્યાચરણ મુનિનો ઊર્ધ્વલોકમાં ગતિવિષય કેટલો છે?’' ભગવંત કહે છે-“ઠે ગૌતમ! એક ઉત્પાદે અહીંથી નંદનવનમાં સમવસરે, ત્યાંના ચૈત્યને વાંદે; બીજે ઉત્પાદે પાંડુકવને પહોંચે, ત્યાંના ચૈત્યને વાંદે. પાછા એક ઉત્પાદે અહીં આવે ને અહીંના ચૈત્યને વાંદે.’’ તેમાં તે દ્વીપાદિકને વિષે શાશ્વત ચૈત્ય લેવાં. અહીં બહુવચન છે, તેથી ચૈત્ય શબ્દ વડે જિનબિંબ જ જાણવાં. ઇત્યાદિ અનેક યુક્તિથી ચૈત્ય શબ્દનો અર્થ જ્ઞાન થતો નથી અને તેથી જ કોષકારે કહ્યું છે કે ‘ચૈત્ય એટલે જિનાલય અથવા જિનબિંબ.' તે યુક્તિયુક્ત સિદ્ધ થાય છે. આ પ્રસંગમાં વધારે કહેવાની હવે જરૂર નથી. હવે તે ચૈત્ય એટલે જિનબિંબ ભાવથી વાંદવા યોગ્ય છે, તેની પૂજા કરવા યોગ્ય છે. જિનબિંબને જીવંત શ્રી વીતરાગ પરમાત્મા જાણીને તેની સ્તુતિ તથા પૂજા કરવા યોગ્ય છે. વંદનાનું ફળ શ્રી પદ્મચરિત્રમાં આ પ્રમાણે કહેલું છે—ચૈત્યનું એટલે જિનબિંબનું દર્શન કરવા જવાનું મનમાં ચિંતવન કરવાથી ચતુર્થભક્તનું ફળ થાય છે, ત્યાં જવા માટે ઊઠવાથી છઠ્ઠનું ફળ થાય છે, જવાનો આરંભ કરવાથી અઠ્ઠમનું ફળ થાય છે; થોડું જવાથી દશમ (ચાર ઉપવાસ)નું ફળ થાય છે; જરા વધારે ચાલવાથી પાંચ ઉપવાસનું ફળ થાય છે, માર્ગના મધ્યમાં આવવાથી પક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy