SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૮૫] પુષ્પ વગેરે લાવવાનો વિધિ ૧૨૭ લક્ષણની સંખ્યા સંભારીને એક હજાર ને આઠ પુષ્પનો હાર કરવો; અથવા વર્તમાન ચોવીશીના ચોવીશ તીર્થંકર, ત્રણ ચોવીશીના બોતેર તીર્થકર, વિહરમાન વશ તીર્થકર, ઉત્કૃષ્ટ કાળે વિચરતા એકસો સિત્તેર તીર્થકર, પાંચ ભરત ને પાંચ એરાવત એ દશ ક્ષેત્રની દશ ચોવીશીના બસો ચાળીશ જિનેશ્વર અથવા ત્રણ કાળની ત્રણ ત્રણ ચોવીશી ગ્રહણ કરવા માટે ત્રણગણા કરતાં સાતસો ને વશની સંખ્યા થાય તેટલા તીર્થકરોને સંભારીને તે પ્રમાણે પુષ્પોના હાર કરવા. એવી રીતે અનેક પ્રકારની જિનેશ્વરની સંખ્યાનું સ્મરણ કરવાપૂર્વક તે સંખ્યા પ્રમાણે પુષ્પો લઈ હાર કરવો. જો છૂટાં પુષ્પ હોય તો ભગવંતનાં આઠ અંગ ઉપર આઠ પ્રકારનાં કર્મનાં નામોચ્ચારપૂર્વક તે તે કર્મોના અભાવની યાચના કરીને આઠ પુષ્પો મૂકવાં અને નવમા અંગ ઉપર નવમા તત્ત્વની માગણી કરવાપૂર્વક નવમું પુષ્પ ચડાવવું. આ પ્રમાણેની ભાવના સ્વબુદ્ધિથી જાણી લેવી. અહીં કોઈ શંકા કરે કે “જેમ મનુષ્યની આંગળી પેદવાથી મનુષ્યને દુઃખ થાય છે તેમ વૃક્ષનું અવયવ પુષ્પ છેદવાથી વૃક્ષને દુઃખ થાય તેથી મહાદોષ થાય, માટે પુષ્પ ચડાવવાં યોગ્ય નથી. જિનેશ્વર ભગવંત છકાયના રક્ષક છે તે એવો ઉપદેશ કેમ કરે?” આના ઉત્તરમાં ગુરુ કહે છે કે “અરે જિનાગમના અજ્ઞ પ્રાણી! તું સાંભળ. આરામિકે (માળીએ) આજીવિકા માટે વિધિપૂર્વક લાવેલાં પુષ્પ મૂલ્ય આપીને લેવામાં આવે છે, તેમાં શ્રાવકને દોષ નથી; કારણ કે જીવોની દયા માટે તે લેવામાં આવે છે. તે વિચારે છે કે જો કોઈ મિથ્યાત્વી તેની પાસેથી પુષ્પ લઈ હોમકુંડ વગેરેમાં નાખશે તો તે પુષ્યના જીવોનો સત્વર વધ થઈ જશે, તેમ વ્યભિચારી પુરુષ લઈ જશે તો સ્ત્રીના કંઠમાં, મસ્તક ઉપર અથવા પોતાના ઉરસ્થળ પર રાખશે, અથવા પુષ્પની શય્યા કરી તેની ઉપર સૂશે, અથવા તેના દડા કરી રમશે; ત્યાં સ્ત્રીપુરુષના પ્રસ્વેદ વગેરેથી પુષ્પના કોમળ જીવો એક ક્ષણમાં નાશ પામી જશે. વળી સ્ત્રીઓના કંઠ વગેરેમાં રહેલા પુષ્પના હાર જોઈ કોઈને શુભ ભાવના નહીં થાય, પણ ઊલટો પાપનો બંઘ થશે, તેથી ઉત્તમ ગૃહસ્થો પુષ્પોને દેખી એવી ભાવના કરે છે કે “જો આ પુષ્પને કોઈ પાપી પુરુષ લેશે તો તે ક્રીડામાત્રમાં સહજમાં તેને તત્કાળ હણી નાખશે, માટે તેમને અભય કરવા સારુ હું મૂલ્ય આપી ગ્રહણ કરું. હું જો એની ઉપેક્ષા કરીશ તો મને કસાઈના હાથમાં જતા બકરાને ન છોડાવવાની જેમ મહાન દોષ લાગશે.” આ પ્રમાણેની વિચારણાથી પુષ્પો ખરીદ કર્યા બાદ જો તે પુષ્પમાં તેના વર્ણ જેવા જ વર્ણના એળ કે કીડા વગેરે ત્રસજીવ જણાય તો તે પુષ્પને અગોચર સ્થાને મૂકી દેવાં કે જેથી તે જીવોની હિંસા ન થાય. ત્યારપછી ત્રસ જીવરહિત પુષ્પોનો પૂર્વે કહેલ રીતિ પ્રમાણે હાર બનાવી શ્રાવકે ભગવંતના કંઠમાં સ્થાપન કરવો. તેમ કરવાથી સ્ત્રીના કંઠમાં રહેલા હારની જેમ અશુભ ભાવના થતી નથી, પણ ઊલટો પુષ્યના જીવને અભય આપ્યાનો અને આત્માને પરમેશ્વરના પરમગુણની પ્રાપ્તિનો એમ ઉભય લાભ થાય છે. ઉત્તમ જીવોએ એમ જ ઘારવું કે આ પ્રમાણે પ્રભુને ચડાવવાથી જેટલા કાળનું તે પુષ્યના જીવોએ આયુષ્ય બાંધ્યું હશે તેટલો કાળ છેદન, ભેદન, ક્લેદન, સૂચિકારોપણ, મર્દન ૧. આમાં કેટલીક સંખ્યા બેવડાય છે તેથી તે બાદ કરતાં ૭૨૦+૧૬૦+૨૦ એમ કુલ ૯૦૦ થાય છે. એટલા નામો બેવડાતા નથી. ૨. નવમું તત્ત્વ–મોક્ષતત્ત્વ. ૩. કપાવું તે. ૪. સોયથી વિંધાવું તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy