SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૮૫] પુષ્પ વગેરે લાવવાનો વિધિ ૧૨૯ શ્રેણીમાં કોઈ પાળનો સ્વામી પલ્લીપતિ થયો. એક વખતે જયંતિક નામના સાર્થપતિનો તમામ સાર્થ તેણે લૂંટી લીધો. સાર્થપતિ નાસીને માળવાના રાજાને શરણે ગયો અને તેનું સૈન્ય લાવી તે પાળને ઘેરી લીધી. નરવીર ત્યાંથી નાઠો. તેની સગર્ભા સ્ત્રીને સાર્થવાહે હણી. તેના ઉદરમાંથી નીકળી બાળક પણ પૃથ્વી પર પડી મરી ગયું. પાળ ભાંગી નાખી. માળવપતિએ તે સાર્થવાહને બે હત્યાઅે કરનારો જાણી દેશમાંથી તિરસ્કાર કરીને કાઢી મૂક્યો. તેથી તેને વૈરાગ્ય ઊપજતાં તાપસ થઈ તપસ્યા કરી મૃત્યુ પામી જયસિંહ નામે રાજા થયો; પરંતુ પૂર્વભવમાં કરેલી બે હત્યાના પાપથી તે અપુત્ર રહ્યો. નરવીરને દેશાંતર જતાં માર્ગમાં યશોભદ્રસૂરિ મળ્યા. સૂરિએ કહ્યું-‘અરે ક્ષત્રિય! તું ક્ષાત્રકુળમાં જન્મી જીવહિંસા કેમ કરે છે? તું ક્ષત્રિય છે, તેથી આ બાણ પાછું સંહરી લે, કારણ કે તમારા શસ્ત્રો આર્ત્ત (પીડિત) જનના રક્ષણ માટે છે. નિરપરાધી જીવોને જરા પણ પ્રહાર કરવા માટે નથી.’ તે લગ્ન પામી બોલ્યો−‘હે સ્વામી! ક્ષુધાતુર માણસ શું પાપ નથી કરતો? કેમકે ક્ષીણ પુરુષો પ્રાયે નિર્દય જ હોય છે. તે ઉપર પંચતંત્રમાં ગંગદત્તની કથા પ્રસિદ્ધ છે.’ આ પ્રમાણે કહ્યા પછી ગુરુના ઉપદેશથી તે વ્યસન રહિત થયો. ત્યાંથી ફરતો ફરતો નરવીર નવલાસ્વñલંગ નામના દેશમાં આવેલ એકશિલા નગરીમાં આવ્યો. ત્યાં ઉઢેર નામના શ્રેષ્ઠીને ઘેર ભોજનવસ્રની આજીવિકા ઉપર સેવક થઈને રહ્યો. તે નગરીમાં ઉઢેર શ્રેષ્ઠીએ શ્રી વીરપ્રભુનું એક ચૈત્ય કરાવેલું હતું. અન્યદા પર્યુષણ પર્વ આવ્યે સતે ઉઢેર શ્રેષ્ઠી તે ચૈત્યમાં કુટુંબ સહિત પૂજા કરવા ગયો; ત્યાં મોટી વિધિથી પૂજા કર્યા પછી સાથે આવેલા નરવીરને ઉઢેર શેઠે કહ્યું-‘આ પુષ્પ લે અને પ્રભુની પૂજા કર.' નરવીર તે સાંભળી વિચારવા લાગ્યો કે ‘આવા પરમેશ્વર કોઈ દિવસે મેં જોયા નથી. આ પ્રભુ અપૂર્વ જણાય છે. વળી આ પ્રભુ રાગાદિ ચિહ્નથી રહિત હોવાથી સાચા પરમેશ્વર જણાય છે. તો એવા પ્રભુની પૂજા બીજાનાં આપેલાં પુષ્પથી શા માટે કરું?’ આ પ્રમાણે વિચારી પોતાની પાસે માત્ર પાંચ કોડી હતી તેના પુષ્પ લીધાં અને નેત્રમાં આનંદનાં અશ્રુ લાવી, પ્રસન્ન થઈ ત્રિકરણ શુદ્ધિ વડે પ્રભુની પૂજા કરી. પછી પૂર્ણ રુચિવડે ભક્તિથી તે બોલ્યો−‘હે સ્વામી! તમે દયાળુ હોવાથી આ સંસારથી મને ઉદ્ધર્યો છે, કારણ કે ઇંદ્રને પણ દુર્લભ એવી ભક્તિ કરવાનો આપે મને અવકાશ આપ્યો છે.’ આ પ્રમાણે વારંવાર કહેતો તે ઉઢેર શેઠની સાથે ત્યાં પધારેલા યશોભદ્રસૂરિની પાસે આવ્યો. ત્યાં ગુરુની દેશના સાંભળી. દેશના થઈ રહ્યા પછી શેઠની સાથે તેણે પણ ઉપવાસ કર્યો. અનુક્રમે મૃત્યુ પામી તું આ ત્રિભુવનપાલ રાજાનો પુત્ર થયો છે. ઉઢેર શેઠ ઉદયન મંત્રી થયો છે અને યશોભદ્રસૂરિ હતા તે હું થયો છું. અહીંથી આયુષ્ય પૂર્ણ કરી છેવટે વ્યંતર જાતિમાં મહર્ષિકપણું પ્રાપ્ત કરી, ત્યાંથી ચવી, ભરતક્ષેત્રમાં ભદ્દિલપુર નગરમાં શતાનંદ રાજાની ધારિણી નામે રાણીથી શીતબલ નામે પુત્ર થઈશ; અને તે જ ભવમાં શ્રી પદ્મનાભ પ્રભુનો અગિયારમો ગણઘર થઈ મોક્ષ પામીશ.’’ આ પ્રમાણે પોતાનો પૂર્વભવ સાંભળી કુમારપાલ પ્રસન્ન થયા. પછી પોતાના પ્રિય દૂતને ગુરુની રજા લઈ તે દેશમાં મોકલ્યો. તે દૂત ત્યાં જઈ ઉઢેર શેઠના પુત્રના મુખથી તે પ્રમાણે સર્વ ૧ સ્રીહત્યા ને બાળહત્યા. ૨. સિદ્ધરાજ જયસિંહ. [ભાગ ૩–૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy