SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ જિનપૂજા વિધિપૂર્વક કર્તવ્ય વ્યાખ્યાન ૧૯૧ જિનપૂજા વિધિપૂર્વક કર્તવ્ય ઘણા લોકો એમ કહે છે કે, “અવિધિએ કરવા કરતાં ન કરવું સારું.'' પણ તે ઉત્સૂત્રવચન છે; કારણ કે ‘નહીં કરવાથી ભારેકર્મી અને અવિધિએ કરવાથી લઘુકર્મી થાય છે.” સૂત્રમાં પણ તેવું જ કહેલું છે— अविहिकया वरमकयं, उस्सुयवयणं भणति समयन्नु । पायच्छित्तं अकए गुरु अंवितहं कए लहुअं ॥ १ ॥ વ્યાખ્યાન ૧૯૧] “અવિધિથી કરવા કરતાં ન કરવું સારું' એવું જે વચન તે ઉત્સૂત્રવચન છે એમ સમયજ્ઞ પુરુષો કહે છે, કારણ કે ક્રિયા કર્યા વિના ગુરુ પ્રાયશ્ચિત્ત આવે છે અને અવિધિએ ક્રિયા કરવાથી લઘુ પ્રાયશ્ચિત્ત આવે છે.” તેથી સર્વદા ધર્મક્રિયા કરવી. પણ તે કરતાં કરતાં સર્વ શક્તિથી વિધિપૂર્વક કરવાનો યત્ન કરવો. કહ્યું છે કે– धन्नाणं विहिजोंगो, विहिपक्खाराहगा सया धन्ना । विहिबहुमाणा धन्ना, विहिपक्खादुसगा धन्ना ॥ १ ॥ ૧૪૭ ‘વિધિનો યોગ ઘન્ય પુરુષોને થાય છે, વિધિપક્ષનું આરાઘન કરનારા સર્વદા ઘન્ય છે, વિધિનું બહુમાન કરનારા પણ ધન્ય છે અને વિધિપક્ષને દોષ નહીં આપનારા પણ ધન્ય છે.” ખેતી, વેપાર, આહાર, પૌષધ અને દેવતાદિકનું સેવન તે જો વિધિથી કર્યું હોય તો અવશ્ય ફળ આપે છે. તે વિષે એક દૃષ્ટાંત છે તે આ પ્રમાણે– વિધિ ઉપર ચિત્રકારનું દૃષ્ટાંત સાકેતપુર નામના નગરમાં સુરપ્રિય નામે એક યક્ષ હતો. તે સત્યદેવ તરીકે ઓળખાતો હતો. પ્રતિવર્ષે તેની યાત્રા (મેળો) ભરાતી, તે વખતે તેની મૂર્તિને ચીતરવામાં આવતી હતી, પણ ચીતર્યા પછી તે યક્ષ ચિત્રકારને મારી નાખતો હતો અને જો ચીતરાવે નહીં તો તે લોકોને મારતો હતો. એવી રીતે તે યક્ષે ઘણા ચિત્રકારોને મૃત્યુ પમાડી દીધા. આથી ત્રાસ પામીને સાકેતપુરના સર્વ ચિત્રકારો પલાયન કરી બીજે ગામ જતા રહ્યા. તે વાત જાણીને રાજાએ વિચાર્યું કે ચિત્રકાર નહીં હોવાથી જો યક્ષનું ચિત્ર નહીં ચીતરવામાં આવે તો તે પ્રજાને હેરાન કરશે. એ ભયથી સુભટો મોકલી તે ચિત્રકારોને પાછા બોલાવ્યા અને તે બધાના નામની ચિઠ્ઠીઓ કરીને એક ઘડામાં ભરી. પછી પ્રતિવર્ષે તેમાંથી એક ચિઠ્ઠી કુમારી કન્યા પાસે કઢાવે અને તેમાં જેનું નામ નીકળે તે યક્ષની મૂર્તિ ચીતરે. આ પ્રમાણે ઠરાવ કરવામાં આવ્યો. એક વખત કૌશાંબી નગરીથી કોઈ ચિત્રકારનો પુત્ર પોતાની ચિત્રકલાની કુશળતા સિદ્ધ કરવા માટે ત્યાં આવ્યો અને જેને એક જ પુત્ર છે એવા કોઈ ચિત્રકારની વૃદ્ધા સ્ત્રીને ઘેર ઊતર્યો. તે વર્ષે તે વૃદ્ધાના પુત્રના નામની ચિઠ્ઠી પેલા ઘડામાંથી નીકળી. એટલે યમરાજના આમંત્રણપત્રની જેમ તે વાત સાંભળીને ડોશી કરાઘાત વડે ઉરસ્થળને કૂટવા લાગી અને ઘણું રુદન કરવા લાગી. તે જોઈ પેલા ચિત્રકારકુમારે વૃદ્ધાને પૂછ્યું ‘માતા! કેમ રુઓ છો?” વૃદ્ધાએ સત્ય હકીકત કહી. એટલે કૌશાંબીથી આવેલ ચિત્રકારકુમાર બોલ્યો—માતા! સ્વસ્થ થાઓ, હું પણ તમારો જ પુત્ર છું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy