SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૩ તેવાં શુદ્ધ વસ્ત્ર પહેર્યાં પછી ચૈત્યને પ્રમાર્જવું. પછી યતનાપૂર્વક પૂજાની સર્વ સામગ્રી મેળવવી. આ પ્રમાણે દ્રવ્યશુદ્ધિ જાણવી; અને રાગ, દ્વેષ, કષાય, આ લોક અને પરલોક સંબંઘી સ્પૃહા અને કૌતુક વગેરેનો ત્યાગ કરી એકાગ્ર ચિત્ત રાખવું તે ભાવશુદ્ધિ જાણવી. તે વિષે કહ્યું છે કે– मनोवाक्कायवस्त्रोर्वी - पूजोपकरणस्थितेः । शुद्धिः सप्तविधा कार्या, श्रीअर्हत्पूजनक्षणे ॥ १ ॥ “શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા વખતે મન, વચન, કાયા, વસ્ત્ર, પૃથ્વી, પૂજાના ઉપકરણ અને સ્થિતિ એટલે ન્યાયોપાર્જિત દ્રવ્ય એ સાત પ્રકારની શુદ્ધિ કરવી.’’ ૧૨૬ ‘વિધિ વડે સ્નાનાદિ કાર્ય કરનાર પ્રાણી અનલ્પ એવું અક્ષર ફળ પામે છે. જૈનધર્મમાં ભાવ વિના માત્ર બાહ્યક્રિયા નિર્જરા માટે થતી નથી.’’ વ્યાખ્યાન ૧૮૫ વગેરે લાવવાનો વિધિ પુષ્પ पुष्पादिसर्वसामग्री, अंतर्दयापरस्तीर्थ मेलनीयार्च्चनक्षणे । નાથમત્તિમાંવિતઃ ||શા ભાવાર્થ-‘શ્રી તીર્થંકરની ભક્તિના ભારથી શોભિત એવા શ્રાવકે અંતરમાં દયાપૂર્વક જિનપૂજાને અવસરે પુષ્પાદિક સર્વ સામગ્રી મેળવવી.’’ પુષ્પ લાવવાનો વિધિ આ પ્રમાણે Jain Education International પુષ્પ લાવવા માટે પ્રથમ માળીને કહેવું કે જે પુષ્પ માથે ઉપાડી લાવેલાં હોય, શરીર ૫૨ના વસ્ત્રમાં બાંધીને લાવેલ હોય, કાખમાં રાખ્યાં હોય, પૃષ્ઠ ભાગે, વસ્ત્રને છેડે કે પેટ ઉપર બાંધ્યાં હોય, જીર્ણ થઈ ગયાં હોય, પાંખડી વગેરે તોડી નાખેલાં હોય, અને રજસ્વલા સ્ત્રીએ સ્પર્શ કરેલાં હોય તેવાં પુષ્પ અમારે કામ આવતાં નથી, તેથી તેવા દોષ રહિત શુદ્ધ પુષ્પ તારે પ્રતિદિવસ લાવી આપવાં, હું તને વાંછિત મૂલ્ય આપીશ.’’ આ પ્રમાણે તેને કહેવાથી તે નિર્દોષ પુષ્પ લાવી આપે તો ઠીક, નહીં તો પછી પૂજા વખતે આમ અને સૂગ ન ચડે તેવા વેશવાળા દક્ષ પુરુષ પાસે મંગાવવાં, અથવા પોતે જ પોતાના અંગને ફરસે નહીં તેમ છાતી આગળ રાખીને લાવવાં. તે વિષે શાસ્ત્રમાં કહ્યું છે કે “જે પુષ્પ, પત્ર કે ફળ હાથમાંથી પડી ગયેલું, પૃથ્વી પર રહેલું, પગે ચંપાયેલું, માથા ઉપર ઘરેલું, નઠારા વસ્ત્રમાં લીધેલું, નાભિની નીચે રાખેલું, દુષ્ટ લોકોએ અડકેલું, ઘણા જળથી હણાયેલું અને કીડાએ દૂષિત કરેલું હોય તે જિનેશ્વરના ભક્તોએ જિનેશ્વર ભગવંતની પૂજાના પ્રસંગમાં ત્યાગ કરવું અર્થાત્ વાપરવું નહીં.” વળી કહ્યું છે કે ‘‘એક પુષ્પના બે ભાગ કરવા નહીં અને પુષ્પની કળી પણ છેદવી નહીં; કારણ કે પાંખડી કે ડાંડલીના ભાંગવાથી હત્યા જેટલું પાપ થાય છે.' પછી– आमसूत्रतंतुभिः शिथिलग्रंथिना गूंथनीयो हारः । ‘કાચા સૂત્રના તંતુઓથી શિથિલ ગ્રંથિ વડે હાર ગૂંથવો.' પંચપરમેષ્ઠીના ગુણનું સ્મરણ કરતાં એકસો ને આઠ પુષ્પનો હાર કરવો અથવા કરાવવો; અથવા જિનેશ્વર ભગવંતના ૧૦૦૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy