SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૮૯] ચૈત્ય શબ્દનો અર્થ વ્યાખ્યાન ૧૮૯ ચૈત્ય શબ્દનો અર્થ प्राहुः जिनौकस्तद्धिंबं चैत्यशब्देन सूरयः । अतस्तद्भावतो वंद्यं बह्वात्मनां गुणप्रदम् ॥ १॥ ભાવાર્થ-‘વિદ્વાન સૂરિઓ ચૈત્ય શબ્દનો અર્થ જિનાલય અને જિનબિંબ કહે છે, એથી ઘણા આત્માને ગુણ પ્રાપ્ત કરી આપનાર ચૈત્ય ભાવથી વંદન કરવા યોગ્ય છે.’’ વિશેષાર્થ–પોતાનાં અને પારકાં શાસ્ત્રના શબ્દાર્થને નહીં જાણનારા કેટલાક લોકો ચૈત્ય શબ્દનો અર્થ જ્ઞાન, મુનિ, વન વગેરે કલ્પનાથી કહે છે, પણ તે અસત્ય છે; કારણ કે કોશપ્રમુખ કે શબ્દશાસ્ત્રથી ચૈત્ય શબ્દનો અર્થ પ્રતિમા જ થાય છે. તે આ પ્રમાણે— ૧૩૯ વ્યાકરણમાં વિતિ સંજ્ઞાને એવો થાતુ છે. તે ઉપરથી ‘જેનાથી કાષ્ઠાદિકની પ્રતિકૃતિ (પ્રતિમા) જોઈ સંજ્ઞા ઉત્પન્ન થાય કે ‘આ અરિહંતની પ્રતિમા છે' તે ચૈત્ય કહેવાય છે, એમ વ્યુત્પત્તિ થાય છે. તથા ધાતુપાઠવૃત્તિમાં ‘“વિત્ યને” એ ધાતુનો ચૈત્ય એવો પ્રયોગ થાય છે. તથા નામમાળામાં લખે છે કે ‘દૈત્ય વિજ્ઞારે બિનક્ષપ્રનિ’' ચૈત્ય શબ્દ વિહાર અને જિનાલય માટે વપરાય છે.’’ તે ગ્રંથની સ્વોપજ્ઞ વૃત્તિમાં “ચીયતે રૂતિ વિત્તિઃ તત્યમાવઃ ચૈત્યું” એવી વ્યુત્પત્તિ કરી ‘ભાવે ય’ પ્રત્યય આવ્યો છે એમ લખ્યું છે. વળી અમરકોશમાં “ચૈત્યમાયતનું પ્રોń” એમ કહેલું છે. હૈમ અનેકાર્થ સંગ્રહમાં ચૈત્ય બિનૌસ્તક્રિવ, ચૈત્યમુદ્દેશપાવવઃ” ચૈત્ય એટલે જિનાલય, જિનબિંબ અને ઉદ્દેશવૃક્ષ' એમ ત્રણ અર્થ કહ્યા છે. આગમમાં પણ કહ્યું છે કે ચેડ્યરે નિજ્ઞદ્ધિ ય ગળિસિહં (પં) વવિનં રેફ્ । તેની ટીકામાં કહ્યું છે કે—ચૈત્ય એટલે જિનપ્રતિમા—તેનો અર્થ એટલે પ્રયોજન તે. નિર્જરાનો અર્થ કર્મક્ષયની ઇચ્છાએ વૈયાવૃત્યને યોગ્ય ક્રિયા વડે ઉપદંભન કરે (કીર્તિ વગેરેની ઇચ્છા વિના નિરપેક્ષપણે). એવો અર્થ શ્રી પ્રશ્નવ્યાકરણની વૃત્તિમાં કહ્યો છે. તે જ સૂત્રમાં આસવદ્વારમાં પણ ચૈત્ય શબ્દ કહેલો છે. ત્યાં એમ સમજવું કે સંસારના હેતુરૂપ કીર્તિ વગેરેની અપેક્ષાએ જે ચૈત્યાદિ કરાવવા તેનો આસ્રવમાં અંતર્ભાવ થાય છે, અથવા કુદેવનાં ચૈત્ય વગેરે કરાવવાં તે આસ્રવ કહેવાય છે. Jain Education International સૂત્રમાં સર્વ સ્થળે જિનાદિકની વંદના કરવામાં ઉત્સુક એવો ભાવુક હૃદયમાં એવું વિચારે છે કે—યતોહં કફ્રલ્લાણં મંગલ દેવયં ચેઇયં વિણઊંણં પશુવાસામિ, “હું કલ્યાણકારી, મંગલમય, દેવતાના ચૈત્યની જેમ વિનયથી સેવા કરું.' આ સૂત્રપાઠનો અર્થ કેટલાક અજ્ઞાની એવો કરે છે કે “દેવ એટલે ધર્મદેવ–સાધુ, તેને ચૈત્ય એટલે છેલ્લું જ્ઞાન (કેવળજ્ઞાન) થયું હોય ત્યારે દેવતા તેને જેવી રીતે સ્તવે છે તેમ હું સ્તવું છું.” આ તેમનો કલ્પિત અર્થ યુક્તિવાળો નથી. તેનું ખંડન આ પ્રમાણે—પાંચમા અંગ શ્રી ભગવતીસૂત્રમાં તામિલ શ્રેષ્ઠીએ આવી રીતે ચિંતવ્યું કે “મારા સગાસંબંઘીને અઢાર જાતિનાં શાક કરી રજમાડું, કલ્યાણકારી મંગલકારી દેવતાના ચૈત્યની જેમ વિનય વડે સેવા કરું.’’ આ સ્થાને પૂર્વે કહેલ અજ્ઞાનીનો અર્થ શી રીતે ઘટે? કારણ કે એ શ્રેષ્ઠી ૧ જેની નીચે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હોય તે વૃક્ષ અથવા સમવસરણમાં રહેલું મધ્યવૃક્ષ. ૨. આ અર્થ સંદેહવાળો છે. તે પાઠનું સ્થાન જોઈ યથાર્થ અર્થ વિચારવો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy