SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સંભ ૧૩ ત્યાંથી મરણ પામી તેઓ સાતમે ભવે ગુણઘર રાજાની સ્ત્રી જયાવલીના ઉદરમાં ઉત્પન્ન થયા. યશોઘરનો જીવ અભયરુચિ નામે પુત્ર થયો અને ચંદ્રવતીનો જીવ અભયમતિ નામે પુત્રી થયો. તે બન્ને પરસ્પર સ્નેહવાળા અને વિયોગને નહીં સહન કરતા એવા આઠ વર્ષના થયાં. રાજા ગુણધર તેમને સાથે લઈ એકદા વનમાં મૃગયા રમવા ગયો. ત્યાં સસલા પ્રમુખ જીવને મારવા માટે શિકારી કૂતરા છોડવામાં આવ્યા. તે વનમાં ધ્યાનમાં તત્પર એવા કોઈ મુનિને જોઈ તેમના પ્રભાવથી તે કૂતરાઓની શક્તિ હણાઈ ગઈ. અનેક રીતે પ્રેરણા કર્યા છતાં પણ તેઓ પાછા ફરવા લાગ્યા. તે જોઈ રાજા શરમાઈ ગયો અને વિચાર કરવા લાગ્યો કે “અહો! આ પશુથી પણ હું વિશેષ પાપાત્મા છું કે આ શ્વાન જીવવઘ કરવાને ઇચ્છતો નથી, તથાપિ હું તેને વારંવાર પ્રેરણા કરું છું.” એવામાં અર્વદત્ત નામે કોઈ શ્રાવક મુનિને વાંદવા જતો હતો, તેને જોઈ રાજાએ પૂછ્યું-ભદ્ર!ક્યાં જાય છે? તેણે કહ્યું- હું મુનિ પાસે ઘર્મ સાંભળવા જાઉં છું.' રાજાએ કહ્યું-“ચાલ, હું પણ તારી સાથે આવું.” પછી તેઓ મુનિની પાસે આવ્યા. તે શ્રાવક પાંચ અભિગમ સાચવી, ત્રણ વાર જમણી બાજુથી પ્રદક્ષિણા કરી વાંદીને મુનિ પાસે બેઠો. રાજા પણ તે પ્રમાણે વંદનવિધિ કરીને બેઠો. પછી તેમણે આ પ્રમાણેની દેશના સાંભળી–“અહો! દૈવ મિત્રની જેમ કોઈ વાર દયા કરે છે અને કોઈ વાર શત્રની જેમ નિઃશંક થઈ મારી નાખે છે.' ઇત્યાદિ દેશના સાંભળ્યા પછી રાજાએ મુનિને પોતાના માતાપિતાની ગતિ વિષે પ્રશ્ન કર્યો. મુનિ બોલ્યા–“રાજ! તું શું પૂછે છે? તારું ચરિત્ર તને લા ઉત્પન્ન કરનારું છે. તેં તારા પિતા અને પિતામહીને તેમનાં મૃત્યુના દિવસે જ અનેક વાર ભક્ષણ કર્યા છે.” એમ કહી યશોઘર અને ચંદ્રવતીના સાતે ભવનો વૃત્તાંત મુનિએ કહી સંભળાવ્યો. તે સાંભળી રાજા મૂચ્છ પામ્યો અને દુઃખથી પશ્ચાત્તાપ કરવા લાગ્યો. અભયરુચિ અને અભયમતિ જાતિસ્મરણ પામ્યા અને પોતે અનુભવેલું પ્રત્યક્ષ જાણી ગુણધર રાજાને કહેવા લાગ્યા કે “અમે બન્ને હવે દીક્ષા લઈશું.” રાજાને પણ વૈરાગ્યે થયો. પછી પુત્ર અને પુત્રી સહિત તેમ જ યશોઘરનું વૃત્તાંત સાંભળી સંસારથી ઉદ્વેગ પામેલા બીજા પાંચ હજાર સામંતાદિકથી પરિવૃત્ત થઈ, પુત્રને રાજ્ય ઉપર બેસારી પુત્રે કરેલા નિષ્ક્રમણોત્સવ વડે રાજાએ દીક્ષા ગ્રહણ કરી. સર્વે મહા તપ કરવા લાગ્યા. તે ગુણઘર આચાર્ય હમણા આ નગરીમાં પઘાર્યા છે. આ પ્રમાણે અભયરુચિ મુનિના મુખથી સાંભળીને મારી દત્ત રાજા બોલ્યો-“હે અણગાર! તે ગુણઘર મારા બનેવી થાય છે અને તમે મારા ભાણેજ થાઓ છો. અહો! તેવા ગુરુનો યોગ ન મળવાથી મેં પાપીએ નવરાત્રના દિવસોમાં ગોત્રદેવીની આગળ લાખો જીવો મારી નાખ્યા. પછી તે વખતે બલિદાન માટે એકઠા કરેલા એક લાખ જીવ ગુરુવચનથી રાજાએ છોડી મૂક્યા અને નગરમાં અમારી ઘોષણા કરાવી. અભયરુચિના ઉપદેશથી ચંડમારી દેવી પણ શ્રાવિકા થઈ. “અહો! કંદ, ફળ અને મદ્યના લેનારા શાક્ત લોકો નવરાત્રના દિવસોમાં દેવીના બલિદાન ખાઈ બોલે છે કે “અમે ઉપવાસ કર્યા છે' આ કેવું આશ્ચર્ય!” તે દિવસોમાં ઘણી હિંસા થતી હોવાથી જ બાર દિવસની અસક્ઝાય કહેવાય છે અને તે દિવસે સાધુ કૃતપાઠ કરતા નથી. આ પ્રમાણે મિથ્યાત્વના પર્વને જાણીને મારી દત્ત પ્રમુખ જૈનોએ તેનો ત્યાગ કર્યો અને તેમ કરવાથી તેઓ પાછળથી આત્મઘર્મને પામ્યા.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy