SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૩ નથી બનતું?” તે જોઈ અર્જુનને ખેદ થયો. પછી દ્રોણાચાર્યે ભીલને કહ્યું–મારા પ્રસાદથી તને વિદ્યાની સિદ્ધિ થઈ, માટે હું જે માગું તે ગુરુદક્ષિણા તરીકે મને આપ.” તે બોલ્યો-ગુરુજી! આ શરીર જ તમારું છે, તેથી જે રુચે તે માગી લો.” દ્રોણાચાર્યે તેના હાથનો અંગૂઠો માગ્યો. ગુરુભક્ત ભીલે તરત જ અંગૂઠો કાપી આપ્યો. ત્યારથી તે ભીલ એકલવ્ય તરીકે પ્રસિદ્ધ થયો. અંગૂઠો જવાથી તેની ઘનુર્વિદ્યા અર્જુન કરતાં કાંઈક ન્યૂન થઈ ગઈ, તથાપિ એ ભીલને દ્રોણાચાર્ય ઉપર જરા પણ ખેદ થયો નહીં. આ પ્રમાણે પ્રતિમાની સ્થાપનાથી કાર્યની સિદ્ધિ કહેલી છે. લોકોત્તર શાસ્ત્ર (જૈન શાસ્ત્ર) માં પણ પ્રતિમાથી કાર્યસિદ્ધિ કહેલી છે. જ્ઞાતાસૂત્રમાં કથા છે કે–મલ્લિકુમારીએ પોતાની પ્રતિકૃતિ તરીકે કરાવેલી સુવર્ણમય સ્ત્રીની પૂતળી વડે પૂર્વભવના મિત્ર એવા છ પુરુષોને વૈરાગ્ય પમાડ્યો હતો. અભયકુમારે કરાવેલી કૃતપુણ્ય શેઠની પ્રતિમા જોઈ તેના પુત્રો મોહ પામ્યા અને વારંવાર તેના ઉત્સંગમાં જઈને બેસવા લાગ્યા. આ પ્રમાણે સર્વ દ્રષ્ટાંતોથી સિદ્ધ થાય છે કે મૂર્તિ વડે કાર્યસિદ્ધિ થાય છે. વળી જિનપ્રતિમા જોવાથી પણ ગુણકારી થાય છે. તે ઉપર એક કથા છે તે નીચે પ્રમાણે– દેવદત્તની કથા પૃથ્વીપુર નામના નગરમાં જિનદાસ નામે એક પરમ શ્રાવક રહેતો હતો. તેને દેવદત્ત નામે એક પુત્ર હતો. તે સાત વ્યસનોનો સેવનારો હતો. જિનદાસ તેને પ્રતિદિવસ ઘર્મશિક્ષા આપતો, પણ શઠપણાથી તે બિલકુલ ગ્રહણ કરતો નહીં, કારણ કે તે સ્વભાવે જ વક્ર હતો. અન્યદા તેના પર કૃપા લાવીને તેના પિતાએ ગૃહપ્રવેશના દ્વારની સામે જ શુભ સ્થળ ઉપર એક જિનમૂર્તિ સ્થાપના કરી અને પ્રતિદિવસ તેની પૂજા કરી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો કે “હે ત્રણ જગતના આધાર પ્રભુ! તમારી પ્રતિમા મને આત્મસ્વરૂપનું દર્શન કરાવવામાં દર્પણરૂપ છે અને મારી અનાદિકાળની ભ્રાંતિને તે નિવારે છે. જેમ કોઈ હંસનું બાળક બગલાના ટોળામાં આવી ચડ્યું અને બગલાની સાથે ઘણો કાળ રહી ઊછરીને મોટું થયું. એકદા કોઈ રાજહંસ ત્યાં આવી ચડ્યો. તેને જોઈ હંસનું બાળક વિચારવા લાગ્યું કે “અહો! આ પક્ષીની કાંતિ, સ્વરૂપ, વર્ણ, સ્વર અને ગતિ મારી સાથે મળતાં આવે છે, તેમાં કાંઈ પણ ભેદ જણાતો નથી.” આ પ્રમાણે વિચાર કરી તેણે તેના અને પોતાના સ્વરૂપના અભેદપણાનો નિર્ણય કર્યો અને પોતાની બુદ્ધિથી પોતાની જાતિના આચાર વગેરેથી સર્વથા ભિન્ન જાણી બકકુળનો ત્યાગ કર્યો અને રાજહંસની સાથે પોતાનું રાજહંસપણું મેળવી તેનો સ્વીકાર કર્યો. આ કથાનો ઉપનય એવો છે કે “રાજહંસને સ્થાને જિનેશ્વર જાણવા. હંસનું બાળક એ જીવ સમજવો. સંસારમાં ભમાવનારાં આઠ કર્મ અને મિથ્યાત્વ માર્ગને બતાવનારા કુગુરુરૂપ બગલાનું ટોળું સમજવું. જીવ અનાદિ કાળના ભવાભ્યાસથી તેમની સાથે વૃદ્ધિ પામે છે (ઊછરી રહ્યો છે). તેવામાં કાંઈક લઘુકમપણું પ્રાપ્ત થવાથી શ્રી જિનપ્રતિમારૂપ રાજહંસને જોઈ તેનું સ્વરૂપ પોતાની સાથે સરખાવી સ્વપરવિવેચન વડે સ્વઘર્મને પ્રગટ કરે છે.” આ પ્રમાણે સ્વબુદ્ધિથી જોડી લેવું. હે વીતરાગ! હંસના બાળકની જેમ મારો ઉદ્ધાર કરવાને માટે તમારી સ્થાપના સંસારનો અંત કરનારી છે.” આ પ્રમાણે તે શ્રેષ્ઠી નિત્ય તે જિનેશ્વરની સ્તુતિ કરતા હતા. તેનો પુત્ર તે પ્રતિમાને જોતો, પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy