SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ 3 [તંભ ૧૩ મિથ્યાત્વી હતો. તે જૈનધર્મની પ્રશંસા કરવા યોગ્ય વાર્તા શી રીતે જાણે? એથી આબાલગોપાલ પ્રસિદ્ધ એવો જ અર્થ કરવો તે આ પ્રમાણે-“દેવ એટલે સ્વાભીષ્ટ ઈશ્વર, તેનું ચૈત્ય એટલે બિંબ તેની જેમ હું પૂજા કરું વા સ્તુતિ કરું.” આ અર્થ સર્વ રીતે ઘટિત છે. કોઈ મિથ્યાત્વી એમ બોલે કે “જીવની વિરાઘના ઘર્મને માટે પણ જે કરે તેને મંદબુદ્ધિ કહેલો છે.” દશમા અંગ શ્રી પ્રશ્નવ્યાકરણસૂત્રમાં કહ્યું છે કે પ્રતિમાને ઘડવા કે પૂજવાના સમયે જે જીવ હિંસા કરે તે મંદબુદ્ધિ પુરુષ છે.” આવો અર્થ તેઓ કરે છે, પણ તેનો એ અર્થ અયુક્ત છે. અહીં મંદબુદ્ધિ તો તેને જ સમજવા કે જેઓ યજ્ઞાદિ કાર્યમાં જીવ અજીવને નહીં જાણનારા ઘર્મબુદ્ધિથી બકરા પ્રમુખનો વઘ કરે છે. અરે મુગ્ધ! જો તું એ અર્થને અહીં જિનચૈત્યાદિ શુભ ક્રિયામાં લગાડે છે તો તને પૂછવાનું કે નદી ઊતરવામાં, વિહાર કરવામાં, ઘર્મક્રિયા કરવામાં, ગુરુવંદના કરવા માટે જવામાં અને ઉપાશ્રય પ્રમુખ ઘર્મસ્થલ કરાવવામાં સર્વત્ર જીવવઘ થાય છે કે નહીં? જો થાય છે તો તું પણ મંદબુદ્ધિ થઈ ગયો. તે વિષે કહ્યું છે કે “જતનાપૂર્વક પ્રવૃત્તિ કરતાં જે વિરાઘના થાય તે સૂત્ર અનુસારે ચાલવાના કારણથી કર્મક્ષયરૂપ નિર્જરાનું કારણ થાય છે અને તેથી આત્મસ્વરૂપની શુદ્ધિ થાય છે. આ ગાથાનો અર્થ બરાબર ઘારવો. જે પોતાના કુટુંબાદિકને કારણે પણ આરંભ કરે નહીં તેવા પડિમા વહેનારાને જિનબિંબનું વિઘાન કરવાનું નથી. તેને માત્ર પ્રતિમા માનવા યોગ્ય છે. શ્રાવકને યોગ્ય એવી તે પ્રતિમાવિઘાનાદિ ક્રિયા દ્રવ્યને આધીન છે. તે બારવ્રતધારી શ્રાવકને કરવા યોગ્ય છે. દ્રવ્યપૂજા વગેરે પાંચ મહાવ્રતમાં નથી; કારણ કે મુનિને પરિગ્રહનો અભાવ છે. બાકી શિક્ષાવ્રતની જેમ સમતિમાં પણ તે કર્તવ્ય છે. આ વિષે શ્રીઉવવાઈ સૂત્રમાં અંબડ પરિવ્રાજકનો આલાવો છે. તેનો અર્થ આ પ્રમાણે-“બીજા ચરકાદિક પરિવ્રાજકો (ગુરુઓ), બીજા તીર્થના હરિહરાદિક દેવો અને અન્યતીર્થી તાપસ વગેરેએ પોતાના ચૈત્યમાં સ્થાપ્યા હોય–પોતાના હરિહરાદિ દેવપણે માનેલા હોય એવા અરિહંતના બિંબ વાંદવા, પૂજવા, તેની પર્યાપાસના કરવી તે અંબડને કહ્યું નહીં.” શ્રી ભગવતીસૂત્રમાં આરંભ વડે પણ ઘર્મની પ્રાપ્તિ કહેલી છે તે આ પ્રમાણે –“હે ભગવ! શ્રાવક તથા પ્રકારના શ્રમણ એટલે મુનિમહારાજને અપ્રાસક (સચિત્ત) અને અષણીય એવા અશનાદિક વડે પ્રતિલાભે તો તે શું ઉપાર્જે?” “હે ગૌતમ! તે ઘણી કર્મની નિર્જરા કરે અને અતિ અલ્પ પાપ બાંધે.” વળી સૂત્રમાં ગ્લાન વગેરે સાધુઓને આઘાકર્મી આહારની પણ આજ્ઞા આપેલી છે, તો તે જીવહિંસા વિના થતો નથી; તેવી જ રીતે જિનબિંબ વગેરેમાં પણ જાણી લેવું. અથવા કોઈ મુનિના દેહમાં કીડા પડેલા જોવામાં આવે તો શ્રાવક અનુબંઘહિંસાને અભાવે જીવાનંદ વૈદ્યની જેમ સાવદ્ય ઔષઘ કરે. તે પ્રમાણે અહીં ચૈત્ય વિષે પણ જાણી લેવું. અહીં કોઈ શંકા કરે કે “સાધુઓ પોતે ચૈત્યાદિ કરતા નથી પણ શ્રાવકોની તે ક્રિયા અનુમોદે છે અને ચૈત્યક્રિયામાં તેને પ્રેરે છે. તો કરવું, કરાવવું અને અનુમોદવું એ ત્રણે પ્રકારે સર્વને સરખું ફળ મળે છે, તેથી જે આ ત્રિકનો સંયોગ કહેલ છે તેમાં બે આદરે ને એક ન આદરે–ચૂન કરે તો તે માર્ગના લોપક થાય છે. ગુરુ કહે છે–“અરે નિબિડ જડતારૂપ અંઘકારથી વ્યાસ પુરુષ! આવી શંકા કરવી યોગ્ય નથી; કારણ કે ચાર પ્રકારના ઘર્મમાં દાનધર્મ પ્રથમ કહેલ છે, તે દાન મુનિ પોતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy