SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ વ્યાખ્યાન ૧૮૮]. દેવીઓ સમક્ષ જીવવઘ અકર્તવ્ય રાજા ત્યાંથી મરીને મયૂર થયો અને તેની માતા શ્વાન થઈ. દૈવયોગે કોઈ વનચરે તે બન્નેને પકડી ક્રીડા માટે ગુણઘર રાજાને ભેટ કર્યા. રાજા તેથી ખુશી થયો. મયૂરને પાંજરામાં પૂર્યો અને શ્વાનને બાંધીને રાખ્યો. એક વખતે મયૂરે નયનાવલીને પેલા કૂબડા નરની સાથે ભોગવિલાસ કરતી જોઈ, તેથી તત્કાળ તે મયૂરને જાતિસ્મરણ થઈ આવ્યું. પછી જ્યારે નયનાવલી તે મયૂરને હાથ વડે પકડવા જતી તે વખતે તે મયૂર દ્વેષથી તેને ચાંચનો બહુ પ્રહાર કરતો હતો. એક વખત રાજમાતા નયનાવલીએ ચંચૂનો પ્રહાર કરતા તે મોરને આભૂષણથી માર્યો, તેથી તે ગોખ ઉપરથી પડી ગયો. તે વખતે રાજાની પાસે બેઠેલા શ્વાને કટીથી તેને પકડ્યો. તેને છોડાવવા રાજાએ ઘણી મહેનત કરી, પણ શ્વાને છોડ્યો નહીં એટલે રાજાએ શ્વાનને સોગઠાથી માર્યો. તેથી બન્ને મૃત્યુ પામ્યા. પછી મયૂર મૃત્યુ પામીને નોળિયો થયો અને શ્વાન સર્પ થયો. ત્યાં પણ તેઓ યુદ્ધ કરીને મરણ પામ્યા. ત્યાંથી તે બન્ને સિપ્રા નદીમાં મત્સ્ય થયા. ચંદ્રવતીમત્સ્યના જીવને માછીઓએ મારી નાખ્યો અને ત્યાર પછી કેટલેક વખતે યશોઘરમભ્યને પકડીને માછીઓએ નયનાવલી તથા ગુણધરને અર્પણ કર્યો. નયનાવલીએ તેને રંધાવ્યો. ત્યાં તેને જાતિસ્મરણજ્ઞાન થયું. મસ્યપણામાંથી મૃત્યુ પામીને ચંદ્રવતી ગુણઘર રાજાના પશુપાળને ઘેર બકરીપણે ઉત્પન્ન થઈ. યશોઘર તે બકરીનો પુત્ર બકરો થયો. તરુણવયે તે પોતાની માતા બકરી સાથે વિષયભોગ કરવા લાગ્યો. તે જોઈ પશુપાળે તેને મારી નાખ્યો. તે મૃત્યુ પામીને પોતાના જ વીર્યમાં ઉત્પન્ન થયો. તે ગર્ભિણી બકરીને ગુણથરે સેવક પાસે મગાવીને હણાવી અને તેના ગર્ભમાંથી બકરાને ખેંચી લઈ ઘરે પાળ્યો. એક દિવસે ગુણઘરે પૂર્વજના મૃત્યુદિવસે પંદર પાડાઓ માર્યા અને બ્રાહ્મણોને જમાડ્યા. બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યો કે “તમારો પિતા સ્વર્ગમાં ક્રીડા કરો.” તે સાંભળી બકરાને જાતિસ્મરણ થઈ આવ્યું. તે અરસામાં પાપના ઉદયથી નયનાવલીને કુષ્ઠનો વ્યાધિ ઉત્પન્ન થયો. તેને વ્યાધિથી દુઃખી જોઈ પેલો બકરો હર્ષ પામવા લાગ્યો. એક વખતે રાજાના ભોજનસમયે પેલા બકરાને પુષ્ટ થયેલો જોઈ રસોઈયાએ તેને મારી પકાવી રાજાને પીરસ્યો. ચંદ્રવતીનો જીવ કલિંગદેશમાં પાડો થયો હતો. તે સાર્થવાહના સાથ ભેગો ઉજ્જયિની નગરીએ આવ્યો, ત્યાં રાજાનો અશ્વ નદીમાં પાણી પીવા આવતો હતો તેને તે પાડાએ મારી નાખ્યો, તેથી રાજાએ ક્રોઘ કરી તે પાડાને બાંઘી અગ્નિવડે ભૂંજી નાખ્યો. ત્યાર પછી છઠ્ઠું ભવે તે બન્ને પાછા કૂકડા થયા. કોઈ પુરુષે તે ગુણઘર રાજાને અર્પણ કર્યા. રાજા તેમને પરસ્પર યુદ્ધ કરાવતો હતો અને તે જોઈને રાજી થતો હતો. એમ કરતાં કરતાં તેઓ રાજાને વલ્લભ થઈ પડ્યા. એક વખત રાજા વનમાં ક્રીડા કરવા ગયો હતો તે વખતે કાળદંડ નામનો કોટવાળ પણ તે બન્ને કૂકડાને લઈને વનમાં ગયો. વનમાં કોઈ એક મુનિને જોઈ બન્ને કૂકડા જાતિસ્મરણ પામ્યા. પછી પૂર્વાભ્યાસથી તેમને વંદન કરી બોલ્યા–“સ્વામી! અમોએ અજ્ઞાનથી કરેલાં કર્મનાં ફળ બહુ ભોગવ્યાં. હવે આ સંસારદુઃખની પરંપરામાંથી મુક્ત થવા માટે અમને વ્રત આપો. તમને જોઈ અમે સંસારથી ઉદ્વેગ પામ્યા છીએ.” મુનિએ તે બન્ને કૂકડાને અનશન આપ્યું. તેવામાં ગુણઘર રાજાએ તે જ વનમાં એકાંતમાં રાણી સાથે બેઠા સતા શબ્દવેધી બાણ વડે તે બન્નેને મારી નાખ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy