SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૮૪] સ્નાન વિધિ ૧૨૫ “હે રાજા! સાંઘેલું, દાઝેલું, ફાટેલું અને બીજાનું વસ્ત્ર દેવપૂજાને માટે ઘારણ કરવું નહીં.” પુરાણમાં પણ કહ્યું છે કે कटिस्पृष्टं तु यद्वस्त्रं, पुरीषं येन कारितं । समूत्रमैथुनं वाऽपि, तद्वस्त्रं परिवर्जयेत् ॥ જે વસ્ત્ર કટિને અડક્યું હોય અર્થાત્ પહેર્યું હોય, જે વસ્ત્ર પહેરી મલ, મૂત્ર કે મૈથુન કર્યું હોય તે વસ્ત્ર દેવકર્મમાં વર્જવું.” વળી કહ્યું છે કે एकवस्त्रो न भुंजीत, न कुर्याद्देवतार्चनं । न कंचूकं विना कार्या, देवार्चा स्त्रीजनेन तु॥ “પુરુષે એક વસ્ત્ર પહેરીને જમવું નહીં અને દેવપૂજા કરવી નહીં; અને સ્ત્રીઓએ કંચૂકી વિના દેવપૂજા કરવી નહીં.” આ ઉપરથી એમ જાણવું કે પુરુષોએ બે વસ્ત્ર અને સ્ત્રીઓએ ત્રણ વસ્ત્ર વિના દેવપૂજા કરવી યોગ્ય નથી. સિદ્ધાંતમાં કહ્યું છે કે–એ સાડીયં કુત્તરસંગે રે “એક વસ્ત્રનું ઉત્તરાસંગ કરવું” તેથી ઉત્તરાસંગ અખંડ વસ્ત્રનું જ કરવું; બે ખંડવાળા વસ્ત્રનું કરવું નહીં. વળી લોકો કહે છે કે “રેશમી વસ્ત્ર વડે ભોજન વગેરે કરવામાં આવે તો પણ તે સર્વથા પવિત્ર છે.” એ લોકવચન અપ્રમાણ છે. રેશમી વસ્ત્ર પણ સુતરાઉ વસ્ત્રની જેમ ભોજન, મળ, મૂત્ર વગેરે અશુચિ સ્પર્શથી વર્જિત હોય તો જ દેવપૂજામાં ઘારણ કરવા યોગ્ય છે. પહેરેલું ઘોતિયું અલ્પકાળ જ વાપરવું. પસીનો, બડખો વગેરે પહેરેલા ઘોતિયા વડે ન નિવારવા. દેવપૂજામાં પ્રાયે કરીને પારકું વસ્ત્ર વર્જવું, તેમાં પણ બાળક, વૃદ્ધ કે સ્ત્રીનું વસ્ત્ર તો વિશેષ કરીને વર્જવું. તે વિષે એવી કથા સંભળાય છે કે એક વખતે કુમારપાળ રાજાનાં પૂજા કરવાનાં બે વસ્ત્ર બાહડ મંત્રીએ વાપર્યા, તે જોઈ રાજાએ કહ્યું-“મારે માટે નવાં વસ્ત્ર મંગાવી આપો.” મંત્રી બોલ્યો-“હે સ્વામી! આવા નવા વસ્ત્રનું સવા લાખ દ્રવ્ય મૂલ્ય બેસે છે, અને તે બંનેરા નગરીમાં જ બને છે. તે પણ ત્યાંના રાજાનું વાપરેલું–ઉચ્છિષ્ટ કરેલું અહીં આવે છે. આ પ્રમાણે સાંભળી રાજા કુમારપાળે બંબેરાના રાજા પાસે એક વસ્ત્ર નહીં વાપરેલું માગ્યું. પણ બંબેરાપુરના રાજાએ વગર વાપરેલું આપ્યું નહીં, તેથી કુમારપાળ રાજા તેના ઉપર ક્રોધાયમાન થયા. તેણે સૈન્ય સહિત બાહડ મંત્રીને તેની સાથે યુદ્ધ કરવા મોકલ્યા. ચૌદસો સાંઢણીઓ ઉપર બેઠેલા સુભટોએ ઉતાવળે ત્યાં પહોંચી રાત્રે અંબેરાપુરીને ઘેરી લીઘી. પરંતુ તે રાત્રે તે નગરીમાં સાતસો કન્યાઓના વિવાહ થતા હતા, તેમાં વિઘ ન થવા માટે રાત્રે યુદ્ધ કર્યું નહીં. પ્રભાતે કિલ્લો સર કરી સાત કોટી સુવર્ણ અને અગિયારસો અશ્વ દંડમાં લીધાં અને કિલ્લાને ચૂર્ણ કરી નાખ્યો. એ પ્રમાણે બંબેરા નગરીને કબજે કરી તે દેશમાં પોતાના સ્વામીની આજ્ઞા પ્રવર્તાવી અને સાતસો સાલવી ઉત્સવ સહિત પાટણમાં લઈ આવ્યા. પછી તે સાલવીઓની પાસે વસ્ત્રો કરાવી કુમારપાળ રાજા પૂજા વખતે દરરોજ નવું નવું ઘારણ કરવા લાગ્યા. આ પ્રમાણે બીજાએ વાપર્યા સિવાયનાં વસ્ત્ર પૂજામાં વાપરવા ઉપર સંબંઘ જાણવો. ૧ બે ખંડ એટલે બે કકડાનું સાંઘેલું અથવા બે પાટ (ફાળ)વાળું પણ નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy