SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૮૮]. દેવીઓ સમક્ષ જીવવઘ અકર્તવ્ય ૧૩૫ સ્તુતિ કરતો નહીં અને વંદના પણ કરતો નહીં. પછી શ્રેષ્ઠીએ ગૃહનું દ્વાર નીચું કર્યું એટલે તેનો પુત્ર નીચો નમી ગૃહમાં જતો અને સન્મુખ જિનબિંબને જોતો હતો. એવી રીતે શ્રેષ્ઠીએ પુત્રને દ્રવ્યથી વંદના કરાવી, પણ ભાવથી કરાવી શક્યા નહીં, કારણ કે ભાવ આત્માને જ આઘીન છે. પછી તે શ્રેષ્ઠીપુત્ર આયુષ્યના ક્ષયથી મૃત્યુ પામી છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્રને વિષે મત્સ્યપણાને પ્રાપ્ત થયો. ત્યાં સમુદ્રમાં ભમતાં ભમતાં અન્યદા એક જિનપ્રતિમા જેવી આકૃતિવાળો મત્સ્ય તેના જોવામાં આવ્યો. “નળીઆ અને વલયના આકાર સિવાય નર વગેરે અનેક પ્રકારની આકૃતિવાળા મસ્યો થાય છે” એમ વૃદ્ધો કહે છે. તે મત્સ્યની જિનબિંબ જેવી આકૃતિ જોઈ તેને જાતિસ્મરણ થઈ આવ્યું, તેથી પૂર્વભવનું સ્મરણ થતાં તે પશ્ચાત્તાપ કરવા લાગ્યો કે “અહો! મારા પિતાએ મને અનેક રીતે બોઘ કર્યો, તથાપિ હું બોઘ પામ્યો નહીં. મને ધિક્કાર છે! મેં અનેક દોષથી મુક્ત એવા જિનેશ્વર ભગવંતની પણ આરાધના કરી નહીં. હવે હું તિર્યંચ થયો છું તેથી શું કરી શકું? તથાપિ આ તિર્યંચના ભાવમાં પણ બની શકે એટલો ઘર્મ કરું.” આવું વિચારી તેણે સૂક્ષ્મ મત્સ્ય અને સચિત્ત જળની હિંસા ન કરવાનો નિયમ લીધો. પછી ઘીમે ઘીમે જળની બહાર નીકળી ચોવીશ પહોરનું અનશન સારી રીતે પાળી મૃત્યુ પામીને સ્વર્ગમાં દેવપદને પ્રાપ્ત થયો. ત્યાં શાશ્વતી જિનપ્રતિમાની પૂજા કરતાં અવધિજ્ઞાન વડે પોતાના પૂર્વભવનું સર્વ સ્વરૂપ જાણી જિનબિંબના દર્શનનો મહાન્ ઉપકાર લોકોને દર્શાવવાને માટે ભાવજિનની આગળ આવી બાર પર્ષદાની સમક્ષ બોલ્યો-“હે વિતરાગ! તમારી પ્રતિમા પણ સાક્ષાત્ પ્રભુની (તમારી) જેમ જ ઉપકાર કરનારી છે. મેં આ બરાબર અનુભવ્યું છે. આ પ્રમાણે કહી તેણે સ્વર્ગને અલંકૃત કર્યું. તેના ગયા પછી પર્ષદાએ તેનું વૃત્તાંત પૂછ્યું એટલે પ્રભુએ તેનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી સર્વ સભા જિનપ્રતિમાની વંદના વગેરે કરવામાં તત્પર થઈ. શ્રી જિનેશ્વર ભગવંતની પ્રતિમા જેવી તેવી રીતે જોઈ હોય તો પણ તે જિનેશ્વર ભગવંતની જેમ આગામી કાળે સુખ કરનારી થાય છે, તે યુક્તિથી અહીં સ્થાપનાની સ્તુતિ કરેલી છે.” વ્યાખ્યાન ૧૮૮ દેવીઓ સમક્ષ જીવવધ અકર્તવ્ય ઘણા મિથ્યાત્વી લોકો નવરાત્રના દિવસોમાં અષ્ટમીને દિવસે ચંડી, દુર્ગા, બહુચરા, ભવાની વગેરે દેવીઓની પૂજા માટે અનેક પ્રાણીઓનો વઘ કરે છે. તેઓ માને છે કે દેવીને પશુનો બલિ ચઢાવવાથી દેવી પ્રસન્ન થાય છે. પણ આ માન્યતા ખોટી છે. માટે દેવી સમક્ષ જીવહિંસાનો નિષેઘ કરવા ઉપર યશોઘર નૃપની કથા કહે છે. मेषादिघातैस्तनुते कृपाघ्नोः, दुर्गादिपूजां नवरात्र्यहस्सु । मात्राज्ञया पिष्टककुर्कुटं घ्रन्, यशोधरः सांब दधौ भवौघम् ॥१॥ ભાવાર્થ-“નિર્દય લોકો નવરાત્રિના દિવસોમાં બકરા પ્રમુખનો ઘાત કરી દુર્ગા વગેરેની પૂજા કરે છે, પરંતુ યશોઘરે માતાની આજ્ઞાથી માત્ર લોટનો બનાવેલો કૂકડો હણ્યો હતો તો પણ તેને માતા સહિત ઘણા ભવ ભટકવું પડ્યું હતું.” તેની કથા આ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy