SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૮૬] જિનચૈત્ય કરવાની વિધિ ૧૩૧ લૌકિકમાં પરમાણુનું લક્ષણ એવું કહેલું છે કે “ઘરના છાપરામાં રહેલાં સૂક્ષ્મ છિદ્રોમાંથી આવતા સૂર્યના તડકામાં જે સૂક્ષ્મ ૨જ જોવામાં આવે છે તેનો ત્રીશમો ભાગ (વ્યવહારથી) પરમાણુ કહેવાય છે.'' વળી કહ્યું છે કે ‘‘વિવેકી પુરુષને નવો જિનપ્રાસાદ કરાવવામાં જે પુણ્ય થાય તેથી આઠગણું પુણ્ય જીર્ણોદ્ધાર કરાવવામાં થાય છે.” “અગ્નિ, જળ, ચોર, યાચક, રાજા, દુર્જન તથા ભાગીદારો વગેરેથી ઊગરેલું જેનું ઘન જિનભુવન વગેરેમાં ખરચાય છે તે પુરુષને ધન્ય છે.’ માતા કહે છે—“હે વત્સ! મેં આ પ્રમાણે તે સૂરિ પાસેથી સાંભળ્યું છે. વળી ચૈત્ય કરાવવામાં મોટું પુણ્ય છે તેનું એ પણ કારણ છે કે ચૈત્યપરિમિતક્ષેત્રને ચૈત્ય કરાવનારે સંસારારંભના વ્યાપારમાંથી દૂર કરીને ઘર્મવ્યાપારમાં જોડી દીધું છે. સાંભળ્યું છે કે “જેટલા ક્ષેત્રમાં ચૈત્ય હોય તેટલા ક્ષેત્રમાં ચૂલા માંડવા નહીં, તેમજ રાંઘવું, પીસવું, વિષયસેવન કરવું, દ્યુતક્રીડા કરવી અને ખેત્ર ખેડાવવાં વગેરે અધર્મ કાર્ય કરવાં નહીં; ચૈત્યક્ષેત્રને તેવાં કાર્યથી દૂર રાખવું. લોકોનાં સ્થાનકો પાપક્રિયાની પ્રવૃત્તિવાળાં હોય છે, તેથી આ સ્થાન તેવું કરવું નહીં; પુણ્યબુદ્ધિએ ધર્મક્રિયાનું જ તે સ્થાન કરવું.’’ વળી હે વત્સ! ચૈત્ય કરાવનારે કુંતલાદેવીની જેમ મત્સર કરવો નહીં. કુંતલાની કથા—અવનીપુરમાં જિતશત્રુ નામે રાજાને કુંતલા નામે પટ્ટરાણી હતી. તે અર્હત ઘર્મમાં નિષ્ઠાવાળી હતી. તેના ઉપદેશથી તેની બીજી સપત્નીઓ(શોક્યો) પણ ધર્મવાળી થઈ હતી. તે બધી કુંતલાને બહુ માન આપતી હતી. એક વખતે બીજી સર્વ સપત્નીઓએ જિનેશ્વર ભગવંતના નવીન ચૈત્ય કરાવ્યાં; તે જોઈ અત્યંત મત્સરભાવવાળી કુંતલાએ પોતાનો જિનપ્રાસાદ તેમનાથી વિશેષ ભવ્ય કરાવ્યો. તેમાં પૂજા નાટ્ય વગેરે પણ વિશેષપણે કરાવવા લાગી અને સપત્નીઓના પ્રાસાદ વગેરે ઉપર દ્વેષ રાખવા લાગી. સરલ હૃદયની સપત્નીઓ તો તેના કાર્યની નિત્ય અનુમોદના કરવા લાવી. કુંતલા એ પ્રમાણેના મત્સરભાવમાં ગ્રસ્ત થઈ સતી દુદૈવયોગે કોઈ સખત વ્યાધિ ઉત્પન્ન થવાથી મૃત્યુ પામી અને ચૈત્યપૂજાના દ્વેષથી શુની (કૂતરી) થઈ. પૂર્વના અભ્યાસથી પોતાના ચૈત્યના દ્વાર આગળ જ બેસી રહેવા લાગી. એક વખતે કોઈ કેવળી ભગવંત ત્યાં પધાર્યા, તેમને કુંતલાની સપત્નીઓએ પૂછ્યું–‘કુંતલા કઈ ગતિમાં ગઈ છે?' જ્ઞાનીએ જે યથાર્થ હતું તે કહ્યું. તે સાંભળી તે રાણીઓને સંવેગ ઉત્પન્ન થયો. પછી પેલી શુની થયેલી કુંતલાને તેઓ સ્નેહથી ખાવાનું આપતી સતી કહેવા લાગી કે ‘હે પુણ્યવતી બહેન! તેં ઘર્મિષ્ઠ થઈને વ્યર્થ દ્વેષ શા માટે કર્યો કે જેથી તને આવો ભવ પ્રાપ્ત થયો?’ આ પ્રમાણે રોજ સાંભળતાં કુંતલાને જાતિસ્મરણ થયું, તેથી તે પરમ વૈરાગ્ય પામી પ્રભુની પ્રતિમા સન્મુખ પોતાનું પાપ આલોચી અનશન અંગીકાર કરી મૃત્યુ પામીને વૈમાનિક દેવી થઈ. તેથી હે વત્સ! ઉત્તમ કાર્ય કરીને તે સંબંધી મત્સરભાવ કરવો નહીં.’’ આ પ્રમાણે માતાના મુખથી શિક્ષા પામી સંપ્રતિ રાજાએ ઘણાં ચૈત્યો નવાં કરાવવા માંડ્યાં. એકદા સંપ્રતિ રાજાએ ગુરુના મુખથી સાંભળ્યું કે પોતાનું આયુષ્ય સો વર્ષનું છે, તેથી તેણે એવો નિયમ લીધો કે પ્રતિદિન એક એક જિનપ્રાસાદ ઉપર કળશ ચડેલો સાંભળ્યા પછી અન્ન જમવું. આવા નિયમ પ્રમાણે સો વર્ષના ૩૬૦૦૦ દિવસો થાય તે પ્રમાણે છત્રીશ હજાર જિનચૈત્યો તેણે નવાં કરાવ્યાં. એક વખતે રાજાએ ગુરુના મુખથી આ પ્રમાણે દેશના સાંભળી– For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy