SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ સ્તિંભ ૧૩ પણ તે શા માટે કરવું જોઈએ?” તેના ઉત્તરમાં કહેવાનું કે–“સમવસરણમાં રહેલા પ્રભુના પવિત્ર દેહને મળમૂત્રનાં બિંદુ જેના શરીર પર લાગેલાં હોય છે એવો કોઈ પણ મનુષ્ય સ્પર્શ કરતો નથી, કારણ કે તે આશાતનાનો હેતુ છે. તેવી રીતે અહીં પણ સ્ત્રીની શય્યા, લઘુનીતિ, વડીનીતિ તેમ જ દુર્ગધી વાતનો સ્પર્શ વગેરે થવાથી મલિન થયેલું શરીર જિનપૂજામાં ભાવશુદ્ધિ કરનારું થતું નથી; કારણ કે હું અપવિત્ર છું, હું અપવિત્ર છું' એવું વારંવાર પૂજકને સ્મરણ થયા કરે છે અને શુદ્ધિ. કરવાથી હું શુદ્ધ છું, પ્રભુની પૂજાને યોગ્ય છું' એમ વિચાર કરતાં પૂજકને ભાવની વૃદ્ધિ થાય છે. દેવતાઓ સ્વચ્છ દેહવાળા હોય છે, તથાપિ સ્વર્ગની વાપિકામાં સ્નાન કરી, પવિત્ર થઈને શાશ્વત પ્રતિમાની પૂજા કરે છે, ત્યારે મનુષ્ય તો અવશ્ય તેમ કરવું જ જોઈએ. તેથી જે મનુષ્ય ભાવપૂર્વક યતનાથી દ્રવ્યસ્નાન કરે છે તેને મહાફળ પ્રાપ્ત થાય છે. ભાવસ્નાન વિષે લખે છે કે–નિર્મળ બુદ્ધિના કારણભૂત ધ્યાનરૂપ જળ વડે કર્મરૂપ મળને દૂર કરવો તે ભાવ સ્નાન કહેવાય છે.” સ્નાન કર્યા પછી બાજોઠ નીચે મૂકેલી કુંડીમાં આવેલું જળ તડકાવાળી જગ્યાએ પૂંજણી વડે પૃથ્વી પૂંજીને કોઈ દક્ષ માણસ પાસે પરઠવાવવું. - સ્નાન કર્યા છતાં પણ જો શરીર પર ગડગૂમડ થવાથી રુધિર કે પરુ સ્ત્રવતું હોય તો તેણે પ્રભુની અંગપૂજા કરવી નહીં; કારણ કે તેથી આશાતના થાય છે. તુવંતી સ્ત્રીએ ચાર દિવસ સુધી દેવદર્શન કરવું નહીં અને સાત દિવસ સુધી પૂજા કરવી નહીં. તે વિષે કહ્યું છે કે तद जिणभवणे गमणं, गिहपडिमाच्चणं च सज्झायं । पुष्फवइत्थियाणं पडिनिसिद्धं जाव सत्तदिणं ॥१॥ “ઋતુવાળી સ્ત્રીને માટે સાત દિવસ સુઘી જિનભવનમાં ગમન, ગૃહપ્રતિમાની પૂજા અને સ્વાધ્યાયનો નિષેધ કરેલો છે.” કેટલાક મૂઢ લોકો ઋતુવાળી સ્ત્રીઓને પઠન-પાઠનનો નિષેઘ કરતા નથી. તેઓ સ્વકલ્પનાથી કહે છે કે “શ્રી વીરપ્રભુના પરિવારની સાધ્વીઓ ઋતુ પ્રાપ્ત થાય તો પણ પોતાની વાંચના છોડી દેતી નહોતી; કારણ કે ઋતુસ્ત્રાવ થવો એ દેહનો સ્વાભાવિક ઘર્મ છે.” આ વિષે ગુરુ કહે છે કે “એ વચન કહેવું યોગ્ય નથી, કારણ કે એ સર્વ સાધ્વીઓ છઠ્ઠું અને સાતમે ગુણઠાણે વર્તતી હોય છે, તેથી તેમને એ દોષ સંભવતો નથી એમ સાંભળ્યું છે.” ઉપર પ્રમાણે શ્રાવકનો સ્નાનવિધિ સમજવો. આદ્ય શ્લોકમાં આદિ (વગેરે) શબ્દ છે, તેથી તે પછી જે કરવાનું છે તેનો વિધિ આ પ્રમાણે– સ્નાન કર્યા પછી શુદ્ધ વસ્ત્રવડે અંગ લૂછવું. પછી સ્નાનવસ્ત્ર છોડી બીજું પવિત્ર વસ્ત્ર પહેરવું. જળથી આÁ પગ વડે ભૂમિનો સ્પર્શ કરવો નહીં, તેમ કાષ્ઠની પાદુકા તો સર્વથા પહેરવી નહીં. પગ લૂછી પવિત્ર સ્થાને આવી, ઉત્તરાભિમુખે વગર સાંધેલા બે શ્વેત વસ્ત્ર પહેરવાં. કહ્યું છે કે न कुर्यात् संधितं वस्त्रं, देवकर्मणि भूमिप! न दग्धं न तु विच्छिन्नं, परस्य तु न धारयेत् ॥ ૧. અન્ય સ્થાને જિનપૂજાનો પાંચ દિવસ નિષેધ કરેલો છે. ૨. કાષ્ઠની પાવડી પહેરીને ચાલવાથી જીવહિંસા વધારે થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy