SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ સ્તંભ ૧૩ अप्पा उद्धरिओ च्चिय, उद्धरिओ तहय तेण नियवंसो । अन्ने य भव्वसत्ता, अणुमोयंता य जिणभवणं ॥१॥ જિનભુવનના કરાવનારે પોતાના આત્માનો, પોતાના વંશનો અને તેની અનુમોદના કરનાર બીજા ભવ્ય પ્રાણીઓનો ઉદ્ધાર કર્યો એમ સમજવું.” આ પ્રમાણેની દેશના સાંભળી સંપ્રતિ રાજાએ બીજા નેવ્યાસી (૮૯) હજાર જીર્ણોદ્ધાર કરાવ્યા. એકંદર સર્વમળીને સવાલાખ જિનચૈત્ય થયાં. એક વખત તેણે ગુરુના મુખથી આ પ્રમાણે સાંભળ્યું કે “સર્વ લક્ષણવાળી અને સર્વ અલંકારોથી યુક્ત એવી પ્રાસાદમાં રહેલી પ્રતિમાને જોઈ જેમ જેમ મન હર્ષ પામે તેમ તેમ કર્મની નિર્જરા થાય છે. તેથી તેવાં જિનબિંબો મણિ, રત્ન, સુવર્ણ, રૂપું, કાષ્ઠ, પાષાણ અને મૃત્તિકાનાં અથવા ચિત્રમાં કરાવવાં.” વળી “મેરુ ગિરિ જેવો બીજો ગિરિ નથી, કલ્પવૃક્ષ જેવું બીજું વૃક્ષ નથી; તેમ જ જિનબિંબ નિર્માણ કરવા જેવો બીજો કોઈ મોટો ઘર્મ નથી.” “જો ઘન ખરચવાની શક્તિ હોય તો પાંચસો ઘનુષ્ય પ્રમાણવાળી પ્રતિમા કરાવવી; તેવી શક્તિ ન હોય તો એક આંગળનું પણ બિંબ કરાવેલું હોય તો તે ભક્તના સુખને અર્થે થાય છે.” કહ્યું છે કે “જે પુરુષ શ્રી ઋષભદેવથી વીરભગવંત સુધી ગમે તે પ્રભુનું અંગુષ્ઠપ્રમાણ પણ બિંબ કરાવે છે તે સ્વર્ગમાં પ્રઘાન એવી વિશાળ સમૃદ્ધિનાં સુખ ભોગવ્યા પછી પ્રાંતે અનુત્તર પદ (મોક્ષ)ને પ્રાપ્ત કરે છે.” આ પ્રમાણે ગુરુમહારાજનો ઉપદેશ સાંભળી સંપ્રતિ રાજાએ શિલ્પગ્રંથોમાં લખ્યા પ્રમાણે સિત્તેર ભાગ પ્રમાણ બરાબર સવાકોટી જિનબિંબ કરાવ્યાં. એક વખતે આર્યસહસ્તસૂરિને જોઈ રાજાએ જાતિસ્મરણજ્ઞાન વડે પોતાનો પૂર્વભવ જાણ્યો, તેથી ગુરુને ઓળખી, નમસ્કાર કરી પોતાના પૂર્વભવ મૂક્યો. એટલે ગુરુએ શ્રુતજ્ઞાનના બળથી ક–“હે રાજન્! પૂર્વે તું ભિક્ષક હતો. એક વખતે મોટી કિંમતના અલંકારયુક્ત રાજા, મંત્રી, શ્રેષ્ઠી વગેરેને મોટી સમૃદ્ધિ સાથે અમારાં ચરણને વંદના કરતાં જોઈ તને વિચાર થયો કે-હું પણ આ સૂરિરાજના ચરણકમળને સેવું. પછી તે અમારા શિષ્ય પાસે ભોજન માગ્યું ત્યારે તે મુનિએ કહ્યું-“જો તું અમારા જેવો થાય તો અમે તને ભોજન આપી શકીએ.” એટલે તેં દીક્ષા લીધી, પણ ગળા સુધી અન્ન ખાધું, તેથી તને તત્કાળ અજીર્ણ થઈ આવ્યું. તે સમયે તેં અનેક મુનિઓના મુખથી ઘર્મવાક્યો સાંભળ્યાં, તેથી તે તેની અનુમોદના કરી અને તારું આયુષ્ય પણ પૂર્ણ થઈ ગયું એટલે ત્યાંથી મૃત્યુ પામી એક દિવસની દીક્ષાને પ્રભાવે તું ત્રણ ખંડનો રાજા થયો.” આ પ્રમાણે સાંભળી પ્રતિબોઘ પામીને તેણે દેશવિરતિ ઘર્મ ગ્રહણ કર્યો. “ઘર્મબુદ્ધિથી શ્રી જિનેશ્વર ભગવંતના ચૈત્યાદિ કાર્યની વિધિ સહિત ક્રિયા સર્વ રીતે યોજવી અને તેમાં શ્રી સંપ્રતિ રાજાનું દ્રષ્ટાંત અવઘારવું.” વ્યાખ્યાન ૧૮૭ જિનપ્રતિમા જિનસારખી આ વ્યાખ્યાનમાં જિનેશ્વર ભગવંતની સ્થાપનાનું વર્ણન કરે છે– जिनमूर्तिर्जिनैस्तुल्या, विज्ञेया विधिपूर्वकम् । द्विधा सूत्रोक्तयुक्तिभ्यां, स्थापना स्वर्गसौख्यदा ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy