SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૩ અને પંચૅક્રિયાદિ જીવોનો સ્પર્શ એ સર્વ દુઃખ સહન કરવાનો અભાવ થવાથી તે સુખપૂર્વક જીવશે. પછી શુદ્ધ પુષ્પોની રકાબી ભરી પ્રભુની પાસે લાવી શ્રાવક આ પ્રમાણે કહે કે “હે સ્વામી! તમે ત્રણ જગતના હિતકારી છો; આ પુષ્પોના જીવોને હું હિંસકોની પાસેથી છોડાવી લાવ્યો છું; તેથી તેમને અને મને અભય આપો.” આ પ્રમાણેના શુભભાવપૂર્વક પુષ્પપૂજા કરવાથી કાંઈ પણ દોષ લાગતો નથી. અવધિજ્ઞાન અને સભ્યત્વથી યુક્ત તેમ જ જેમની અરિહંતે પ્રશંસા કરેલી છે તેવા દેવો પણ જળ તથા સ્થળનાં નીપજેલાં પુષ્પોથી જિનબિંબને પૂજે છે.” શ્રી રાજપ્રશ્નીયસૂત્રમાં તથા જીવાભિગમસૂત્રમાં કહ્યું છે કે “નંદાપુષ્કરણી નામે દેવતાની વાપિકા છે, તેમાં યાવત્ હજાર પાંખડીનાં કમળો ઊગે છે. તે વાપિકામાં પ્રવેશ કરીને દેવતાઓ તે કમળો ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને તે વાપિકામાંથી નીકળે છે અને જ્યાં શાશ્વતા જિનમંદિર છે ત્યાં જાય છે. ઇત્યાદિ” તથા સમવાયાંગસૂત્રમાં ચોત્રીશ અતિશયના અધિકારમાં પણ કહ્યું છે કે “પ્રભુ કેવળજ્ઞાન પામે છે ત્યારે વાયુ વડે એક યોજન ક્ષેત્રને સાફ કરી મેઘવૃષ્ટિ વડે તે જમીન ઊડતી રજ રહિત કરે છે. પછી તેની ઉપર જળ તથા સ્થળનાં ઉત્પન્ન થયેલાં દેદીપ્યમાન પુષ્કળ પંચવર્ણી પુષ્પોના જાનુ પ્રમાણ પગર ભરે છે.” અહીં કોઈ જળસ્થળનાં ઊપજેલાં પુષ્પોની જેવાં પુષ્પો” એમ કહે છે, પણ તે યોગ્ય નથી. કારણ કે ઇવ વગેરે ઉપમાવાચક શબ્દો મૂલ સૂત્રમાં ગ્રહણ કરેલા નથી. વળી રાજપ્રશ્રીય સૂત્રમાં પણ જિનપ્રતિમાની આગળ પુષ્પના પુંજ કરવા સંબંધી પાઠ છે. ત્યાં પણ જળસ્થળમાં ઉત્પન્ન થયેલાં સચિત્ત પુષ્પોનો પંજ કરે છે એમ કહ્યું છે. તેમ જ જ્ઞાતાસૂત્રમાં સમકિતઘારી દ્રૌપદીએ કરેલ જિનપૂજાનો વિધિ પણ સૂર્યાભદેવના જેવો જ વર્ણવેલો છે, કાંઈ પણ ન્યૂનાધિક કહેલ નથી, તેથી જો દેવતાઓનો કરેલો પુખનો પુંજ વિબુર્વેલો કહીએ તો દ્રૌપદીએ કરેલ જિનેશ્વર પાસેનો પુષ્પગુંજ વિકુવને શી રીતે થાય? એથી એક જ સૂત્રપાઠમાં પૂર્વાપર વિરોઘવાળો અર્થ ન કરવો. એક ઠેકાણે સાંધે ત્યાં બીજે ઠેકાણે તૂટે એવો ન્યાય ન કરવો જોઈએ. જો કે દેવતાઓમાં અનેક જાતનું સામર્થ્ય છે, તથાપિ સિદ્ધાંતમાં કપોલકલ્પિત મતિ ચલાવવી યુક્ત નથી. વળી નારકી વિના ત્રેવીશ દંડકમાં રહેલા જીવ પુષ્પપણું પણ પ્રાપ્ત કરે છે અને પુષ્યના જીવો ઈશાન દેવલોક સુધી જઈ શકે છે. પુષ્પપૂજા વિષે કુમારપાલ રાજાના પૂર્વ ભવનું વૃત્તાંત દૃષ્ટાંતરૂપે છે તે આ પ્રમાણે કુમારપાલ રાજાના પૂર્વભવનું વૃત્તાંત એક વખતે રાજા કુમારપાલે શ્રી હેમચંદ્રસૂરીને પોતાના પૂર્વભવ વિષે પૂછ્યું, તે વખતે સૂરિશ્રીએ સિદ્ધપુરમાં સરસ્વતી નદીને તીરે અઠ્ઠમ કરી સૂરિમંત્રના બીજા પીઠની અધિષ્ઠાત્રી દેવીની આરાઘના કરી. પછી દેવીએ આવીને કુમારપાલનો પૂર્વભવ કહ્યો; એટલે સૂરિએ રાજા તથા નગરજનો સમક્ષ આ પ્રમાણે તેના પૂર્વભવનું વૃત્તાંત કહ્યું હે રાજ! પૂર્વભવે મેવાડના સીમાડામાં જયકેશી નામે રાજા હતો. તેને નરવીર નામે એક પુત્ર હતો. તે સાત વ્યસનને સેવનારો થવાથી પિતાએ તેને નગરમાંથી કાઢી મૂક્યો. તે પર્વતની ૧. પુષ્યના જીવોની ઈશાન દેવલોક પર્યત ગતિ શી અપેક્ષાએ કહી છે તે સમજી શકાતું નથી. તેની ગતિ એટલે સુઘી હોતી નથી. એમાં ઊપજવાની વાત બરાબર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy