SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ 3 [તંભ ૧૩ યશોધરરાજાની કથા રાજપુર નગરમાં મારીદત્ત નામે રાજા હતો. ચંડમારી નામે તેની ગોત્રદેવી હતી. રાજા મારી દત્ત તે ગોત્રદેવીની પ્રતિદિવસ પુષ્પાદિકથી પૂજા કરી સ્તવના કરતો હતો. આશ્વિનમાસ આવે ત્યારે શુક્લ પડવેથી માંડી નવમી સુધી કંદમૂલ, દૂધ, ઘી અને ફળાદિકનો જ આહાર કરી તેની આગળ બેસી રહેતો હતો. લૌકિકમાં કહેવાતા નવરાત્રિના પર્વમાં તે જ્યારે તેની આરાઘના કરતો ત્યારે ગોત્રદેવીની તૃપ્તિ માટે હોમબલિદાન અર્થે એક લાખ બકરા વગેરે જીવોને હણતો હતો અને બે માણસોનો પણ વઘ કરતો હતો, તેમાં પણ આઠમને દિવસે તો જીવનો હોમ વિશેષે કરતો હતો. એક વખતે તે નગરમાં ગુણઘર નામે આચાર્ય ચાતુર્માસ રહ્યા હતા. તેમને અભયરુચિ નામે એક મહાત્મા (સાધુ) શિષ્ય હતો અને અભયમતિ નામે એક સંયમ, તપ અને ક્રિયામાં તત્પર સાધ્વી શિષ્યા હતી. મહા તપોઘન અને શીલરૂપ પવિત્રતાથી યુક્ત અભયરુચિ મુનિ એક દિવસ ચાર પ્રકારનો અભિગ્રહ કરી નગરમાં આહાર માટે ફરતા હતા, તેવામાં રાજપુરુષો તેને પકડીને રાજા પાસે લઈ ગયા. રાજાએ અભયરુચિ મુનિને પૂછ્યું-“શાસ્ત્રોપદેશક મુનિ! તમારા શાસ્ત્રમાં નવરાત્રિના દિવસોમાં ગોત્રદેવીની પૂજાનું ફળ શું કહ્યું છે અને હોમક્રિયા કેવી રીતે કરવાનું વર્ણવેલું છે?” સંયમી અભયરુચિ બોલ્યા–“રાજેંદ્ર! મેં પૂર્વભવે એક પિષ્ટનો કૂકડો માત્ર માર્યો હતો, તે પાપે હું સાત ભવ સુધી ઘણું દુઃખ ભોગવતો ભટક્યો હતો તો તમારી શી ગતિ થશે?” રાજાએ તેમના સાત ભવનું સ્વરૂપ પૂછ્યું, એટલે અભયરુચિ બોલ્યા અવંતિનગરીમાં યશોધર નામે રાજા હતો. તેને ચંદ્રવતી નામે માતા હતી અને નયનાવલી નામે રાણી હતી. તેને ગુણઘર નામે પુત્ર થયો હતો. એક વખતે સંસારથી ઉદ્વેગ પામેલા અને વૈરાગ્યમાં તત્પર યશોઘર રાજાએ પોતાની રાણી નયનાવલીને કહ્યું- પ્રિયે! હું દીક્ષા લઈશ.” દૈવયોગે તે જ રાત્રિએ રાજાને સ્વપ્ન આવ્યું કે “સાતમા માળના ગોખ ઉપરથી તેની માતાએ તેને પૃથ્વી ઉપર પાડી નાખ્યો.” પ્રભાતે તે વાત તેણે પોતાની માતાને જણાવી. માતાએ કહ્યું-વત્સ! એવા માઠા સ્વપ્નના નિવારણ માટે તું ચામુંડાદેવીને બકરા વગેરેનું બલિદાન આપ.” રાજાએ કહ્યું–પ્રાણ જાય તો પણ હું તેવું કાર્ય કરું નહીં.” તે સાંભળી માતાએ અનેક ઉપાલંભ આપી તેને શરમાવી દીધો અને બળાત્કારે એક પિષ્ટનો કૂકડો કરીને તેને આપ્યો કે જેને હણીને તેણે શક્તિને ચડાવ્યો. આ બાજુ રાણી નયનાવલી કોઈ ગાયન કરતા કૂબડા પુરુષને જોઈ તેની ઉપર મોહ પામી, તેથી તેણે પ્રપંચ કરી રાજાની આજ્ઞા મેળવીને તે પુરુષને પોતાના આવાસ પાસે રાખ્યો. રાત્રે રાજા સૂઈ ગયા પછી વખત મેળવી રાણી તેની સાથે સ્વેચ્છાએ વિલાસ કરવા લાગી. એક સમયે રાજાએ તે વાત જાણી અને નજરે પણ દીઠી; તથાપિ તેણે ક્ષમા રાખી અને મૌન રહ્યો. બીજે દિવસે પ્રાતઃકાળે ગુણધર પુત્રને રાજ્ય આપી પોતે દીક્ષા લેવા ઉજમાળ થયો. તે જોઈ રાણીએ ચિંતવ્યું કે જરૂર મારું ચરિત્ર સ્વામીના જાણવામાં આવ્યું છે, તેથી હું તેને ભોજનમાં વિષ આપી મારી નાખું; નહીં તો તે પુત્રને મારી વાત કહીને આ કૂબડા પુરુષના સુખથી મને ભ્રષ્ટ કરશે.” આવો વિચાર ફરી તેણે ભોજનમાં વિષ નાખી રાજાને ખવરાવ્યું અને વિષ ચડવાથી રાજા આકુળવ્યાકુળ થયો એટલે તેણે ગળે અંગૂઠો દઈને તેને મારી નાખ્યો. ત્યારપછી થોડા દિવસે તેની માતા પણ મૃત્યુ પામી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy