SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૮૭]. જિનપ્રતિમા જિનસારખી ૧33 ભાવાર્થ-“જિનેશ્વર ભગવંતની પ્રતિમા જિનેશ્વરભગવંતની સમાન જાણવી. સૂત્રોક્ત આઘાર અને યુક્તિ એમ બન્ને પ્રકાર વડે તેની વિધિપૂર્વક સ્થાપના સ્વર્ગના સુખને આપનારી છે.” તેમાં પ્રથમ સૂત્રોક્ત રીતે સ્થાપનાનું પ્રમાણપણું બતાવે છે. શ્રી ઠાણાંગસૂત્રના ત્રીજા ઠાણામાં આ પ્રમાણે કહ્યું છે કે-તિવિ સ નામન્વે ટવષે વૈધ્વસ “ત્રણ પ્રકારે સત્યનામસત્ય, સ્થાપના સત્ય અને દ્રવ્યસત્ય” એમ સૂત્રમાં સ્થાપના સત્ય કહેલ છે. યુક્તિ વડે સ્થાપનાનું પ્રમાણપણું આ પ્રમાણે-જેમ મહાવ્રતધારી મુનિએ ચિત્રમાં આલેખેલ પૂતળી પણ જોવી નહીં, કારણ કે તે રાગજનક છે એમ કહ્યું છે તે અનુસાર જિનપ્રતિમા હમેશાં જોવી; કારણ કે તે વૈરાગ્યનું કારણ છે. જેમ બાળક મુખે અક્ષર બોલે છે, પણ તેની આકૃતિ ઓળખીને નિર્ધાર કર્યા વગર કકાર વગેરે અક્ષરો જોઈને જેમ તેમ પ્રલપે છે પણ જો તેણે વર્ણાકૃતિ નેત્રથી નિર્ધારી હોય તો પછી સર્વ કાર્યમાં કકારાદિ વર્ણ જોઈ આ “ક” છે એમ ઓળખે છે, તેમ જિનેશ્વરના ચોવીશ નામનું ઉચ્ચારણ કરે પણ તેમની આકૃતિ જોયા વિના બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વરાદિની મૂર્તિઓથી તેમની ભિન્નતા અને સ્વરૂપનું યથાર્થ અવઘારણ કેવી રીતે થાય? માટે જિનેશ્વરની સ્થાપના કરવી એ ન્યાયયુક્ત છે. લૌકિક શાસ્ત્રમાં પણ મૂર્તિસેવાથી કાર્યસિદ્ધિ કહેલી છે; તે વિષે મહાભારતમાં એક દ્રષ્ટાંત કહેલ છે તે આ પ્રમાણે એકલવ્યનું દ્રષ્ટાંત પાંડવાદિક દ્રોણાચાર્યની પાસે ઘનુર્વિદ્યા શીખતા હતા. તેમાં અર્જુને તે વિદ્યા સત્વર શીખી લીધી. પછી અર્જુને ગુરુના ચરણમાં નમીને કહ્યું- હે ગુરુ! તમે જેવી વિદ્યા મને શીખવી છે તેવી વિદ્યા બીજાને શીખવવી નહીં.” દ્રોણાચાર્યે ખુશીથી તેમ કરવા કબૂલ કર્યું. એક વખતે કોઈ એકલવ્ય નામના ભીલે ઘનુર્વિદ્યા શીખવાની ઇચ્છાથી દ્રોણાચાર્ય પાસે આવી પોતાને શીખવવાની માગણી કરી, ત્યારે દ્રોણાચાર્ય મૌન ધરી રહ્યા. પછી ભક્તિવાળા ભીલે ગુરુબુદ્ધિએ દ્રોણાચાર્યની મૃત્તિકાની મૂર્તિ બનાવી, શુદ્ધ સ્થાનમાં સ્થાપિત કરી અને પ્રતિદિન પ્રભાતકાળે તેના ચરણમાં નમીને કહેતો—‘હે ગુરુજી! પ્રસન્ન થઈને મને વિદ્યા આપો.” પછી તે ગુરુની આગળ હાથમાં ઘનુષ્ય લઈ તેમાં બાણ યોજી ચિંતવેલા પત્રોને વીંધતો હતો અને એવી રીતે પત્રમાં હાથી, ઘોડા વગેરેનાં રૂપ પણ બાણ વડે કોતરતો હતો. એક વખતે અર્જુન તે વનમાં આવી ચઢ્યો. તેણે તે કોતરેલાં પત્રો જોઈ વિચાર્યું કે જરૂર ગુરુએ પોતાની પ્રતિજ્ઞાનું વિસ્મરણ કરીને કોઈને ઘનુર્વિદ્યા આપી લાગે છે; નહીં તો આવું અદ્ભુત કાર્ય કોણ કરી શકે? પછી અર્જુને ગુરુ પાસે આવી કહ્યું– ભગવન્! આપે પ્રતિજ્ઞા તોડી લાગે છે.” ગુરુ દ્રોણ બોલ્યા- “અર્જુન! મારી પ્રતિજ્ઞા મૃત્તિકાની રેખા જેવી અચલ છે.' પછી સંશનિવારણ માટે તે બન્ને વનમાં ગયા. ત્યાં મૃત્તિકાની દ્રોણાચાર્યની પ્રતિમા તેમના જોવામાં આવી. પેલો ભીલ પ્રાતઃકાળે તે પ્રતિમા પાસે આવી નમીને કહેવા લાગ્યો-“ગુરુજી! અર્જુનના જેવી મને ઘનુર્વિદ્યા આપો.” એમ કહી તે વૃક્ષના પત્રને બાણથી કોતરવા લાગ્યો; તે જોઈ તેઓએ ભીલને પૂછ્યું-“તારા ગુરુ કોણ છે?” ભીલે કહ્યું–“મારા ગુરુ દ્રોણાચાર્ય છે.” એમ કહી તેણે મૃત્તિકાની મૂર્તિ બતાવી અને કહ્યું કે “આ પ્રતિમાએ મને ઘનુર્વિદ્યા શીખવી છે. ભક્તિથી શું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy